Wednesday, June 17News That Matters

Travel

ગુજરાત / સાસણ ગીર અને ગિરનાર સફારી 4 મહિના માટે બંધ, વન વિભાગનો મોટો નિર્ણય

ગુજરાત / સાસણ ગીર અને ગિરનાર સફારી 4 મહિના માટે બંધ, વન વિભાગનો મોટો નિર્ણય

Travel
સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગે આજ સાંજથી બંને જંગલ સફારીને આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા અને એશિયાટિક સિંહોના દર્શન કરવા જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા આજ સાંજથી સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન પણ બંધ રહેશે. દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવતો આ નિર્ણય વન્યજીવોની સુરક્ષા, કુદરતી પ્રક્રિયાઓના સંરક્ષણ અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા વન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેતી હોવાથી સફારી માર્ગો...
નેશનલ / લંડનમાં ભારતીય મૂળના યુવકની હત્યાથી ખળભળાટ, 7 ઝડપાયા, 6ને મળી મુક્તિ

નેશનલ / લંડનમાં ભારતીય મૂળના યુવકની હત્યાથી ખળભળાટ, 7 ઝડપાયા, 6ને મળી મુક્તિ

Breaking News, Travel
લંડનમાં ૨૬ વર્ષીય ભારતીય મૂળના ગુરભેજ સિંહની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સાઉથોલ વિસ્તારમાં થયેલા હુમલા બાદ, મેટ્રોપોલિટન પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે સાત લોકોની અટકાયત કરી હતી, જેમાંથી છને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા છે. લંડનમાં ભારતીય મૂળના 26 વર્ષીય યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મેટ્રોપોલિટન પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસે સાક્ષીઓ અને સીસીટીવી ફૂટેજ ધરાવતા લોકોને આગળ આવવા અપીલ કરી છે. મૃતકની ઓળખ ગુરભેજ સિંહ તરીકે થઈ છે. સાઉથહોલ વિસ્તારમાં નોર્થ રોડ અને ડોર્મર્સ વેલ્સ લેનના જંકશન પાસે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 30 વર્ષનો બીજો એક વ્યક્તિ ઘાયલ થયો હોવાનું માનવામાં આવે છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને બાદમાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર, લંડન એમ્બ્યુલન્સ ...
મોરબી દુર્ઘટના : જૂના સાદુળકા પાસે ખાડામાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યા

મોરબી દુર્ઘટના : જૂના સાદુળકા પાસે ખાડામાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યા

Breaking News, LifeStyle, Travel, What's Hot
મોરબીના જૂના સાદુળકા ગામની સીમમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પાણીના ઊંડા ખાડામાં ન્હાવા પડેલા ત્રણ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા મોરબીના જૂના સાદુળકા ગામની સીમમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પાણીના ઊંડા ખાડામાં ન્હાવા પડેલા ત્રણ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબી શોધખોળ બાદ ફાયર વિભાગે ત્રણેયના મૃતદેહ શોધી કાઢ્યા છે. ન્હાવા ગયા ને કાળ ભેટ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના જૂના સાદુળકા વિસ્તારમાં પાણી ભરેલા એક મોટા અને ઊંડા ખાડામાં ત્રણ યુવાનો ન્હાવા માટે પડ્યા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ત્રણેય યુવાનો એકપછી એક ડૂબવા લાગ્યા હતા. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ ત્રણેય યુવાન...
અમદાવાદમાં સુરક્ષા માટે AI ટેક્નોલોજી, AMTS બસોમાં લાગશે સ્માર્ટ ડેશકેમ

અમદાવાદમાં સુરક્ષા માટે AI ટેક્નોલોજી, AMTS બસોમાં લાગશે સ્માર્ટ ડેશકેમ

Breaking News, LifeStyle, Technology, Travel, What's Hot
અમદાવાદ શહેરમાં ચાલતી એએમટીએસ બસોમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી મારફતે હવે આપોઆપ સમસ્યાઓ ઓળખશે. શહેરમાં હવે બસો માત્ર મુસાફરી માટે નહીં પણ 'ચાલતા સીસીટીવી કેમેરા' તરીકે કામ કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેક્નોલોજી આપોઆપ સમસ્યાઓ ઓળખશે તેમજ ગંદકી, ખાડા કે ટ્રાફિક ઉલ્લંધન માટે હવે ફરિયાદ કરવાની જરૂર નહીં પડે સિસ્ટમ પોતે જ નોંધશે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદ હવે ટેક્નોલોજીના ઉપયોગમાં એક નવું ડગલું માંડવા જઈ રહ્યું છે. શહેરના મ્યુનિસિપલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સુરક્ષા માટે સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ (SCADL) દ્વારા ૧,૦૦૦ એએમટીએસ અને અન્ય સરકારી વાહનો પર આધુનિક ‘એઆઈ આધારિત ડેશકેમ' લગાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. કેવી રીતે કામ કરશે આ 'સ્માર્ટ ડેશકેમ'? આ ડેશકેમ માત્ર સામાન્ય વિવિધ રૂટ પર ફરશે ત્યારે કેમેરા રસ્તા પરની ખામીઓ અને ટ્રાફિક નિયમોના ...
Ganga Expressway પર ટ્રક સાથે ટકરાઈ ડબલ ડેકર બસ, 30 લોકો થયા ઘાયલ

