ગુજરાત / સાસણ ગીર અને ગિરનાર સફારી 4 મહિના માટે બંધ, વન વિભાગનો મોટો નિર્ણય
સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગે આજ સાંજથી બંને જંગલ સફારીને આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે
સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા અને એશિયાટિક સિંહોના દર્શન કરવા જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા આજ સાંજથી સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન પણ બંધ રહેશે. દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવતો આ નિર્ણય વન્યજીવોની સુરક્ષા, કુદરતી પ્રક્રિયાઓના સંરક્ષણ અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે.
ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા
વન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેતી હોવાથી સફારી માર્ગો...









