ચકચાર / વડોદરાના પાદરામાં 3 મગરનાં શંકાસ્પદ મોત, વન વિભાગ દોડતું થઈ ગયું
Vadodara Crocodile Death: વડોદરાના પાદરામાં 3 મગરોના રહસ્યમય મોત થયા છે. ત્રણ મગરનાં મોત પછી વન વિભાગ દોડતું થયું છે. મગરનાં મોતનું કારણ જાણવા વન વિભાગે તપાસ શરૂ કરી દીધી છે.
Vadodara Crocodiles Death: વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરો પર કોઈ પ્રકારનું જોખમ હોય એવું લાગી રહ્યું છે. વડોદરાના પાદરામાં 3 મગરનાં શંકાસ્પદ મોત થયા છે. પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોના શંકાસ્પદ મોત થયા છે. આમળા, મોભા અને સાદળ ગામે 1-1 મગરના મોત થયા છે. ત્યારે ત્રણ અલગ-અલગ ગામોમાં ત્રણ મગરોના મોતથી ચકચાર મચી ગઈ છે.
મગરનાં મોતનું કારણ જાણવા માટે વન વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. વન વિભાગે ત્રણેય મગરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. ત્યારે આ મગરોના મોતને લઈને અનેક શંકા-કુશંકાઓ થઈ રહી છે. આ અંગે હાલમાં તપાસ થઈ રહી છે અને મગરનાં મોતનું કારણ જાણવા માટે વન વિભાગે તાજવીજ હાથ ધરી છે....