Ganga Expressway પર ટ્રક સાથે ટકરાઈ ડબલ ડેકર બસ, 30 લોકો થયા ઘાયલ

Breaking News, LifeStyle, Travel, What's Hot
સ્થાનિક માહિતી મુજબ કેટલાક ઘાયલોની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે અને હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગેલી છે. અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંગા એક્સપ્રેસવે પર છેલ્લા કેટલાક દિવસોમાં સતત માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. આજે સવારે ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં લુધિયાણાથી હરદોઈ જઈ રહેલી એક ડબલ ડેકર બસ એક ઉભેલા ટ્રક સાથે જોરદાર અથડાઈ ગઈ. આ અકસ્માતમાં લગભગ 30થી 35 મુસાફરો ઘાયલ થયા છે. હાલમાં તમામ ઘાયલોને તાત્કાલિક સંભલ જિલ્લાના બહુજોઈ સીએચસીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. ગંભીર રીતે ઘાયલ થયેલા દર્દીઓને વધુ સારવાર માટે બદાયૂં જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો સ્થાનિક માહિતી મુજબ કેટલાક ઘાયલોની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે અને હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લા...
ગુજરાતમાં ગરમીનો કહેર વધશે કે મળશે રાહત? જાણો હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાતમાં ગરમીનો કહેર વધશે કે મળશે રાહત? જાણો હવામાન વિભાગની નવી આગાહી

Breaking News, LifeStyle, Travel, What's Hot
Gujarat Weather: ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ગામડા વિસ્તારમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમરેલી, જૂનાગઢ જેવા વિસ્તારમાં ગરમી પહેલા એટલી પડતી ના હતી. પરંતુ હવે મહાનગરોની જેમ આ ગીરના વિસ્તારોમાં પણ ભારે ગરમી પડવા લાગી છે. આવો જાણીએ ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે ગુજરાતનું હવામાન. હવામાન વિભાગની તાજી આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ ગરમીમાં ખાસ રાહત મળવાની શક્યતા નથી. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને પાર જઈ રહ્યું છે, જેના કારણે દૈનિક જીવન પર પણ અસર પડી રહી છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ગરમીની તીવ્રતા વધતા હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઉકળાટ રહેશે. મોટા ભાગના વિસ્તારમાં 40થી 43 ડિગ્રી ...
દુઃખદ / રાજકોટના આજીડેમમાં 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, અન્ય એકની શોધખોળ ચાલું

દુઃખદ / રાજકોટના આજીડેમમાં 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, અન્ય એકની શોધખોળ ચાલું

Breaking News, LifeStyle, Politics, Travel, What's Hot
રાજકોટના આજીડેમમાં ચાર લોકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ સમાચાર લખાય છે ત્યાં સુધી મળવા પામ્યો નથી. રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં મંગળવારે એક દુઃખદ ઘટના બની હતી, જેમાં ચાર યુવકો ડૂબી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે મૃતકોના નામ ભરત જાદવ ધવલ જાદવ ધ્રુવ મકવાણા પોલીસ તેમજ ફાયર બ્રિગ્રેડે રેસ્ક્યું કામગીરી શરૂ કરી પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા યુવકો આજીડેમ ખાતે ગયા હતા. આ દરમિયાન તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગ્રેડ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્રણ મૃતદેહ મળ્યા એક મૃતદેહની શોધખોળ ચાલુ રેસ્ક્યુ દર...
દુઃખદ / અમદાવાદમાં એક જ રાતમાં બે અકસ્માત, એકનું તો બ્રિજ પરથી પટકાતા મોત

