Sunday, August 2News That Matters

Politics

ગુજરાત / ફોરેસ્ટ અધિકારીને ધમકાવવાના મામલે ચૈતર વસાવા સહિત પત્ની દોષી જાહેર

ગુજરાત / ફોરેસ્ટ અધિકારીને ધમકાવવાના મામલે ચૈતર વસાવા સહિત પત્ની દોષી જાહેર

Politics
નર્મદા જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ કાનૂની ઘટનામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટો ઝટકો લાગ્યો છે. ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયા બાદ હવે સજાનો સમયગાળો જાહેર થવાનો બાકી છે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર હુમલાના કેસમાં રાજપીપલા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 સભ્યોને દોષિત ઠેરવ્યા છે. કોર્ટ દ્વારા સજા અંગેનો નિર્ણય સંભળાવવામાં આવ્યો છે, જોકે હજુ કેટલા વર્ષની સજા થશે તે અંગેનો અંતિમ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી. લાંબા સમયથી કોર્ટમાં કાર્યવાહી ચાલતી હતી મળતી માહિતી મુજબ ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં લાંબા સમયથી કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી. આ કેસમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને અન્ય આરોપીઓ સામે વિવિધ આરોપો હેઠળ કેસ...
મહારાષ્ટ્ર / શિવસેના UBTના 6 બળવાખોર સાંસદોને Y+ સુરક્ષા, ઉદ્ધવ ઠાકરેના કાર્યકરોનો વિરોધ

મહારાષ્ટ્ર / શિવસેના UBTના 6 બળવાખોર સાંસદોને Y+ સુરક્ષા, ઉદ્ધવ ઠાકરેના કાર્યકરોનો વિરોધ

Politics
મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના (UBT) ની અંદર એક બહુ મોટા ભંગાણના સંકેતો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદો એકનાથ શિંદે જૂથના સંપર્કમાં હોવાની અટકળો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પર આ તમામ બળવાખોર સાંસદોને તાત્કાલિક ધોરણે Y+ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજકીય મેદાન પરથી આ સમયના સૌથી સનસનાટીપૂર્ણ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિવસેના (UBT) માં એકવાર ફરી વર્ષ 2022 જેવો જ મોટો બળવો થવાની અટકળોએ જોર પકડ્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદો પક્ષ બદલીને મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવા માટે તૈયાર બેઠા હોવાના અહેવાલો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટું કદમ ઉઠાવ્યું છે. સંભવિત સુરક્ષા જોખમો અને આંતરિક રોષને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના નિર્દેશ પર મહારાષ્ટ્ર પોલીસે આ તમામ 6 બળવાખોર સાંસદોને તાત્કાલિક પ્રભાવથી Y+ શ્રેણી સમાન સ્થાનિક સુરક્ષા વ્ય...
રાજકારણ / ખડગેએ પીએમ મોદી સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી, સંસદની ગરિમા મુદ્દે વિવાદ

રાજકારણ / ખડગેએ પીએમ મોદી સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી, સંસદની ગરિમા મુદ્દે વિવાદ

Politics
Privilege Motion Against Mallikarjun Kharge : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપના 6 સાંસદોએ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સામે વિશેષાધિકાર ભંગ (Breach of Privilege)ની નોટિસ આપી છે. સાંસદોનો આક્ષેપ છે કે, ખડગેની ટિપ્પણી ગૃહની ગરિમા અને સંસદીય પરંપરાઓને અનુરૂપ નથી. ભાજપના સાંસદોએ રાજ્યસભાના સભાપતિને આ મામલે સંજ્ઞાન લઈને મલ્લિકાર્જુન ખડગે વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિશેષાધિકાર સમિતિ કરશે સમગ્ર મામલાની તપાસ રાજ્યસભાના સભાપતિ સી. પી. રાધાકૃષ્ણને મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ દાખલ કરાયેલી આ વિશેષાધિકાર ભંગની નોટિસને તપાસ માટે વિશેષાધિકાર સમિતિ (Privilege Committee) પાસે મોકલી આપી છે. રાજ્યસભાની કાર્યવાહી અને કામકાજ સંચાલન નિયમાવલીના નિયમ 188 હેઠળ ભાજપના 6 સાંસદોએ આ નોટિસ આપી છે. જેમાં બ્રિજ લાલ, મિથિલેશ કુમાર, સુમિત્રા બાલ્મિક, શિવે...
G7 સમિટ / મોદી-ટ્રમ્પ મુલાકાતને લઈ રાજકીય ઘમાસાણ, અમેરિકી નીતિ અને નાવિકોના મુદ્દે સરકાર-વિપક્ષ આમને-સામને

G7 સમિટ / મોદી-ટ્રમ્પ મુલાકાતને લઈ રાજકીય ઘમાસાણ, અમેરિકી નીતિ અને નાવિકોના મુદ્દે સરકાર-વિપક્ષ આમને-સામને

