ગણતંત્ર દિવસ પહેલા દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ: બાંગ્લાદેશી આતંકીઓ અને ખાલિસ્તાની સંગઠનોનું મોટું કાવતરું
ભારતના ૨૬મી જાન્યુઆરી (ગણતંત્ર દિવસ) ના રાષ્ટ્રીય પર્વ પહેલા દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક શહેરોમાં આતંકી હુમલાની આશંકા સેવાઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓએ ગંભીર ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે, બાંગ્લાદેશી આતંકી સંગઠનો અને ખાલિસ્તાન સમર્થિત જૂથો પાકિસ્તાની એજન્સી ISI ની મદદથી દેશમાં મોટી તબાહી મચાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે.
ISI અને લોકલ ગેંગસ્ટરોનું ગઠબંધન
ગુપ્તચર અહેવાલ મુજબ, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI આ વખતે સ્થાનિક ગેંગસ્ટરો અને સ્લીપર સેલનો ઉપયોગ કરી રહી છે. હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં સક્રિય ગુનેગારોને વિદેશમાં બેઠેલા આકાઓ દ્વારા ઉશ્કેરવામાં આવી રહ્યા છે. આ આતંકીઓનો પ્લાન દિલ્હી સહિત અનેક શહેરોમાં એકસાથે હુમલા કરવાનો છે.
સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર
ગત વર્ષે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયા હતા, જેને ધ્...
