Wednesday, June 17News That Matters

What’s Hot

વડોદરા / મહીસાગર નદીમાં કરુણ દુર્ઘટના, મિત્રો સાથે નાહવા ગયેલો યુવક ડૂબ્યો

વડોદરા / મહીસાગર નદીમાં કરુણ દુર્ઘટના, મિત્રો સાથે નાહવા ગયેલો યુવક ડૂબ્યો

What's Hot
મહીસાગર નદીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. નદીમાં નાહવા કે અન્ય કારણસર ગયેલો એક યુવક અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની માહિતી મળી છે. વડોદરા જિલ્લામાંથી એક ચિંતાજનક અને દુઃખદ ઘટના સામે આવી છે. સાવલી તાલુકાના લાછનપુર ગામ નજીક વહેતી મહીસાગર નદીમાં એક યુવક ડૂબી જતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. મિત્રો સાથે નદીમાં નાહવા ગયેલો યુવક અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવકની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો સાથે મહીસાગર નદીમાં નાહવા માટે આવ્યો મળતી માહિતી મુજબ મુકેશ નામનો યુવક પોતાના મિત્રો સાથે મહીસાગર નદીમાં નાહવા માટે આવ્યો હતો. ઉનાળાની ગરમી અને રજાના દિવસોને કારણે યુવાનો નદીમાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. દરમિયાન મુ...
અમદાવાદ પ્લેન ક્રેશ / દુર્ઘટનામાં તૂટી પડ્યાં 15 પરિવારોના સપના, સ્વજનોની ચીજવસ્તુઓ પણ ન લઈ શક્યાં

અમદાવાદ પ્લેન ક્રેશ / દુર્ઘટનામાં તૂટી પડ્યાં 15 પરિવારોના સપના, સ્વજનોની ચીજવસ્તુઓ પણ ન લઈ શક્યાં

Breaking News, What's Hot
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાનું વિમાનને અકસ્માત થયાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આજે પણ અનેક પરિવારજનોએ તેમના સ્વજનોની મળેલી વ્યક્તિગત ચીજ વસ્તુઓ હજુ પણ લીધી નથી. અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-171ના ભયાનક વિમાન અકસ્માતને એક વર્ષ વીતી ગયું હોવા છતાં અનેક પરિવારો માટે દુઃખની એ પીડા આજે પણ તાજી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨૪૧ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી ૧૫ પરિવારો એવા છે, જેમણે પોતાનાં સ્વજનોની મળેલી વ્યક્તિગત ચીજવસ્તુઓ પાછી લેવાનો ઇનકાર કરી દીધો હતો. એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ અકસ્માત સ્થળેથી કુલ આશરે ૨૨ હજાર વસ્તુઓ મળી આવી હતી, તેમાંથી લગભગ આઠ હજાર વસ્તુઓ-જેમ કે કપડાં, પાસપોર્ટ, વોલેટ, દસ્તાવેજો, તસવીરો અને અન્ય સામાન સંબંધિત વ્યક્તિઓ સાથે ઓળખી શકાય તેવી હતી. આ ચીજવસ્તુઓ પરત આપવા માટે અમદાવાદમાં વિશેષ ‘ફેમિલી રિટર્ન્સ સેન્ટર’ (FRC) શરૂ કરવામાં આવ્યું હતું...
આનંદો / સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે પે કમિશનને આપી લીલી ઝંડી

આનંદો / સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે પે કમિશનને આપી લીલી ઝંડી

What's Hot
પશ્ચિમ બંગાળની નવી રચાયેલી સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને એક મોટી અને ઐતિહાસિક ભેટ આપી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી નવી સરકારની બીજી કેબિનેટ બેઠકમાં 7th નાણાં પંચ (7th Pay Commission) ના ગઠનને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. સોમવારે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની આગેવાની હેઠળ યોજાયેલી નવી કેબિનેટની બીજી મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના લાખો સરકારી કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બંગાળમાં લાંબા સમયથી પડતર માંગણી સમાન 7th નાણાં પંચના ગઠનને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. ભાજપે વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પોતાના સંકલ્પ પત્રમાં વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો રાજ્ય કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવશે. આ વચનને અમલમ...
નેશનલ / વિદેશ પ્રવાસ પર નવા ટેક્સની ચર્ચા વચ્ચે PM મોદીએ તોડી ચુપ્પી, અફવાઓ પર આપ્યો સ્પષ્ટ જવાબ

નેશનલ / વિદેશ પ્રવાસ પર નવા ટેક્સની ચર્ચા વચ્ચે PM મોદીએ તોડી ચુપ્પી, અફવાઓ પર આપ્યો સ્પષ્ટ જવાબ

