Sunday, August 16News That Matters

Breaking News

ગુજરાત / તમે જે પનીર ખાઓ છો તે અસલી છે કે નકલી? ઘેર બેઠા આ સરળ રીતથી કરો ઓળખ

ગુજરાત / તમે જે પનીર ખાઓ છો તે અસલી છે કે નકલી? ઘેર બેઠા આ સરળ રીતથી કરો ઓળખ

Breaking News
Analogue Paneer: એનાલોગ પનીર તે એક પનીરનો એક વિકલ્પ છે, જે દેખાવ, ટેક્સચર અને સ્વાદમાં સામાન્ય પનીર જેવો લાગે છે, પરંતુ તે હંમેશા કુદરતી દૂધમાંથી બનાવવામાં આવતું નથી. તે સામાન્ય રીતે સોયા પ્રોટીન, ટોફુ અથવા અન્ય પ્લાન્ટ બેસ્ડ પ્રોડક્ટમાંથી તૈયાર કરવામાં આવે છે 1. શું એનાલોગ પનીર છે? એનાલોગ પનીર એ પરંપરાગત પનીરનો એક વિકલ્પ છે, જે દેખાવ, ટેક્સચર અને સ્વાદમાં સામાન્ય પનીર જેવો લાગે છે, પરંતુ તે હંમેશા કુદરતી દૂધમાંથી બનાવવામાં આવતું નથી. તે સામાન્ય રીતે સોયા પ્રોટીન, ટોફુ અથવા અન્ય પ્લાન્ટ બેસ્ડ પ્રોડક્ટમાંથી તૈયાર કરવામાં આવે છે. ખાસ પ્રક્રિયા દ્વારા તેને પનીર જેવી રચના અને સ્વાદ આપવામાં આવે છે, જેથી તે વિગન અને શાકાહારી લોકો માટે એક સારો વિકલ્પ બની શકે. કેટલાક પ્રકારના એનાલોગ પનીરમાં પામ ઓઇલ, સ્ટાર્ચ અને અન્ય ફૂડ એડિટિવ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો રિયલ એનાલોગ હોય તો તેના ફાયદા...
અમદાવાદ / SG હાઇવે પર વધી રહી છે અકસ્માતોની ચિંતા, 1 કિમી વિસ્તાર જાહેર થયો બ્લેક સ્પોટ

અમદાવાદ / SG હાઇવે પર વધી રહી છે અકસ્માતોની ચિંતા, 1 કિમી વિસ્તાર જાહેર થયો બ્લેક સ્પોટ

Breaking News
અમદાવાદના વ્યસ્ત એસ.જી. હાઇવે પરનો એક ભાગ હાલમાં વાહનચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે. બ્લેક સ્પોટ જાહેર થયા બાદ પણ જરૂરી સુરક્ષા વ્યવસ્થાના અભાવે અકસ્માતનો ખતરો યથાવત્ હોવાનું સામે આવ્યું છે અમદાવાદના S.G. હાઇવે પરનો લગભગ એક કિલોમીટરનો રસ્તો બ્લેક સ્પોટ તરીકે ઓળખાઈ રહ્યો છે. રોડ સેફ્ટી ઓથોરિટીના આંકડા અને સ્થળ પરની સ્થિતિ બંને દર્શાવે છે કે આ વિસ્તાર વાહનચાલકો માટે જોખમી બની ગયો છે. જોકે આ વિસ્તારને બ્લેક સ્પોટ તરીકે ઓળખવામાં આવ્યો હોવા છતાં અહીં ક્યાંય યોગ્ય વોર્નિંગ સાઇન જોવા મળતા નથી, જેના કારણે અકસ્માતની શક્યતા વધુ વધી રહી છે. ટર્નિંગ મીરર (રિફ્લેક્ટિંગ શીટ) પણ તૂટેલી હાલતમાં મળતી માહિતી મુજબ S.G. હાઇવે પર મૂકવામાં આવેલા ટર્નિંગ મીરર (રિફ્લેક્ટિંગ શીટ) પણ તૂટેલી હાલતમાં છે. સામાન્ય રીતે આવા મીરર વાહનચાલકોને આગળના વળાંક અને સામે આવતા વાહનો અંગે અગાઉથી જાણકારી આપવામાં મદદરૂ...
સિલિન્ડરનું સત્ય / અમદાવાદમાં ગેસ ચોરીનો મોટો ખેલ? બંધ દરવાજા પાછળ ચાલે છે કાળાબજારી

