Friday, June 19News That Matters

Breaking News

ગણતંત્ર દિવસ પહેલા દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ: બાંગ્લાદેશી આતંકીઓ અને ખાલિસ્તાની સંગઠનોનું મોટું કાવતરું

ગણતંત્ર દિવસ પહેલા દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ: બાંગ્લાદેશી આતંકીઓ અને ખાલિસ્તાની સંગઠનોનું મોટું કાવતરું

Breaking News, What's Hot
ભારતના ૨૬મી જાન્યુઆરી (ગણતંત્ર દિવસ) ના રાષ્ટ્રીય પર્વ પહેલા દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક શહેરોમાં આતંકી હુમલાની આશંકા સેવાઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓએ ગંભીર ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે, બાંગ્લાદેશી આતંકી સંગઠનો અને ખાલિસ્તાન સમર્થિત જૂથો પાકિસ્તાની એજન્સી ISI ની મદદથી દેશમાં મોટી તબાહી મચાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ISI અને લોકલ ગેંગસ્ટરોનું ગઠબંધન ગુપ્તચર અહેવાલ મુજબ, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI આ વખતે સ્થાનિક ગેંગસ્ટરો અને સ્લીપર સેલનો ઉપયોગ કરી રહી છે. હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં સક્રિય ગુનેગારોને વિદેશમાં બેઠેલા આકાઓ દ્વારા ઉશ્કેરવામાં આવી રહ્યા છે. આ આતંકીઓનો પ્લાન દિલ્હી સહિત અનેક શહેરોમાં એકસાથે હુમલા કરવાનો છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર ગત વર્ષે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયા હતા, જેને ધ્...
BJPના 45 વર્ષના ઈતિહાસમાં ઐતિહાસિક બદલાવ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાંથી જોશી- અડવાણી બહાર

BJPના 45 વર્ષના ઈતિહાસમાં ઐતિહાસિક બદલાવ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાંથી જોશી- અડવાણી બહાર

Breaking News, Politics, What's Hot
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇતિહાસમાં 20 જાન્યુઆરી, 2026નો દિવસ એક મોટા પરિવર્તનનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. 45 વર્ષીય નિતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. જોકે, આ ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પાર્ટીના સંસ્થાપક સભ્યો લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મતદાન કરી શકશે નહીં. કોણ છે નવા અધ્યક્ષ નિતિન નવીન? ડિસેમ્બર 2025થી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળી રહેલા નિતિન નવીન હવે પૂર્ણકાલીન અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. બિહારના બાંકીપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નિતિન નવીન ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ નવીન કિશોર પ્રસાદ સિન્હાના પુત્ર છે. RSSની પૃષ્ઠભૂમિ ધરાવતા નવીન સંગઠનમાં તેમની ઊંડી પકડ અને છત્તીસગઢ જેવા રાજ્યમાં પાર્ટીની ચૂંટણી જીતમાં તેમની મોટી ભૂમિકા માટે જાણીતા છે. અડવાણી અને જોશી મ...
હૃદયદ્રાવક / પંજાબના બઠિંડામાં ડિવાઇડર સાથે ફોર્ચ્યુનરની ભયાનક ટક્કર, મહિલા સહિત 5 ગુજરાતીઓના મોત

હૃદયદ્રાવક / પંજાબના બઠિંડામાં ડિવાઇડર સાથે ફોર્ચ્યુનરની ભયાનક ટક્કર, મહિલા સહિત 5 ગુજરાતીઓના મોત

Breaking News, Travel, What's Hot
Punjab Bathinda Car Accident : સવારના સમયે ભારે ધુમ્મસ હોવાના કારણે ડ્રાઈવરને રસ્તો સ્પષ્ટ દેખાયો નહીં અને કાર ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ અને પછી... Punjab Bathinda Car Accident : પંજાબથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાઢ ધુમ્મસ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શનિવારે સવારે બઠિંડા જિલ્લાના નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના વાવ-થરાદ વિસ્તારના પાંચ યુવાનોના દુઃખદ અવસાન થયા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. શું છે સમગ્ર ઘટના ? વિગતો મુજબ શિમલાની મુસાફરી પૂર્ણ કરીને પરત ફરતી એક ફોર્ચ્યુનર કાર બઠિંડા નજીક ગુડતડી ગામ પાસે અચાનક અકસ્માતનો ભોગ બની. આ તરફ સવારના સમયે ભારે ધુમ્મસ હોવાના કારણે ડ્રાઈવરને રસ્તો સ્પષ્ટ દેખાયો નહીં અને કાર ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ. ટક્કર એટલી ભયંકર ...
Ahmedabad: સાબરમતી જેલમાં કેદીએ કરી આત્મહત્યા, 9 દિવસ પહેલા જ થઈ હતી ધરપકડ

Ahmedabad: સાબરમતી જેલમાં કેદીએ કરી આત્મહત્યા, 9 દિવસ પહેલા જ થઈ હતી ધરપકડ

Breaking News, LifeStyle, What's Hot
અમદાવાદમાં સાબરમતી ખાતે આવેલી સેન્ટ્રલ જેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આજે વહેલી સવારે એક કેદીએ જેની લગભગ 9 દિવસ અગાઉ જ ધરપકડ કરીને અહીં લાવવામાં આવ્યો હતો તેણે જેલના બાથરૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.  8 જાન્યુઆરીએ વિરમગામ પોલીસે કરી હતી ધરપકડ  માહિતી અનુસાર આ કેદીની ધરપકડ વિરમગામ પોલીસે 8 જાન્યુઆરીએ કરી હતી. જોકે જેલમાં 9 દિવસ થયાને જ તેણે આ ચોંકાવનારું પગલું ભરતાં જેલમાં હડકંપ મચી ગયો હતો. કેદીની ઓળખ નિશાન સિંહ તરીકે થઇ છે. તેની વય 31 વર્ષ હતી. મૂળ પંજાબ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા નિશાન સિંહે  પોતાની પાઘડી ઉતારીને જ એનાથી જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. રાણીપ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  આત્મહત્યાનું કારણ અકબંધ!  વિગતો મુજબ નિશાન સિંહ કાચા કામનો કેદી હતો. તેણે આજે વહેલી સવારે જ શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર 4મ...
‘નિર્દય સરકારને બંગાળમાંથી વિદાય કરવી જરૂરી’, માલદામાં પીએમ મોદીએ મમતા પર સાધ્યું નિશાન

‘નિર્દય સરકારને બંગાળમાંથી વિદાય કરવી જરૂરી’, માલદામાં પીએમ મોદીએ મમતા પર સાધ્યું નિશાન

Breaking News, LifeStyle, What's Hot
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં રેલીને સંબોધતા મમતા સરકાર પર સખ્ત પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, દાયકાઓથી પૂર્વી ભારત એવા લોકોની ચુંગાલમાં હતું જેઓ ભાગલાવાદી રાજકારણ કરતા હતા. ભાજપે આ રાજ્યોને તેમની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે. હવે પશ્ચિમ બંગાળનો વારો છે. આજે બંગાળ એકમાત્ર રાજ્ય છે જ્યાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં આવી નથી. ટીએમસી સરકાર બંગાળમાં મારા ભાઈઓ અને બહેનોને આયુષ્માન યોજનાનો લાભ લેતા અટકાવી રહી છે. બંગાળમાંથી આવી નિર્દય સરકારને ઉથલાવી પાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓડિશામાં પહેલીવાર ભાજપ સરકાર બની પીએમ મોદીએ કહ્યું કે, ઓડિશામાં પહેલીવાર ભાજપ સરકાર બની છે. ત્રિપુરાએ ઘણા વર્ષોથી ભાજપ પર વિશ્વાસ કર્યો છે. આસામે પણ તાજેતરની ચૂંટણીઓમાં ભાજપમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. જ્યારે બિહારે ફરી એકવાર ભાજપ-એનડીએ સરકાર ચૂંટી કાઢી છે.  માલદાની ...
BMC પરિણામ બાદ ‘હોર્સ ટ્રેડિંગ’નો ડર, શિંદેએ કાઉન્સિલરોને 5 સ્ટાર હોટલમાં કર્યા શિફ્ટ

BMC પરિણામ બાદ ‘હોર્સ ટ્રેડિંગ’નો ડર, શિંદેએ કાઉન્સિલરોને 5 સ્ટાર હોટલમાં કર્યા શિફ્ટ

Breaking News, Politics, What's Hot
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના ચૂંટણી પરિણામો બાદ મુંબઈના રાજકારણમાં સત્તા માટેની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ સત્તા સંગ્રામની વચ્ચે, 'કિંગમેકર'ની ભૂમિકામાં આવેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એક મોટો અને કડક નિર્ણય લીધો છે. શિંદે જૂથની શિવસેનાએ 'હોર્સ ટ્રેડિંગ'ની આશંકાને પગલે પોતાના તમામ નવા ચુંટાયેલા કાઉન્સિલરોને મુંબઈની 5-સ્ટાર તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. 29 બેઠકો સાથે શિંદે જૂથ બન્યું 'કિંગમેકર' BMC ચૂંટણીમાં શિંદે જૂથની શિવસેનાએ 29 બેઠકો જીતી છે. વર્તમાન રાજકીય સમીકરણો મુજબ, ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો પાર કરી શકી નથી. આવી સ્થિતિમાં, શિંદે જૂથની ભૂમિકા નિર્ણાયક બની ગઈ છે અને તેમને જ 'સત્તાની ચાવી' માનવામાં આવી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શિંદે સેનાના સમર્થન વિના ભાજપ માટે BMCમાં સરકાર બનાવવી અશક્ય છે. 'નો રિસ્ક'ના ...
મગફળીના પૈસા અટક્યા, સરકારની જાહેરાત ખોટી સાબિત

મગફળીના પૈસા અટક્યા, સરકારની જાહેરાત ખોટી સાબિત

Breaking News, LifeStyle, Politics, What's Hot
ગુજરાતમાં ગયા વર્ષે ટેકાના ભાવે પ્રતી ખેડૂત 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવતી હતી તેને રાજ્ય સરકારે 125 મણ કરી દીધી છે.જ્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી હતી કે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે તો સાતમા દિવસે મગફળીના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે ત્યારે અત્યારે ગુજરાતભરના એક લાખ કરતા વધારે ખેડૂતો છે કે જે મગફળી ટેકાના કેન્દ્રમાં વેચી આવ્યા એને એક મહિના થી દોઢ મહિનો થઈ ગયો તેમ છતાં હજુ સુધી રૂપિયા આવ્યા નથી.ત્યારે કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ કૃષિમંત્રી ને પત્ર લખ્યો છે.આવો જોઈએ કે પાલ આંબલિયાએ શું કહ્યું…. https://youtu.be/sWZClVwV8I8?si=X_hOMpi1ZRxFBWAu...
પશ્ચિમ બંગાળમાં મોતનો વાયરસ

પશ્ચિમ બંગાળમાં મોતનો વાયરસ

Breaking News, LifeStyle, What's Hot
બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેલ અને ફીમેલ નર્સ હાલમાં અત્યંત ગંભીર હાલતમાં વેન્ટિલેટર પર છે. તમને જણાવી દઈએ કે નિપાહ વાયરસ એટલો ખતરનાક છે કે તેમાં મૃત્યુદર 70 ટકા જેટલો હોય છે, જે તેને કોરોના કરતા પણ વધુ જીવલેણ બનાવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ તાબડતોબ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે અને કેન્દ્રની એક સ્પેશિયલ ટીમ બંગાળ રવાના કરી દેવામાં આવી છે. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાય છે, અને હાલમાં જે લોકો આ બંને દર્દીઓના સંપર્કમાં આવ્યા છે તેમનું 'કોન્ટેક્ટ ટ્રેસિંગ' શરૂ કરી દેવાયું છે. પુણેની લેબમાં સેમ્પલ મોકલાયા છે, જેના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ નિપાહ જ છે કે બીજું કંઈ. પરંતુ સાવચેતી એ જ સલામતી છે, કારણ કે આ વાયરસની કોઈ ચોક્કસ રસી હજુ ઉપલબ્ધ નથી. અમે તમને આ સંકટ સાથે જોડાયેલા દરેક સમાચાર અને સાવચેતીના પગલાં જણાવતા રહીશું. જોતા રહો… અડગ મ...
ગુજરાત-જર્મની ‘ગ્લોબલ પાર્ટનર’

