Tuesday, February 17News That Matters

Politics

‘રાઈટ ટુ રિકોલ’ શું છે? જેની રાઘવ ચઢ્ઢાએ સંસદમાં માંગ કરી; જાણો કયા દેશોમાં જનતા પાસે છે આ પાવર

‘રાઈટ ટુ રિકોલ’ શું છે? જેની રાઘવ ચઢ્ઢાએ સંસદમાં માંગ કરી; જાણો કયા દેશોમાં જનતા પાસે છે આ પાવર

Breaking News, LifeStyle, Politics, What's Hot
રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં ‘રાઇટ ટુ રિકોલ’ (Right to Recall) વિષય ઉઠાવતા રાજકીય અને જાહેર ચર્ચા ફરી તેજ બની છે. આ વિચારનો મૂળ હેતુ મતદાતાઓને વધુ સશક્ત બનાવવાનો છે, જેથી તેઓ માત્ર પોતાના પ્રતિનિધિને પસંદ જ ન કરે, પરંતુ કામથી અસંતોષ હોય તો નિર્ધારિત પ્રક્રિયા દ્વારા કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં તેને પદ પરથી હટાવી પણ શકે. આ લેખમાં ‘રાઇટ ટુ રિકોલ’ શું છે, તેની જરૂરિયાત શું માનવામાં આવે છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને દુનિયાના કયા દેશોમાં આ વ્યવસ્થા અમલમાં છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ‘રાઇટ ટુ રિકોલ’ શું છે? સરળ ભાષામાં કહીએ તો ‘રાઇટ ટુ રિકોલ’ એટલે મતદાતાઓને મળેલું એવું લોકશાહી અધિકાર, જેના દ્વારા તેઓ પોતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિને કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં પદ પરથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. જો મતદાતાઓને લાગે કે તેમનો પ્રતિનિધિ વ...
‘અમેરિકા સાથે ડીલ નહીં ઢીલ થઈ’,અમેરિકા સાથે ટ્રેડ ડીલ અને બજેટ મુદ્દે અખિલેશ યાદવના પ્રહાર

‘અમેરિકા સાથે ડીલ નહીં ઢીલ થઈ’,અમેરિકા સાથે ટ્રેડ ડીલ અને બજેટ મુદ્દે અખિલેશ યાદવના પ્રહાર

Breaking News, LifeStyle, Politics, What's Hot
લોકસભામાં બજેટ ચર્ચામાં ભાગ લેતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં વિઝનનો અભાવ છે. યાદવે બજેટના સમય અને અમેરિકા સાથેના વેપાર સોદાની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે અમેરિકા સાથે કોઈ ડીલ નહીં, ફક્ત શિથિલતા જોવા મળી છે. સપા પ્રમુખે કટાક્ષ કર્યો, "શૂન્ય મોટો કે 18? અને જો આવું થવાનું જ હોય, તો 11 મહિના સુધી રાહ કેમ જોઈ? બજેટને દિશાહીન ગણાવતા અખિલેશ યાદવે કહ્યું કે, તેમાં ગરીબો, પછાત અને દલિતો માટે કંઈ નથી. તેમણે કહ્યું, "આપણે આટલા બજેટો લાવીએ છીએ પરંતુ આપણી પ્રતિ વ્યક્તિ આવક વધી રહી નથી. અખિલેશ યાદવે બજેટને દિશાહીન ગણાવતા કહ્યું કે, ગરીબ, પછાત અને દલિતો માટે કંઈ નથી. આપણે આટલા બજેટ લાવી રહ્યા છીએ, પરંતુ આપણી પ્રતિ વ્યક્તિ આવક વધી રહી નથી. સરકારે ઓછામાં ઓછું મફત રાશન મેળવનારાઓની મ...
‘ચૂંટણીનો કેટલોક હિસ્સો સુપ્રીમમાં લડાય છે’, હિમંત બિસ્વાના વીડિયો પર CJIની સખ્તાઈ

‘ચૂંટણીનો કેટલોક હિસ્સો સુપ્રીમમાં લડાય છે’, હિમંત બિસ્વાના વીડિયો પર CJIની સખ્તાઈ

