‘રાઈટ ટુ રિકોલ’ શું છે? જેની રાઘવ ચઢ્ઢાએ સંસદમાં માંગ કરી; જાણો કયા દેશોમાં જનતા પાસે છે આ પાવર
રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં ‘રાઇટ ટુ રિકોલ’ (Right to Recall) વિષય ઉઠાવતા રાજકીય અને જાહેર ચર્ચા ફરી તેજ બની છે. આ વિચારનો મૂળ હેતુ મતદાતાઓને વધુ સશક્ત બનાવવાનો છે, જેથી તેઓ માત્ર પોતાના પ્રતિનિધિને પસંદ જ ન કરે, પરંતુ કામથી અસંતોષ હોય તો નિર્ધારિત પ્રક્રિયા દ્વારા કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં તેને પદ પરથી હટાવી પણ શકે.
આ લેખમાં ‘રાઇટ ટુ રિકોલ’ શું છે, તેની જરૂરિયાત શું માનવામાં આવે છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને દુનિયાના કયા દેશોમાં આ વ્યવસ્થા અમલમાં છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
‘રાઇટ ટુ રિકોલ’ શું છે?
સરળ ભાષામાં કહીએ તો ‘રાઇટ ટુ રિકોલ’ એટલે મતદાતાઓને મળેલું એવું લોકશાહી અધિકાર, જેના દ્વારા તેઓ પોતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિને કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં પદ પરથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
જો મતદાતાઓને લાગે કે તેમનો પ્રતિનિધિ વ...








