Tuesday, February 17News That Matters

Uncategorized

UPSCએ નિયમોમાં કર્યા મોટા ફેરફાર, IAS-IFS વારંવાર નહીં આપી શકે પરીક્ષા

UPSCએ નિયમોમાં કર્યા મોટા ફેરફાર, IAS-IFS વારંવાર નહીં આપી શકે પરીક્ષા

Breaking News, LifeStyle, Uncategorized, What's Hot
UPSC: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 4 ફેબ્રુઆરી 2026ના રોજ સિવિલ સર્વિસિસ એક્ઝામિનેશન (સીએસઈ) માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વર્ષે કમિશને સેવા ફાળવણી અને ડિજિટલ સુરક્ષા સંબંધિત ઘણા મહત્વપૂર્ણ અને મોટા ફેરફારો કર્યા છે. આઈપીએસ માટેના નિયમો વધુ સ્પષ્ટ અને કડક બનાવવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવારને પહેલેથી જ આઇપીએસ માટે પસંદ કરવામાં આવ્યો છે, તો તે CSE 2026 દ્વારા ફરીથી આઈપીએસ પસંદ કરી શકતો નથી. આ સિવાય જો તમે IAS અને IFS અધિકારીઓનું કામ કરી રહ્યા છો, તો હવે તમે આ પરીક્ષામાં હાજર રહી શકશો નહીં. જો મુખ્ય પરીક્ષા પહેલાં આ સેવાઓમાં ઉમેદવારની નિમણૂક કરવામાં આવે છે, તો તેમને મુખ્ય પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જે ઉમેદવારો CSE 2025 અથવા અગાઉ કોઈ સેવામાં હાજર થયા છે તેમને 2026 અથવા 2027 માં તેમના બાકીના પ્રયત્નોનો ઉપયોગ કરવા માટે છેલ્લી તક (રાજીનામુ આપ્યા વગર) આપવામાં આવી છે...
જૂનાગઢ / 6 વર્ષના માસૂમ પર એકસાથે 5 શ્વાન તૂટી પડ્યાં, ગ્રામજનો વિફર્યાં

જૂનાગઢ / 6 વર્ષના માસૂમ પર એકસાથે 5 શ્વાન તૂટી પડ્યાં, ગ્રામજનો વિફર્યાં

Breaking News, Uncategorized, What's Hot
Junagadh Stray Dogs: જૂનાગઢના બિલખા ગામે રખડતાં શ્વાનના આતંકની ઘટના સામે આવી છે, અહીં પાંચ જેટલા રખડતાં શ્વાને 6 વર્ષીય બાળકને બચકાં ભરીને ઇજા પહોંચાડી. જૂનાગઢના બિલખા ગામમાં રખડતા શ્વાનોએ એક નાના બાળક પર હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. પાંચ જેટલા શ્વાને માત્ર 6 વર્ષના બાળકને બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ગામમાં રખડતા શ્વાનના આતંકને લઈને લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. 5 જેટલા શ્વાને બાળકને ભર્યાં બચકાં માહિતી પ્રમાણે, અચાનક પાંચ જેટલા રખડતા શ્વાનોએ બાળક પર હુમલો કરી દીધો. શ્વાનોએ બાળકને ખતરનાક રીતે બચકાં ભરીને બાળકને ઘાયલ કરી દીધું. પરિવારજનોની બૂમોથી શ્વાન ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકને કરાયો દાખલ ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક બિલખા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર ...
ગુનો / ‘મારી સાથે વાત કેમ નથી કરતી’ અમદાવાદમાં યુવાને પરણિતાને ઝીંક્યા છરીના ઘા, બેકરીમાં બની ઘટના

ગુનો / ‘મારી સાથે વાત કેમ નથી કરતી’ અમદાવાદમાં યુવાને પરણિતાને ઝીંક્યા છરીના ઘા, બેકરીમાં બની ઘટના

Breaking News, Uncategorized, What's Hot
Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક તરફ પ્રેમમાં પ્રેમીએ પ્રેમિકા પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. Ahmedabad Baherampura News: ઘણીવાર એક તરફ પ્રેમમાં માણસ એટલી હદે જનૂની બની જાય છે કે તે કશું પણ કરી બેસે છે. આવી જ એક ઘટના અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બની છે. જ્યાં એક તરફી પ્રેમમાં પ્રેમીએ તેની પ્રેમિકા પર ભર બજારમાં ચાકુ વડે ઘા મારીને હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે હાલ તે મહિલા અને તેના પરિવારજનોએ આ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ આ યુવતી બેહરામપુરા વિસ્તારમાં રહે છે. બહેરામપુરામાં રસુલ કડીયાની ચાલીમાં રહેતી આ યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રહીમ ઉર્ફે નોમાન લતીફ શેખ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવક પણ બહેરામપુરામાં જ રહે છે. વાત જાણે એમ છે કે આ મહિલાને લગ્ન શહેબાઝ નામના વ્યક્તિ સાથે થયા હતા જે બાદમાં બંને વચ્ચે મેનમેળ નહીં હોવાથી બંને અલગ પણ થઈ ગયા હતા. આ પછી...