What's Hot
Foreign Travel Tax Rumor: એક અહેવાલમાં વિદેશ યાત્રા પર ટેક્સ, સેસ અથવા સરચાર્જ લગાવવાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે સરકાર વિદેશ પ્રવાસ કરનારા નાગરિકો પર વધારાનો આર્થિક બોજ નાખવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. જોકે, આ અહેવાલો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ પીએમ મોદીએ પોતે સામે આવીને આ તમામ સમાચારોને સદંતર ખોટા ગણાવ્યા છે. પીએમના સત્તાવાર ખુલાસા બાદ સંબંધિત ન્યૂઝ ચેનલે ખેદ વ્યક્ત કરીને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને આ સમાચારને પોતાની વેબસાઇટ પરથી હટાવી દીધી હતી. વાઇરલ અહેવાલમાં શું દાવો કરવામાં આવ્યો હતો? આ અહેવાલમાં દાવો કરાયો હતો કે આ પ્રસ્તાવ પર સરકારમાં ઉચ્ચ સ્તરે ચર્ચા ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની વધતી કિંમતો, આયાત ખર્ચ અને વૈશ્વિક યુદ્ધની સ્થિતિના કારણે ઊભા થયેલા આર્થિક દબાણને પહોંચી વળવા માટે આ ટેક્સ હંગામી ધોરણે લાગુ થઈ શકે...
BIG NEWS / પેટ્રોલ-ડીઝલ પછી હવે CNGના ભાવમાં પણ વધારો, આજથી લાગુ થયા નવા રેટ

BIG NEWS / પેટ્રોલ-ડીઝલ પછી હવે CNGના ભાવમાં પણ વધારો, આજથી લાગુ થયા નવા રેટ

Breaking News, LifeStyle, What's Hot
પેટ્રોલ અને ડીઝલ પછી, દિલ્હીમાં સીએનજી પણ મોંઘુ થયું છે. પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે હવે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પણ વધારો થતાં સામાન્ય લોકોના ખર્ચમાં વધુ વધારો થવાનો છે. 15 મેની વહેલી સવારે દેશની જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો, કારણ કે દિલ્હીમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા દર પ્રમાણે હવે દિલ્હીમાં સીએનજી ₹79.09 પ્રતિ કિલોના ભાવે મળશે. આ પહેલાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. સતત વધી રહેલા ઇંધણના ભાવોના કારણે વાહનચાલકો, ટેક્સી-ઓટો ડ્રાઇવરો તેમજ રોજિંદા મુસાફરી કરતા લોકોના બજેટ પર સીધી અસર પડશે. ખાસ કરીને સીએનજી વાહનોનો ઉપયોગ કરતા લોકો માટે હવે મુસાફરી ખર્ચ વધુ વધી શકે છે. મુંબઈમાં પણ સીએનજીના ભાવમાં વધાર...
Gold Price Today / પેટ્રોલ-ડીઝલમાં વધારા વચ્ચે સોના-ચાંદીના ભાવમાં પણ હલચલ, જાણો આજના લેટેસ્ટ રેટ

Gold Price Today / પેટ્રોલ-ડીઝલમાં વધારા વચ્ચે સોના-ચાંદીના ભાવમાં પણ હલચલ, જાણો આજના લેટેસ્ટ રેટ

Breaking News, Business, LifeStyle, What's Hot
સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનાનો ભાવ લગભગ ₹1,500 જેટલો ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે ચાંદીમાં લગભગ ₹10,300નો મોટો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું અને ચાંદી બંનેના ભાવ નબળા રહ્યા છે. ઈમ્પોર્ટ ડ્યુટી વધ્યા બાદ પહેલાં ભાવમાં વધારો થયો હતો, પરંતુ હવે ઊંચા ભાવના કારણે માંગ ઘટી રહી છે, જેના કારણે કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ ₹1,500 ઘટીને ₹1,60,530 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ પણ ₹10,300 ઘટીને ₹2,80,805 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ઇમ્પોર્ટ ડ્યુટી વધ્યા બાદ પહેલા સોનાના ભાવમાં સતત બે દિવસ સુધી વધારો જોવા મળ્યો હતો, પરંતુ 14 અને 15 મેના રોજ ફરી ભાવ નીચે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધ...
BREAKING / NEET પરીક્ષાની નવી તારીખ જાહેર, વિદ્યાર્થીઓની રાહનો અંત, આ દિવસે થશે એક્ઝામ!

BREAKING / NEET પરીક્ષાની નવી તારીખ જાહેર, વિદ્યાર્થીઓની રાહનો અંત, આ દિવસે થશે એક્ઝામ!

Breaking News, What's Hot
NEET-UG 2026 પરીક્ષાની નવી તારીખ આખરે જાહેર કરવામાં આવી છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓમાં ચાલી રહેલી અનિશ્ચિતતા દૂર થઈ છે. પેપર લીક વિવાદ બાદ હવે પરીક્ષા 21 જૂન 2026, રવિવારના રોજ યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા NEET-UG 2026 પરીક્ષાને લઈને નવી તારીખ જાહેર કરવામાં આવી છે. હવે આ પરીક્ષા 21 જૂન 2026, રવિવારના દિવસે લેવામાં આવશે. પેપર લીકના ગંભીર આરોપો સામે આવ્યા બાદ અગાઉ લેવાયેલી પરીક્ષા રદ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી, જેના કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ચિંતા અને અનિશ્ચિતતા ફેલાઈ હતી. 3 મેના રોજ દેશભરમાં આશરે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ NEET-UG પરીક્ષા આપી હતી. પરંતુ ત્યારબાદ પેપર લીક થવાના આક્ષેપો સામે આવ્યા અને સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો. આ ઘટનાને કારણે પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા હતા. સ્થિતિ ગંભીર બનતાં સંબંધિત વિભાગોએ તપાસ શરૂ કરી...
નેશનલ / ક્રૂડ ઓઈલમાં ઉછાળો વચ્ચે એર ઈન્ડિયાનું મોટું પગલું, PM મોદીની અપીલ બાદ લીધો નિર્ણય