Breaking News, Politics, What's Hot
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આસામના મુખ્યમંત્રી હિમંતા શર્માના વિવાદાસ્પદ "પોઇન્ટ બ્લેન્ક શોટ" વીડિયો સામે દાખલ કરાયેલી અરજી પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ રાજકીય લડાઈઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી રહી છે. સીજેઆઈ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને એન.વી.અંજારીની બનેલી બેન્ચે  સીપીઆઈ અને સીપીએમ નેતાઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ નિઝામ પાશાએ તાત્કાલિક હસ્તક્ષેપની વિનંતી કર્યા બાદ અરજીની નોંધ લીધી. પાશાએ કોર્ટને જાણ કરી કે, અરજદારોએ વીડિયો અંગે ફરિયાદો નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. વકીલે કહ્યું, "અમે આસામના વર્તમાન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા વાંધાજનક ભાષણો અંગે કોર્ટના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરીએ છીએ, જેમાં તાજેતરમાં પોસ્ટ કરાયેલ એક વીડિયો પણ શામેલ છે. જેમાં તેઓ ચોક્કસ સમુદાયના સભ્યો પર ગોળીબાર કરતા દર્શાવવામાં...
લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ લાવી અવિશ્વાસ પ્રસ્તાવ, સચિવાલયને આપી નોટિસ 

લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ લાવી અવિશ્વાસ પ્રસ્તાવ, સચિવાલયને આપી નોટિસ 

Breaking News, Politics, What's Hot
લોકસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે મોરચો માંડતા તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. વિપક્ષી નેતાઓએ લોકસભાના નિયમ 94(C)નો હવાલો આપી સ્પીકરને પદમુક્ત કરવાની માંગ સાથે લોકસભાના મહાસચિવને આ નોટિસ સોંપી છે.  આ દરખાસ્ત પર કોંગ્રેસ, સપા, ડાબેરી પક્ષો અને આરજેડી સહિતના કુલ 118 સાંસદોએ સહી કરી છે. જોકે, તૃણમૂલ કોંગ્રેસે(TMC) એ દૂરી જાળવી રાખી છે, જે વિપક્ષી ગઠબંધનમાં આંતરિક મતભેદ હોવાના સંકેત આપે છે. વિપક્ષનો આરોપ છે કે સ્પીકર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ અંગે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'સરકારના દબાણને કારણે સ્પીકર પદની ગરિમા જળવાતી નથી અને તેમણે વડાપ્રધાનના બચાવમાં સફાઈ ...
લોકસભા સ્પીકર વિરુદ્ધ કોંગ્રેસ સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવ પર કરી સહી, બજેટ સત્રના બીજા ભાગમાં વિપક્ષ કરશે રજૂ

લોકસભા સ્પીકર વિરુદ્ધ કોંગ્રેસ સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવ પર કરી સહી, બજેટ સત્રના બીજા ભાગમાં વિપક્ષ કરશે રજૂ

Breaking News, Politics
વિપક્ષે લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ગૃહમાં બોલવા દેવામાં આવ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષ બજેટ સત્રના બીજા ભાગમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે, કારણ કે 20 દિવસની નોટિસ જરૂરી છે. https://x.com/INCIndia/status/2020730615780544880?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2020730615780544880%7Ctwgr%5E952b2df52bc01cbe70b62fd4650c9bb893fb24da%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.gstv.in%2Fnews%2Findia%2Fcongress-mps-sign-no-confidence-motion-against-lok-sabha-speaker સમાજવાદી પાર્ટી અને ડીએમકે સમર્થનમાં તો બીજી તરફ  સ્પીકર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસના સાંસદોના હસ્તાક્ષર થઈ ગયા છે. સમાજવાદી પાર્...
નેશનલ / CM હિમંત બિસ્વા સરમાની ‘ગન વાળી તસવીર’ પર ઓવૈસીએ નોંધાવી FIR, મોટી બબાલ