સિલિન્ડરનું સત્ય / અમદાવાદમાં ગેસ ચોરીનો મોટો ખેલ? બંધ દરવાજા પાછળ ચાલે છે કાળાબજારી

Breaking News
Ahmedabad News: અમદાવાદમાં ગીતામંદિર વિસ્તારમાં આવેલી ગો ગેસ એજન્સીમાં લાગેલી આગ શરૂઆતમાં સામાન્ય દુર્ઘટના જણાતી હતી, પરંતુ જેમ જેમ ઘટનાની વિગતો સામે આવતી ગઈ તેમ તેમ નવી જ વાત નીકળી. Ahmedabad News: અમદાવાદમાં ગીતામંદિર વિસ્તારમાં આવેલી ગો ગેસ એજન્સીમાં લાગેલી આગ શરૂઆતમાં સામાન્ય દુર્ઘટના જણાતી હતી, પરંતુ જેમ જેમ ઘટનાની વિગતો સામે આવતી ગઈ તેમ તેમ નવી જ વાત નીકળી. એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે શહેરમાં અનેક જગ્યાએ ગેસ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે. અમદાવાદીઓના ઘરે જ્યારે ગેસ સિલિન્ડર આવે છે ત્યારે તેમને વિશ્વાસ હોય છે, પરંતુ તે વાતથી તેઓ અજાણ છે કે તેમની સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. ગ્રાહકોને પહોંચાડવામાં આવતાં કેટલાંક ઘરેલુ સિલિન્ડરમાંથી થોડો થોડો ગેસ કાઢી લેવામાં આવે છે. એક સિલિન્ડરમાંથી બહુ ઓછો ગેસ કાઢવામાં આવતો હોવાથી ગ્રાહકને વજનમાં ખાસ તફાવતનો અંદાજ આવતો નથી, પરંતુ જ્યારે આવાં અને...
હવામાન / ‘ગોડ્ઝીલા’ અલનીનો ફરી સક્રિય થશે? વરસાદને લઈને નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

હવામાન / ‘ગોડ્ઝીલા’ અલનીનો ફરી સક્રિય થશે? વરસાદને લઈને નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

Breaking News
વિશ્વભરમાં બદલાતા હવામાન વચ્ચે હવે 'અલ નીનો' ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહિનામાં અલ નીનો વધુ શક્તિશાળી બની શકે છે, જેના કારણે ભારતના ચોમાસા પર પણ અસર થવાની શક્યતા છે. જો આ પ્રણાલી વધુ પ્રબળ બનશે તો વરસાદનું પ્રમાણ ઘટી શકે છે અને ખેડૂતો સહિત સામાન્ય લોકોની ચિંતા વધી શકે છે. લોકોને ચિંતામાં મૂકતી એક મોટી હવામાન ઘટના ફરી ચર્ચામાં આવી છે. દુનિયાભરના ઘણા દેશોમાં ક્યાંક ભારે ગરમી તો ક્યાંક આંધી-તોફાન અને અતિશય વરસાદ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભારતમાં પણ ચોમાસાની ગતિ ધીમી પડતાં ખેડૂતો સહિત સામાન્ય લોકોમાં ચિંતા વધી છે. આ વચ્ચે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે સપ્ટેમ્બર મહિનામાં 'અલ નીનો' નામની હવામાન પ્રણાલી વધુ શક્તિશાળી બની શકે છે, જેને કેટલાક હવામાન નિષ્ણાતો 'ગોડઝિલા અલ નીનો' તરીકે પણ ઓળખાવી રહ્યા છે. વિશ્વભરમાં બદલાતા હવામાન વચ્ચે હવે 'અલ ...
નેશનલ / કોલકાતામાં ઈન્ડિગોની ફ્લાઈટ પર આકાશી આફત, વીજળી પડતાં 141 મુસાફરોના જીવ બચ્યા

નેશનલ / કોલકાતામાં ઈન્ડિગોની ફ્લાઈટ પર આકાશી આફત, વીજળી પડતાં 141 મુસાફરોના જીવ બચ્યા