Politics
PM Modi And Donald Trump G7 Meeting : G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબા સમય બાદ યોજાયેલી મુલાકાત બાદ ભારતમાં રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ આ મુલાકાતની તસવીરો અને વીડિયોને લઈને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે અને અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં માર્યા ગયેલા ત્રણ ભારતીય નાવિકોનો મુદ્દો યોગ્ય રીતે ન ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, મુલાકાતના અહેવાલો દર્શાવે છે કે પીએમ મોદીએ વૈશ્વિક મંચ પરથી અમેરિકાની કૂટનીતિ અને નીતિઓ સામે મજબૂત વલણ અપનાવ્યું છે. સુપ્રિયા શ્રીનેતનો પીએમ મોદી પર કટાક્ષ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે (Supriya Shrinate) સોશિયલ મીડિયા પર G-7 સમિટનો એક વીડિયો શેર કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ગ્રુપ ફોટો સેશન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને પૂરી 5 મિનિટ સુધી નજરઅંદ...
ખેડૂતોનો હલ્લાબોલ / ટ્રેક્ટર રેલી સાથે ભાજપ સરકાર વિરુદ્ધ મેદાને ઉતરશે કિસાન કોંગ્રેસ

ખેડૂતોનો હલ્લાબોલ / ટ્રેક્ટર રેલી સાથે ભાજપ સરકાર વિરુદ્ધ મેદાને ઉતરશે કિસાન કોંગ્રેસ

Politics
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આજે અમદાવાદમાં 'ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી'નું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિઓ અને વિવિધ માંગણીઓ સાથે આજે સવારે ૧૧ વાગ્યે શાંતિપુરા સર્કલથી હજારો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ કરવામાં આવશે. સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક ઢબે યોજાનારી આ રેલીમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે. અમિત ચાવડા, વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહેશે આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહી ખેડૂતોને સંબોધશે અને સરકાર પર દબાણ વધારશે. કોંગ્રેસ ખેડૂતોના વિવિધ પ્રશ્નો સાથે આ રેલી યોજશે. મળતા અહેવાલ પ્રમાણે ટ્રેકટર રેલીમાં  ખેતરોમાં વીજલાઈન નાંખવા સહિતની સમસ્યાઓ ઉકેલવા 5 માંગણી સરકાર સમક્ષ કરશે...
રાજકારણ / કોળી સમાજના નેતૃત્વ મુદ્દે ઘમાસાણ, બોટાદના મોટા સખપરમાં આજે શક્તિ પ્રદર્શન

રાજકારણ / કોળી સમાજના નેતૃત્વ મુદ્દે ઘમાસાણ, બોટાદના મોટા સખપરમાં આજે શક્તિ પ્રદર્શન

Politics
બોટાદમાં આજે કોળી સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. ગઢડા તાલુકાના મોટા સખપર ગામે આજે પ્રવિણ કોળી સહિતના આગેવાનોએ મહાસંમેલનનું આયોજન કર્યું છે. કોળી સમાજમાં નેતૃત્વ અને વર્ચસ્વના મુદ્દે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે આજે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે કોળી સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન સમાજના આગેવાનો દ્વારા યોજાઈ રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સમાજજનો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, પ્રવિણ કોળી સહિતના સમાજના વિવિધ આગેવાનોના નેતૃત્વમાં આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે સંમેલનમાં કોઈપણ મંત્રી કે ધારાસભ્યની સત્તાવાર હાજરી ન હોવાનું જણાવવામાં આવ્યું છે. આજે સાંજે 5 વાગ્યે યોજાનારા સંમેલનને લઈને સ્થળ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા અનુસાર, સમાજના વિવિધ પ્રશ્નો, સંગઠનની એકતા અને ભવિ...
પશ્ચિમ બંગાળ / મહિલાઓને દર મહિને ₹3000 અને બસમાં ફ્રી મુસાફરી, સુવેન્દુ સરકારના 5 મોટા એલાન

પશ્ચિમ બંગાળ / મહિલાઓને દર મહિને ₹3000 અને બસમાં ફ્રી મુસાફરી, સુવેન્દુ સરકારના 5 મોટા એલાન

Politics
પશ્ચિમ બંગાળમાં સરકારની રચના થયા બાદ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી એક પછી એક સતત મોટા નિર્ણયો લઈ રહ્યા છે. સોમવારે ફરી એકવાર સીએમ શુભેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યની જનતા માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જેમાં મહિલાઓ માટે 'અન્નપૂર્ણા યોજના' હેઠળ દર મહિને ૩,૦૦૦ રૂપિયા અને સરકારી બસોમાં મફત મુસાફરી જેવી મોટી યોજનાઓ સામેલ છે. ક્યારથી મળશે આર્થિક સહાય? સોમવારે મળેલી સુવેન્દુ કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પર મહોર મારવામાં આવી છે. રાજ્ય સરકારના મંત્રી અગ્નિમિત્રા પૌલે કહ્યું કે, કેબિનેટ બેઠકમાં 'અન્નપૂર્ણા યોજના'ને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને 1 જૂન ૨૦26થી દર મહિને 3,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ સાથે પશ્ચિમ બંગાળ કેબિનેટે 1 જૂનથી સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીને પણ લીલી ઝંડી ...
BIG UPDATE / અમેરિકામાં અદાણી ગ્રુપને મોટી રાહત! ગૌતમ અદાણી અને સાગર અદાણી $18 મિલિયન દંડ ભરી સમાધાન કરશે?