નેશનલ / CM હિમંત બિસ્વા સરમાની ‘ગન વાળી તસવીર’ પર ઓવૈસીએ નોંધાવી FIR, મોટી બબાલ

Breaking News, Politics
Asaduddin Owaisi: હૈદરાબાદના સાસંદ અસદુદ્દીન ઓવૈસીએ આસામના CM હિમંત બિસ્વા સરમા સામે મોર્ચો કર્યો છે. ઓવૈસીએ એક FIR દાખલ કરાવી છે. વાંચો વિગતે કે શું છે સમગ્ર મામલો.., Asaduddin Owaisi: AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાસંદ અસદુદ્દીન ઓવૈસીએ આસામના CM હિમંત બિસ્વા સરમા વિરુદ્ધ હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં એક ઓફિશિયલ ફરિયાદ દાખલ કરી છે. ઓવૈસીએ કરાવેલી આ ફરિયાદ આસામ બીજેપી દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવેલા વીડિયોના સંદર્ભમાં છે . હાલ આ વીડિયોને ડિલીટ કરી દેવાયો છે. પણ આ કથિત વીડિયોને મુદ્દે ઓવૈસીએ હૈદરાબાદ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે અને આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગણી કરી છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એ જે કથિત વીડિયોને આધારે ફરિયાદ નોંધાવી છે તેમાં ઓવૈસીનો આરોપ છે કે આ વીડિયોમાં મુખ્યમંત્રી મુસાલમાનોને શુટ કરતાં હોય તેવું બતાવવામાં આવ્યું છે જેને હિંસક અને ભડકાઉ જણાવાયુ...
પ્રકાશકે મંજૂરી પહેલા જ પ્રિન્ટિંગ કરી દીધું? નરવણેની બુક રાહુલ ગાંધી પાસે કેવી રીતે પહોંચીઃ થઈ રહ્યા છે સવાલો

પ્રકાશકે મંજૂરી પહેલા જ પ્રિન્ટિંગ કરી દીધું? નરવણેની બુક રાહુલ ગાંધી પાસે કેવી રીતે પહોંચીઃ થઈ રહ્યા છે સવાલો

Breaking News, Politics
પૂર્વ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેનું પુસ્તક 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની' (Four Stars of Destiny) હાલ ભારતીય રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હાથમાં આ અપ્રકાશિત પુસ્તકની હાર્ડકોપી જોવા મળતા અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. પુસ્તકમાં એવું તો શું છે કે જે વિવાદનું કારણ બન્યું? આ પુસ્તક જનરલ નરવણેની ચાર દાયકાની સૈન્ય કારકિર્દી પર આધારિત છે, જેમાં ખાસ કરીને ચીન સાથેના સરહદી સંઘર્ષ (LAC) અને સરકારની 'અગ્નિપથ યોજના' જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર તેમના મંતવ્યો હોવાનું માનવામાં આવે છે. વિપક્ષનો દાવો છે કે આ વિષયો અત્યંત સંવેદનશીલ હોવાથી જ સરકાર આ પુસ્તકની સમીક્ષા અટકાવી રહી છે. સંરક્ષણ મંત્રાલયે 2020 થી 2024 વચ્ચે 35 પુસ્તકોને મંજૂરી આપી છે, પરંતુ આ પુસ્તક હજુ પણ મંજૂરીની પ્રક્રિયામાં અટવાયેલું છે. કાયદાકીય ગૂંચ અને પ્રકાશનની ઉતાવળ નિયમ મુજબ નિવૃત્ત લશ્કરી...
UP news: ‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’, શંકરાચાર્યનો CMને ખુલ્લો પડકાર

UP news: ‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’, શંકરાચાર્યનો CMને ખુલ્લો પડકાર

Breaking News, Politics, What's Hot
ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રયાગરાજ માઘ મેળામાં સંગમ સ્નાન કર્યાં વિના જ કાશી પરત ફરેલા શંકરાચાર્યે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે સીધો મોરચો ખોલ્યો છે. મુખ્યમંત્રીના 'હિન્દુ' હોવા પર ઉઠાવ્યા સવાલ શુક્રવારે કાશીના શ્રીવિદ્યામઠ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મારી પાસેથી મારા પદ અને પરંપરાનું પ્રમાણપત્ર માંગ્યું હતું, જે મેં તેમને આપી દીધું છે. પરંતુ હવે હું સમગ્ર સનાતની સમાજ વતી યોગી આદિત્યનાથ પાસેથી તેમના હિન્દુ હોવાનું પ્રમાણ માંગું છું. હિન્દુ હોવું એ માત્ર ભાષણો કે ભગવા કપડાં સુધી સીમિત નથી, તેની સાચી કસોટી ગૌસેવા અને ધર્મરક્ષા છે. 40 દિવસનું અલ્ટીમેટમ અને 'નકલી હિન્દુ' જાહેર કરવાની ધમકી શંકરા...
ટ્રમ્પનો યુ-ટર્ન: અમેરિકન પ્રમુખના રહસ્યમય નિર્ણયથી દુનિયા ચોંકી!