Breaking News
Kolkata Airport: કોલકાતા એરપોર્ટ પર વાવાઝોડા દરમિયાન ઈન્ડિગોની ફ્લાઈટ પર વીજળી પડી છે. ત્યારબાદ 141 મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી, તપાસ કરીને બીજી ફ્લાઈટ દ્વારા મોકલવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી શુક્રવારે અગરતલા જતી ઈન્ડિગોની ફ્લાઈટ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવી હતી ત્યારે ભારે વાવાઝોડા દરમિયાન વીજળી પડી, જેની ચપેટમાં ફ્લાઈટ આવી ગઇ હતી. સલામતીની સાવચેતી રાખીને મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા અને જરૂરી તપાસ કરવામાં આવી. વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી. સમાચાર એજન્સી અનુસાર સાવચેતી તરીકે બે ગ્રાઉન્ડ વર્કર્સને તબીબી સુવિધાઓમાં લઈ જવામાં આવ્યા. સૂત્રો કહે છે કે કોઈ ઈજા થઈ નથી. સમાચાર એજન્સી અનુસાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે કોલકાતા એરપોર્ટ પર તોફાન દરમિયાન અગરતલા જતી ઈન્ડિગોની ફ્લાઈટ પર વીજળી પડી. શું...
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની નવી પહેલ, “પ્રતિરક્ષા” સોફ્ટવેરથી ભાડુઆત વેરિફિકેશન થશે સરળ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની નવી પહેલ, “પ્રતિરક્ષા” સોફ્ટવેરથી ભાડુઆત વેરિફિકેશન થશે સરળ

Breaking News
Ahmedabad Police Pratiraksha Software : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું ટેક્નોલોજી આધારિત મોટું પગલું : “પ્રતિરક્ષા” સોફ્ટવેરથી વધશે શહેરની સુરક્ષા, ડિજિટલ યુગમાં સુરક્ષા વ્યવસ્થાને મળશે નવી દિશા Ahmedabad Police Pratiraksha Software : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે એક આધુનિક ડિજિટલ સોફ્ટવેર “પ્રતિરક્ષા” વિકસાવ્યું છે. આ નવી સિસ્ટમ દ્વારા ભાડુઆતો, ઘરઘાટીઓ, કર્મચારીઓ અને અન્ય વ્યક્તિઓની ઓળખ તથા દસ્તાવેજોની ચકાસણી હવે વધુ ઝડપી અને અસરકારક રીતે કરી શકાશે. પોલીસ વિભાગનું માનવું છે કે આ ટેક્નોલોજી આધારિત પહેલ ગુનાખોરી સામેની લડતમાં મહત્વપૂર્ણ સાબિત થશે. ભાડુઆત અને કર્મચારીઓનું વેરિફિકેશન બનશે સરળ શહેરમાં રહેવા આવતા ભાડુઆતો, ઘરઘાટીઓ અને વિવિધ સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓની માહિતી ચકાસવાની પ્રક્રિયા લાંબા સમયથી પડકારરૂપ રહી છે. “પ્રતિરક્ષા” સોફ્ટવેરના ઉપયોગથી આધા...
ગુજરાત / અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં તંત્રની મોટી કાર્યવાહી, 162 કર્મચારીઓના ટ્રાન્સફર

ગુજરાત / અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં તંત્રની મોટી કાર્યવાહી, 162 કર્મચારીઓના ટ્રાન્સફર

Breaking News
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા (SP) ઓમ પ્રકાશ જાટ દ્વારા વહીવટી સુગમતા અને કાયદો-વ્યવસ્થાને વધુ ચુસ્ત બનાવવાના હેતુથી એક નવો સપાટો બોલાવવામાં આવ્યો છે. તેમણે તાત્કાલિક અસરથી જિલ્લાના ૧૬૨ પોલીસ કર્મચારીઓની સામૂહિક આંતરિક બદલીના આદેશો કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ પ્રશાસનમાંથી આ વહીવટી વર્ષના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ લોકાભિમુખ, ચુસ્ત અને મજબૂત બનાવવાના આશય સાથે પોલીસ તંત્રમાં એક સામૂહિક બદલીઓનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા (SP) ઓમ પ્રકાશ જાટ દ્વારા વહીવટી સુગમતાને સર્વોચ્ચ અગ્રતા આપીને તાકીદની અસરે એકસાથે 162 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યા છે. એક જ ઝાટકે આટલી મોટી સંખ્યામાં થયેલા ફેરફારને પગલે સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં અને વિવિધ પોલીસ મથકોમાં ભારે ફફડ...
નેશનલ / ટેલિગ્રામ પર કેન્દ્રનો મોટો આરોપ, હાઈકોર્ટમાં કહ્યું- આતંકી ગતિવિધિઓનું બની રહ્યું છે કેન્દ્ર

