ગુજરાત / સાસણ ગીરના મુલાકાતીઓ માટે મહત્વની જાણકારી, 4 મહિના બંધ રહેશે સફારી
એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતું ગીર અભયારણ્ય હવે આગામી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ચોમાસા અને વન્યજીવોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને વન વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું વિશ્વનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતું ગીર અભયારણ્ય હવે આગામી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ચોમાસાની શરૂઆત અને સિંહો સહિતના વન્યજીવોના પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીર જંગલમાં સફારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 22 જૂનની સાંજે છેલ્લી સફારી જંગલમાંથી પરત ફરતા જ સાસણ ગીર સફારી પાર્કને સત્તાવાર રીતે બંધ જાહેર કરવામાં આવ્યો હતો. હવે આગામી 16 ઓક્ટોબરથી ફરી એકવાર પ્રવાસીઓ માટે ગીરના દ્વાર ખુલશે.
આકર્ષણનું કેન્દ્ર બનતું ગીર
દર વર્ષે લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર...