BIG UPDATE / અમેરિકામાં અદાણી ગ્રુપને મોટી રાહત! ગૌતમ અદાણી અને સાગર અદાણી $18 મિલિયન દંડ ભરી સમાધાન કરશે?

Breaking News, Politics
Gautam Adani US Case : અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા લાંચ અને છેતરપિંડીના હાઈ-પ્રોફાઈલ કેસમાં એક મોટો યુ-ટર્ન આવ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર અમેરિકાનું ન્યાય વિભાગ દ્વારા અદાણી સામેનો કેસ પડતો મૂકવાની યોજના બનાવી રહ્યું છે. ગૌતમ અદાણીએ આ કેસ માટે રોબર્ટ જે. ગિયુફ્રા જુનિયરને હાયર કર્યા છે. ગિયુફ્રા પ્રખ્યાત લૉ ફર્મ 'સુલિવન એન્ડ ક્રોમવેલ'ના કો-ચેરમેન છે તથા તેઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલ પણ રહી ચૂક્યા છે. અમેરિકામાં 10 અબજ ડોલરના રોકાણની ઓફર  વોશિંગ્ટનમાં ન્યાય વિભાગ સાથેની એક બેઠક દરમિયાન અદાણીના વકીલે એક અનોખી ઓફર રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે જો આરોપો પડતા મૂકવામાં આવે, તો અદાણી ગ્રૂપ અમેરિકામાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે અને ત્યાં 15 હજાર નવી નોકરીનું સર્જન કરશે. રિપોર્ટ અનુસાર, વકીલ ગિયુફ્રાએ ન્યાય વિભાગના અધિકારીઓ સમ...
BIG QUESTION / CM પદ પર હોવા છતાં વકીલાત કેવી રીતે ચાલુ રાખી? BCIએ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલને મોકલી નોટિસ, 2 દિવસમાં માંગ્યો જવાબ

BIG QUESTION / CM પદ પર હોવા છતાં વકીલાત કેવી રીતે ચાલુ રાખી? BCIએ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલને મોકલી નોટિસ, 2 દિવસમાં માંગ્યો જવાબ

Breaking News, Politics
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જી હાલમાં જ કલકત્તા હાઈકોર્ટમાં વકીલના ગણવેશમાં જોવા મળ્યા હતા. આ ઘટના બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ તેમના પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકેના સ્ટેટસ અંગે તપાસ શરૂ કરી દીધી છે. શું છે વિવાદનું મુખ્ય કારણ? મમતા બેનર્જીએ 1980 ના દાયકાના અંતમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી. જોકે, ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી જાહેર જીવનમાં રહ્યા અને સતત ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી. નિયમ મુજબ, જ્યારે કોઈ વકીલ કોઈ નફાકારક પદ અથવા જાહેર હોદ્દો સંભાળે ત્યારે તેમણે પોતાની પ્રેક્ટિસ સ્થગિત કરવાની જાણ કાઉન્સિલને કરવી પડે છે. મમતા બેનર્જીની કોર્ટમાં હાજરીએ સવાલ ઉભો કર્યો છે કે શું તેઓ હાલમાં કાયદેસર રીતે વકીલાત કરવા માટે પાત્ર છે? BCI એ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલ પાસે માંગ્યો જવાબ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ મામલે કડક વલણ અપનાવતા રાજ્ય બા...
West Bengal: મમતાનું કડક સ્ટેન્ડ, ‘હાર નથી માની, રાજીનામું નહીં આપું’

West Bengal: મમતાનું કડક સ્ટેન્ડ, ‘હાર નથી માની, રાજીનામું નહીં આપું’

Breaking News, Politics, What's Hot
વધુમાં આરોપ મૂક્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મળીને ટીએમસીને નિશાન બનાવી છે. તેમણે દાવો કર્યો કે તેમને કાઉન્ટિંગ સેન્ટર પર જવા માટે પણ રોકવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં તાજેતરના ચૂંટણી પરિણામોમાં હાર બાદ રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ હાર સ્વાભાવિક નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે. ટીએમસીના કાર્યકરો અને નેતાઓને દબાવવામાં આવ્યા મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચનો ઉપયોગ કરીને ભાજપે ચૂંટણીમાં પ્રભાવ પાડ્યો છે. તેમણે જણાવ્યું કે “અમે ચૂંટણી હાર્યા નથી, પરંતુ અમને હરાવવામાં આવ્યા છે.” તેમણે વધુમાં આરોપ મૂક્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મળીને ટીએમસીને નિશાન બનાવી છે. તેમણે દાવો કર્યો કે તેમને કાઉન્ટિંગ સેન...