નેશનલ / ટેલિગ્રામ પર કેન્દ્રનો મોટો આરોપ, હાઈકોર્ટમાં કહ્યું- આતંકી ગતિવિધિઓનું બની રહ્યું છે કેન્દ્ર

Breaking News
Telegram: સરકારે કોર્ટમાં જણાવ્યું કે ટેલિગ્રામ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે સૌથી સરળ અને સૌથી અનુકૂળ પ્લેટફોર્મ બની ગયું છે. પેપર લીક થવાની આશંકાને કારણે NEET પરીક્ષાના એક અઠવાડિયા પહેલા ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ એપ દ્વારા કોર્ટમાં આ બાબતને પડકારવામાં આવી છે. દરમિયાન સરકારે જણાવ્યું છે કે આ એપનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થાય છે. ભારત સરકારે તાજેતરમાં સુરક્ષિત મેસેજિંગ એપ ટેલિગ્રામ પર એક અઠવાડિયા માટે પ્રતિબંધ મૂક્યો હતો. ટેલિગ્રામે પણ આ બાબતને કોર્ટમાં પડકારી છે. ટેલિગ્રામને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. સરકારે કોર્ટમાં જણાવ્યું છે કે ટેલિગ્રામ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે સૌથી સરળ અને સૌથી અનુકૂળ પ્લેટફોર્મ બની ગયું છે. સુનાવણી પહેલાં સોલિસિટર જનરલે કોર્ટને માહિતી આપી હતી કે આ કેસમાં કોર્ટ રજિસ્ટ્રીમાં વિગતવાર જવાબ ...
BREAKING / ગોમતી ઘાટ પર હવે નહીં કરી શકાય આ બે કામ, અકસ્માત બાદ તંત્રનો કડક નિર્ણય

BREAKING / ગોમતી ઘાટ પર હવે નહીં કરી શકાય આ બે કામ, અકસ્માત બાદ તંત્રનો કડક નિર્ણય

Breaking News
દ્વારકાના ગોમતી ઘાટ પર જતાં પ્રવાસીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે. ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ પોલીસ અને ફાયર વિભાગે ઘાટ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. દ્વારકાના પ્રસિદ્ધ ગોમતી ઘાટ પર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવર-જવર તેમજ સ્નાન કરવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વૃદ્ધ વ્યક્તિ દરિયામાં તણાઈ જવાનો વીડિયો વાયરલ થયો હતો ગત રોજ એક વૃદ્ધ વ્યક્તિ દરિયામાં તણાઈ જવાના ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને સ્થાનિક તંત્ર, પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. દરિયામાં હાલ ઊંચા મોજાં ઉછળી રહ્યા હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ચુસ્ત બંદોબસ્ત ગોઠ...
કાયદો-વ્યવસ્થાને પડકાર / શેત્રુંજય ગેટ પાસે યુવકની હત્યા, શહેરમાં ચુસ્ત બંદોબસ્ત

કાયદો-વ્યવસ્થાને પડકાર / શેત્રુંજય ગેટ પાસે યુવકની હત્યા, શહેરમાં ચુસ્ત બંદોબસ્ત

Breaking News
પાલીતાણા શહેરમાં શેત્રુંજય ગેટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં યુવક પર છરી વડે હુમલો કરાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં પોલીસે તપાસ શરૂ કરી છે. પાલીતાણા શહેરમાં ક્ષણિક આવેશમાં આવીને કાયદો હાથમાં લેવાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના પ્રખ્યાત અને વ્યસ્ત ગણાતા શેત્રુંજય ગેટ વિસ્તારમાં બે જૂથો વચ્ચે સરાજાહેર ખેલાયેલા લોહીયાળ જંગમાં એક યુવકે પોતાની જિંદગી ગુમાવવી પડી છે. આ આકસ્મિક હત્યાકાંડના પગલે પંથકના સ્થાનિક રહીશોમાં ભય અને શોકનો માહોલ વ્યાપી ગયો છે. સામાન્ય બોલાચાલીથી શરૂ થયો ખૂની ખેલ પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ, શેત્રુંજય ગેટ પાસે એક જ કોમના બે અલગ-અલગ જૂથના યુવકો એકઠા થયા હતા. કોઈ સામાન્ય અને ક્ષુલ્લક બાબતે બંને પક્ષો વચ્ચે તુતુ-મેમે શરૂ થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને જૂથો લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો સાથે સામસ...