દુઃખદ / અમદાવાદમાં એક જ રાતમાં બે અકસ્માત, એકનું તો બ્રિજ પરથી પટકાતા મોત

Breaking News, LifeStyle, Travel, What's Hot
અમદાવાદમાં રફતારનો કહેર યથાવત છે. એક જ રાતમાં બે અકસ્માતના બનાવ બન્યા હતા. જેમાં રાણીપમાં પીકઅપ વાન અને XUV કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમજ બલોલનગરમાં કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો. અમદાવાદના બલોલનગર બ્રિજ પરથી શુક્રવારના રોજ મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં પતિ-પત્ની એક્ટિવા પર જઈ રહ્યા હતા તે દરમ્યાન પાછળથી પુર ઝડપે આવી રહેલ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પટકાયો હતો. અકસ્માતમાં કિશન વચેટાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્નિ કોમલને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ જનતાનગરમાં આવેલ આવાસ યોજનામાં રહેતા કિશન વછેટા(ઉ.વર્ષ.28) તેમની પત્નિ સાથે કામ અર્થે બલોલનગરથી ન્યૂ રાણીપ થી ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન બલોલનગર બ્રિજ પર કિશનના એક્ટિવાને ફોર વ્હીલર ક...
Delhi news: દુનિયાભરના ઇસ્લામિક દેશોને દિલ્હીમાં બોલાવીને મોદી સરકાર શું કરવા જઈ રહી છે?

Delhi news: દુનિયાભરના ઇસ્લામિક દેશોને દિલ્હીમાં બોલાવીને મોદી સરકાર શું કરવા જઈ રહી છે?

Breaking News, Business, LifeStyle, Politics, Travel, What's Hot
ભારતની રાજધાની દિલ્હીમાં વિશ્વભરના ઇસ્લામિક દેશોના નેતાઓનો મેળાવડો યોજાવાનો છે. વિશ્વભરના નેતાઓ શનિવારે (31 જાન્યુઆરી) ભેગા થશે. આ સમિટની સહ-અધ્યક્ષતા ભારત અને યુએઈ કરશે. આ બેઠકનો ઉદ્દેશ્ય ભારત અને આરબ દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને ભાગીદારીને નવી દિશા આપવાનો છે. આ બેઠકમાં 22 આરબ દેશોના વિદેશ પ્રધાનો ભાગ લેશે. ૧૦ વર્ષ પછી ભારત દ્વારા આયોજિત બેઠક ૧૦ વર્ષ પછી આ પ્રકારની પહેલી બેઠક યોજાઈ રહી છે. અગાઉની બેઠક ૨૦૧૬માં યોજાઈ હતી, જોકે તે બહેરીનમાં યોજાઈ હતી. ભારત આરબ દેશોના સંગઠન લીગ ઓફ અરબ સ્ટેટ્સ (LAS)નું નિરીક્ષક છે. આ સંગઠનમાં કુલ ૨૨ સભ્ય દેશોનો સમાવેશ થાય છે. ૭ દેશોથી શરૂ થયેલી સંસ્થા હવે ૨૨ દેશોનો સમાવેશ કરે છે લીગ ઓફ અરબ સ્ટેટ્સ (LAS) ની રચના ૨૨ માર્ચ, ૧૯૪૫ ના રોજ કૈરોમાં થઈ હતી. શરૂઆતમાં, તેમાં ઇજિપ્ત, ઇરાક, જોર્ડન, લેબનોન, સાઉદી અરેબિયા અને સીરિયાનો સમાવેશ થતો હતો....
હૈદરાબાદ / ચાલતી બસમાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, મોત પહેલાં આવી રીતે બચાવ્યો 18 લોકોનો જીવ

હૈદરાબાદ / ચાલતી બસમાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, મોત પહેલાં આવી રીતે બચાવ્યો 18 લોકોનો જીવ

Breaking News, Travel, What's Hot
હૈદરાબાદના મિયાપુરથી વિજયવાડા જઈ રહ્યો હતો, જે ડ્યુટી પર હતો ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. તે સમયે બસમાં 18 મુસાફરો હતા. પરંતુ ડ્રાઈવર મુશ્કેલ પરિસ્થિતિથી ડરતો ન રહ્યો અને ખાતરી કરી કે બસમાં સવાર કોઈને પણ કંઇ જ ના થાય હૈદરાબાદમાં મુસાફરોને લઈ જતી એક બસ નેશનલ હાઇવે પર મુસાફરી કરી રહી હતી ત્યારે ડ્રાઇવરને છાતીમાં તીવ્ર દુખાવો થયો. બસમાં બેઠેલા સમુસાફરોના જીવ જોખમમાં હતા.આ કિસ્સો આંધ્ર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (APSRTC) ના બસ ડ્રાઇવરનો છે જે હૈદરાબાદના મિયાપુરથી વિજયવાડા જઈ રહ્યો હતો, જે ડ્યુટી પર હતો ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. તે સમયે બસમાં 18 મુસાફરો હતા. પરંતુ ડ્રાઈવર મુશ્કેલ પરિસ્થિતિથી ડરતો ન રહ્યો અને ખાતરી કરી કે બસમાં સવાર કોઈને પણ કંઇ જ ના થાય. બહુ જ દુખાવો થયો હોવા છંતા સ્ટીયરિંગ વ્હીલ પર રાખ્યો કંટ્રોલ વિજયવાડાના ગોલ્લાપુડીના રહેવાસી 39 વર્ષીય કટરાપુ ના...