ટ્રમ્પનો યુ-ટર્ન: અમેરિકન પ્રમુખના રહસ્યમય નિર્ણયથી દુનિયા ચોંકી!

Breaking News, Business, Politics
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે એક અત્યંત આશ્ચર્યજનક નિર્ણય લેતા વેનેઝુએલાનું જપ્ત કરેલું ક્રૂડ ઓઈલનું ટેન્કર પરત કરવાનો આદેશ આપ્યો છે. પનામાના ધ્વજ ધરાવતા M/T સોફિયા (M/T Sophia) નામના આ ટેન્કરને મુક્ત કરવાના નિર્ણયથી આખી દુનિયા ચોંકી ઉઠી છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન સામાન્ય રીતે પ્રતિબંધોના મામલે અત્યંત કડક વલણ માટે જાણીતું છે. શું હતો સમગ્ર વિવાદ? અહેવાલો અનુસાર, સાતમી જાન્યુઆરી 2026ના રોજ યુએસ કોસ્ટ ગાર્ડ અને લશ્કરી દળોએ સમુદ્રમાં ઓપરેશન કરીને M/T સોફિયાને અટકાવ્યું હતું. તે સમયે અમેરિકાએ આ જહાજને "રાજ્યવિહીન" અને "ડાર્ક ફ્લીટ" (પ્રતિબંધો ચોરી છૂપીથી તોડતું જહાજ) ગણાવ્યું હતું. આરોપ હતો કે આ ટેન્કર વેનેઝુએલાના પ્રતિબંધિત ક્રૂડ ઓઈલની ગેરકાયદે હેરાફેરીમાં સામેલ હતું. વર્ષ 2025ના અંતથી અત્યાર સુધી અમેરિકાએ વેનેઝુએલાના આવા 7 ટેન્કરો જપ્ત કર્યા છે, જેમાંથી 'સોફિયા' પરત કર...
Delhi news: દુનિયાભરના ઇસ્લામિક દેશોને દિલ્હીમાં બોલાવીને મોદી સરકાર શું કરવા જઈ રહી છે?

Delhi news: દુનિયાભરના ઇસ્લામિક દેશોને દિલ્હીમાં બોલાવીને મોદી સરકાર શું કરવા જઈ રહી છે?

Breaking News, Business, LifeStyle, Politics, Travel, What's Hot
ભારતની રાજધાની દિલ્હીમાં વિશ્વભરના ઇસ્લામિક દેશોના નેતાઓનો મેળાવડો યોજાવાનો છે. વિશ્વભરના નેતાઓ શનિવારે (31 જાન્યુઆરી) ભેગા થશે. આ સમિટની સહ-અધ્યક્ષતા ભારત અને યુએઈ કરશે. આ બેઠકનો ઉદ્દેશ્ય ભારત અને આરબ દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને ભાગીદારીને નવી દિશા આપવાનો છે. આ બેઠકમાં 22 આરબ દેશોના વિદેશ પ્રધાનો ભાગ લેશે. ૧૦ વર્ષ પછી ભારત દ્વારા આયોજિત બેઠક ૧૦ વર્ષ પછી આ પ્રકારની પહેલી બેઠક યોજાઈ રહી છે. અગાઉની બેઠક ૨૦૧૬માં યોજાઈ હતી, જોકે તે બહેરીનમાં યોજાઈ હતી. ભારત આરબ દેશોના સંગઠન લીગ ઓફ અરબ સ્ટેટ્સ (LAS)નું નિરીક્ષક છે. આ સંગઠનમાં કુલ ૨૨ સભ્ય દેશોનો સમાવેશ થાય છે. ૭ દેશોથી શરૂ થયેલી સંસ્થા હવે ૨૨ દેશોનો સમાવેશ કરે છે લીગ ઓફ અરબ સ્ટેટ્સ (LAS) ની રચના ૨૨ માર્ચ, ૧૯૪૫ ના રોજ કૈરોમાં થઈ હતી. શરૂઆતમાં, તેમાં ઇજિપ્ત, ઇરાક, જોર્ડન, લેબનોન, સાઉદી અરેબિયા અને સીરિયાનો સમાવેશ થતો હતો....