નેશનલ / મોબાઇલ એલર્ટને લઈ મોટો નિર્ણય, હવે મધરાતે નહીં વાગે ઇમરજન્સી સાયરન
સરકારે સેલ બ્રોડકાસ્ટ સર્વિસને હાલ પુરતી સ્થગિત કરી દીધી છે. કેમ કે તાજેતરમાં ઘણા લોકોને મોડી રાત્રે તેમના ફોન પર ઇમરજન્સી એલર્ટ મળતી હતી. જેના કારણે તેની ટીકા થઈ રહી હતી.
જો તમે અડધી રાત્રે અચાનક તમારા ફોનમાં ઇમરજન્સી એલર્ટ રિંગથી પરેશાન છો તો તમારા માટે મહત્વના સમાચાર આવ્યા છે. કેમ કે, સરકારે સેલ બ્રોડકાસ્ટ સર્વિસ (CBS) ને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સલાહને અનુસરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ કે, તાજેતરમાં ઘણા લોકોને મોડી રાત્રે તેમના ફોન પર ઇમરજન્સી એલર્ટ મળતી હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા અને ટીકા થઈ રહી હતી. હાલમાં સેવાની ટેક્નિકલ અને ફંક્શનલ રીવ્યુ ચાલી રહી છે. જેને ફરીથી શરૂ કરવાની શક્યતા છે.
ટેક્નિકલ રીવ્યુ માટે સર્વિસ સ્થગિત
રિપોર્ટ મુજબ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ની ભલામણ બાદ સેલ બ્રોડકાસ્ટ સેવાને ...