નેશનલ / ક્રૂડ ઓઈલમાં ઉછાળો વચ્ચે એર ઈન્ડિયાનું મોટું પગલું, PM મોદીની અપીલ બાદ લીધો નિર્ણય

Breaking News, What's Hot
ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને રૂપિયાના ઘટતા મૂલ્ય વચ્ચે એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સંખ્યામાં ઘટાડો કર્યો છે. વડાપ્રધાન મોદીની વિદેશ પ્રવાસ ઘટાડવાની અપીલ અને તેલના ભાવ પ્રતિ બેરલ 107 ડોલર સુધી પહોંચતા એરલાઈન્સે હવે દર મહિને 1,200 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ચલાવવાનો નિર્ણય લીધો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવ અને ભારતીય અર્થતંત્ર પર વધી રહેલા દબાણને જોતા એર ઈન્ડિયાએ (Air India) તેના આંતરરાષ્ટ્રીય કામગીરીમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. એરલાઈન્સે અનેક રૂટો પર ફ્લાઈટ્સની સંખ્યામાં એડજસ્ટમેન્ટ કર્યું છે, જેનો સીધો સંબંધ વધતા સંચાલન ખર્ચ અને રાષ્ટ્રીય હિતો સાથે જોડાયેલો છે. PM મોદીની અપીલ અને અર્થતંત્રની સ્થિતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અને વિદેશ પ્રવાસોમાં ઘટાડો કરવા અપીલ કરી હતી. આ અપીલ પાછળનું મુખ્ય કારણ ભારતીય રૂપિય...
નેશનલ / પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થવાના સંકેત? RBI ગવર્નરના નિવેદનથી વધેલી ચર્ચા

નેશનલ / પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થવાના સંકેત? RBI ગવર્નરના નિવેદનથી વધેલી ચર્ચા

Breaking News, LifeStyle, What's Hot
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના મતે, જો પશ્ચિમ એશિયામાં સંઘર્ષ લંબાય તો ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે છે. આનાથી ચિંતા વધી છે કે ભારતમાં ઈંધણ વધુ મોંઘુ થઈ શકે છે અને મોંઘવારી વધી શકે છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ વૈશ્વિક અર્થતંત્ર અને ભારતની સ્થાનિક પરિસ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો લાવી શકે છે, જેની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પડશે. વૈશ્વિક અસ્થિરતા અને તેલનો પૂરવઠો મીડિયા રિપોર્ટ અનુસાર, ગવર્નર મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી હતી કે પશ્ચિમ એશિયા ક્ષેત્ર વૈશ્વિક તેલ પુરવઠા માટેનું એક મુખ્ય કેન્દ્ર છે. આ ક્ષેત્રમાં ચાલુ તણાવ અથવા યુદ્ધની સ્થિતિ સીધી રીતે પુરવઠા શૃંખલાઓને વિક્ષેપિત કરે છે. ભારત તેની ઉર્જા જરૂરિય...
ઓટો / ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે ખુશખબર, સરકારના નવા નિર્ણયથી મળશે મોટો લાભ; જાણો વિગત

ઓટો / ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે ખુશખબર, સરકારના નવા નિર્ણયથી મળશે મોટો લાભ; જાણો વિગત

Breaking News, Business, LifeStyle, Technology, What's Hot
ઇલેક્ટ્રિક વાહનોની ડીમાંડ વધી રહી છે પણ રેન્જની ચિંતાનો પણ પડકાર છે. આથી ઇલેક્ટ્રિક મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દેશભરમાં 4874 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો બનાવશે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી છે પરંતુ તેની સામે પડકારો હજુ પણ છે. ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 5.77% સુધી પહોંચી ગયો છે. પણ રેન્જની ચિંતા હજુ પણ દૂર થઈ નથી. આ સ્થિતિમાં સરકારે એક મોટો નિર્ણય લીધો છે જે EV કાર માલિકોની મોટી ચિંતાને દૂર કરશે. ભારતમાં ઇલેક્ટ્રિક મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે હેવી ઇન્ડસ્ટ્રી મંત્રાલયે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. જેમાં મંત્રાલય દેશભરમાં 4,874 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરશે. સરકાર આ પ્રોજેક્ટ પર 503.86 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ પ્રોજેક્ટ PM e-Drive યોજનાનો એક હિસ્સો છે. આ અંગે કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ ...