Tuesday, February 17News That Matters

હૈદરાબાદ / ચાલતી બસમાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, મોત પહેલાં આવી રીતે બચાવ્યો 18 લોકોનો જીવ

હૈદરાબાદના મિયાપુરથી વિજયવાડા જઈ રહ્યો હતો, જે ડ્યુટી પર હતો ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. તે સમયે બસમાં 18 મુસાફરો હતા. પરંતુ ડ્રાઈવર મુશ્કેલ પરિસ્થિતિથી ડરતો ન રહ્યો અને ખાતરી કરી કે બસમાં સવાર કોઈને પણ કંઇ જ ના થાય

હૈદરાબાદમાં મુસાફરોને લઈ જતી એક બસ નેશનલ હાઇવે પર મુસાફરી કરી રહી હતી ત્યારે ડ્રાઇવરને છાતીમાં તીવ્ર દુખાવો થયો. બસમાં બેઠેલા સમુસાફરોના જીવ જોખમમાં હતા.આ કિસ્સો આંધ્ર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (APSRTC) ના બસ ડ્રાઇવરનો છે જે હૈદરાબાદના મિયાપુરથી વિજયવાડા જઈ રહ્યો હતો, જે ડ્યુટી પર હતો ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. તે સમયે બસમાં 18 મુસાફરો હતા. પરંતુ ડ્રાઈવર મુશ્કેલ પરિસ્થિતિથી ડરતો ન રહ્યો અને ખાતરી કરી કે બસમાં સવાર કોઈને પણ કંઇ જ ના થાય.

બહુ જ દુખાવો થયો હોવા છંતા સ્ટીયરિંગ વ્હીલ પર રાખ્યો કંટ્રોલ

વિજયવાડાના ગોલ્લાપુડીના રહેવાસી 39 વર્ષીય કટરાપુ નાગરાજુ રોજની જેમ અમરાવતી એસી બસ ચલાવી રહ્યા હતા ત્યારે તેમને હૈદરાબાદ-વિજયવાડા નેશનલ હાઇવે પર ચૌટુપ્પલ વિસ્તાર નજીક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. હાજર મુસાફરોએ જણાવ્યું હતું કે, બસ ચલાવતી વખતે નાગરાજુને છાતીમાં ભારે દુખાવો થયો હતો. અસહ્ય પીડા હોવા છતાં, નાગરાજુ ઘભરાયો નહીં. તેમણે સ્ટીયરિંગ વ્હીલ પર કંટ્રોલ જાળવી રાખ્યું અને બસને સર્વિસ રોડ પર ફેરવવામાં સફળ રહ્યો હતો.

બસને રોડની સાઇડ પર કરીને, બેભાન થયો

નાગરાજુએ સમજદારીથી બસને રસ્તાની બાજુમાં લઇ જઇને બ્રેક લગાવી, જેનાથી બસમાં સવાર તમામ 18 મુસાફરોનો જીવ બચી ગયો. ત્યારબાદ નાગરાજુ બસમાંથી ઉતરી ગયા અને નજીકના ખાનગી ક્લિનિકમાં મદદ લેવા ગયા, પરંતુ થોડીવાર પછી, તે બેભાન થઇ ગયા.

બસમાં સવાર મુસાફરો અને સ્થાનિક લોકો તેમની મદદ માટે દોડી આવ્યા. નાગરાજુને ઓટો-રિક્ષામાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં કોઈ ડૉક્ટર ઉપલબ્ધ ન હતા. તેવામાં લોકોએ તેમને તાત્કાલિક યાદદ્રી ભુવનગિરી જિલ્લાના ચૌટુપ્પલ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટરોએ નાગરાજુનો ઈસીજી કર્યો અને પછી તે મૃત જાહેર કર્યો.

અંતિમ ક્ષણોમાં ડ્રાઇવર નાગરાજૂ હીરો બન્યા

બસમાં સવાર એક મુસાફરે કહ્યું, “તેની અંતિમ ક્ષણોમાં, ડ્રાઇવર નાગરાજુ એક હીરો હતો. તે ઝડપથી મદદ મેળવવા માટે બસને નજીકની હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયત્ન કરી શક્યો હોત, પરંતુ તેણે મુસાફરોના જીવ જોખમમાં ન મૂક્યા.” તેમણે ખાતરી કરી કે બધા સુરક્ષિત છે. જો તેણે હિંમત હારી હોત, તો 18 મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત, કારણ કે બસ નેશનલ હાઇવે પર ચાલી રહી હતી. બસ રસ્તા પરના અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડી શકી હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *