નેશનલ / કોલકાતામાં ઈન્ડિગોની ફ્લાઈટ પર આકાશી આફત, વીજળી પડતાં 141 મુસાફરોના જીવ બચ્યા
Kolkata Airport: કોલકાતા એરપોર્ટ પર વાવાઝોડા દરમિયાન ઈન્ડિગોની ફ્લાઈટ પર વીજળી પડી છે. ત્યારબાદ 141 મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી, તપાસ કરીને બીજી ફ્લાઈટ દ્વારા મોકલવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી શુક્રવારે અગરતલા જતી ઈન્ડિગોની ફ્લાઈટ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવી હતી ત્યારે ભારે વાવાઝોડા દરમિયાન વીજળી પડી, જેની ચપેટમાં ફ્લાઈટ આવી ગઇ હતી. સલામતીની સાવચેતી રાખીને મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા અને જરૂરી તપાસ કરવામાં આવી. વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી.
સમાચાર એજન્સી અનુસાર સાવચેતી તરીકે બે ગ્રાઉન્ડ વર્કર્સને તબીબી સુવિધાઓમાં લઈ જવામાં આવ્યા. સૂત્રો કહે છે કે કોઈ ઈજા થઈ નથી.
સમાચાર એજન્સી અનુસાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે કોલકાતા એરપોર્ટ પર તોફાન દરમિયાન અગરતલા જતી ઈન્ડિગોની ફ્લાઈટ પર વીજળી પડી.
શું...