ગુજરાત-જર્મની ‘ગ્લોબલ પાર્ટનર’

Breaking News, Business, Politics, What's Hot
ગુજરાત હવે વૈશ્વિક ઉદ્યોગો માટે વિશ્વસનીય સરનામું બની ગયું છે! . CM ભૂપેન્દ્ર પટેલની જર્મન ડેલિગેશન સાથે બેઠકનું સૌથી મહત્વનું પાસું એ રહ્યું કે, જર્મન ડેલિગેશન ભારતના જીડીપીમાં ગુજરાતના 8 ટકાથી વધુના યોગદાનથી અત્યંત પ્રભાવિત થયું છે. મુખ્યમંત્રીએ જર્મન ઉદ્યોગોના રોકાણને વધુ સુવિધાપૂર્ણ બનાવવા માટે ખાસ 'હેલ્પ ડેસ્ક' શરૂ કરવાના દિશાનિર્દેશ આપ્યા છે, જે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ની દિશામાં એક મોટું કદમ છે. જર્મની પોતાની સપ્લાય ચેઈનને ડાયવર્સિફાઈ કરવા ઈચ્છે છે અને તે માટે ગુજરાત તેમની પહેલી પસંદ બની રહ્યું છે. ખાસ કરીને એસ.એમ.ઈ. સેક્ટર અને રિન્યુએબલ એનર્જીમાં જર્મનીની અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ ગુજરાતના ઉદ્યોગોને મળે તેવી નેમ વ્યક્ત કરવામાં આવી છે. વિકસિત ભારત 2047 ના લક્ષ્યને હાંસલ કરવામાં ગુજરાત અને જર્મનીની આ જુગલબંધી નિર્ણાયક સાબિત થશે. સિમેન્સ જેવી વૈશ્વિક કંપનીઓના સીઈઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા...
પીએમ મોદી સાથેની ‘સચ્ચી દોસ્તી’

પીએમ મોદી સાથેની ‘સચ્ચી દોસ્તી’

Breaking News, Politics, What's Hot
! અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે દિલ્હીમાં પગ મૂકતાની સાથે જ વ્હાઇટ હાઉસના ગર્ભમાં ચાલી રહેલી વાતોનો પર્દાફાશ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને ભારતની એટલી યાદ આવી રહી છે કે તેઓ આગામી 1 થી 2 વર્ષમાં ફરીથી ભારતની ધરતી પર પગ મૂકવાની યોજના બનાવી રહ્યા છે. રાજદૂત ગોરે એક એવી 'ઇનસાઇડ સ્ટોરી' શેર કરી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો – ટ્રમ્પ રાત્રે 2 વાગ્યે પણ પીએમ મોદીને ફોન કરે છે! આ માત્ર ડિપ્લોમસી નથી, આ પીએમ મોદીની એ તાકાત છે જેના કારણે અમેરિકા આજે ભારતને તેના સૌથી ખાસ જૂથ 'પેક્સ સિલિકા' માં સામેલ કરવા માટે કાલાવાલા કરી રહ્યું છે. ભલે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક અને ટૅરિફ મુદ્દે ખેંચતાણ ચાલતી હોય, પણ ગોરે સ્પષ્ટ કહી દીધું છે કે 'સચ્ચા મિત્રો' હંમેશા મતભેદ ઉકેલી લેતા હોય છે. સેમીકન્ડક્ટરથી લઈને AI અને હાઈ-ટેક વોરફેર સુધી હવે ભારત અને અમેરિકા ખભેખભા મિલાવીને ચાલશે. જ્યારે રશિયા પરના પ્રતિબંધો...