Tuesday, February 17News That Matters

LifeStyle

‘નિર્દય સરકારને બંગાળમાંથી વિદાય કરવી જરૂરી’, માલદામાં પીએમ મોદીએ મમતા પર સાધ્યું નિશાન

‘નિર્દય સરકારને બંગાળમાંથી વિદાય કરવી જરૂરી’, માલદામાં પીએમ મોદીએ મમતા પર સાધ્યું નિશાન

Breaking News, LifeStyle, What's Hot
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં રેલીને સંબોધતા મમતા સરકાર પર સખ્ત પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, દાયકાઓથી પૂર્વી ભારત એવા લોકોની ચુંગાલમાં હતું જેઓ ભાગલાવાદી રાજકારણ કરતા હતા. ભાજપે આ રાજ્યોને તેમની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે. હવે પશ્ચિમ બંગાળનો વારો છે. આજે બંગાળ એકમાત્ર રાજ્ય છે જ્યાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં આવી નથી. ટીએમસી સરકાર બંગાળમાં મારા ભાઈઓ અને બહેનોને આયુષ્માન યોજનાનો લાભ લેતા અટકાવી રહી છે. બંગાળમાંથી આવી નિર્દય સરકારને ઉથલાવી પાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓડિશામાં પહેલીવાર ભાજપ સરકાર બની પીએમ મોદીએ કહ્યું કે, ઓડિશામાં પહેલીવાર ભાજપ સરકાર બની છે. ત્રિપુરાએ ઘણા વર્ષોથી ભાજપ પર વિશ્વાસ કર્યો છે. આસામે પણ તાજેતરની ચૂંટણીઓમાં ભાજપમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. જ્યારે બિહારે ફરી એકવાર ભાજપ-એનડીએ સરકાર ચૂંટી કાઢી છે.  માલદાની ...
મગફળીના પૈસા અટક્યા, સરકારની જાહેરાત ખોટી સાબિત

મગફળીના પૈસા અટક્યા, સરકારની જાહેરાત ખોટી સાબિત

Breaking News, LifeStyle, Politics, What's Hot
ગુજરાતમાં ગયા વર્ષે ટેકાના ભાવે પ્રતી ખેડૂત 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવતી હતી તેને રાજ્ય સરકારે 125 મણ કરી દીધી છે.જ્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી હતી કે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે તો સાતમા દિવસે મગફળીના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે ત્યારે અત્યારે ગુજરાતભરના એક લાખ કરતા વધારે ખેડૂતો છે કે જે મગફળી ટેકાના કેન્દ્રમાં વેચી આવ્યા એને એક મહિના થી દોઢ મહિનો થઈ ગયો તેમ છતાં હજુ સુધી રૂપિયા આવ્યા નથી.ત્યારે કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ કૃષિમંત્રી ને પત્ર લખ્યો છે.આવો જોઈએ કે પાલ આંબલિયાએ શું કહ્યું…. https://youtu.be/sWZClVwV8I8?si=X_hOMpi1ZRxFBWAu...
પશ્ચિમ બંગાળમાં મોતનો વાયરસ

પશ્ચિમ બંગાળમાં મોતનો વાયરસ

Breaking News, LifeStyle, What's Hot
બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેલ અને ફીમેલ નર્સ હાલમાં અત્યંત ગંભીર હાલતમાં વેન્ટિલેટર પર છે. તમને જણાવી દઈએ કે નિપાહ વાયરસ એટલો ખતરનાક છે કે તેમાં મૃત્યુદર 70 ટકા જેટલો હોય છે, જે તેને કોરોના કરતા પણ વધુ જીવલેણ બનાવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ તાબડતોબ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે અને કેન્દ્રની એક સ્પેશિયલ ટીમ બંગાળ રવાના કરી દેવામાં આવી છે. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાય છે, અને હાલમાં જે લોકો આ બંને દર્દીઓના સંપર્કમાં આવ્યા છે તેમનું 'કોન્ટેક્ટ ટ્રેસિંગ' શરૂ કરી દેવાયું છે. પુણેની લેબમાં સેમ્પલ મોકલાયા છે, જેના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ નિપાહ જ છે કે બીજું કંઈ. પરંતુ સાવચેતી એ જ સલામતી છે, કારણ કે આ વાયરસની કોઈ ચોક્કસ રસી હજુ ઉપલબ્ધ નથી. અમે તમને આ સંકટ સાથે જોડાયેલા દરેક સમાચાર અને સાવચેતીના પગલાં જણાવતા રહીશું. જોતા રહો… અડગ મ...
T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતને ક્લીન ચીટ

T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતને ક્લીન ચીટ

Entertainment, LifeStyle, Sports, What's Hot
બાંગ્લાદેશના ખેલ મંત્રી આસિફ નઝરુલે દાવો કર્યો હતો કે ભારતમાં તેમની ટીમના ખેલાડીઓ અને ચાહકો પર ખતરો છે, પરંતુ ICCએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. ICCના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વતંત્ર સુરક્ષા તપાસમાં ભારતને સંપૂર્ણ સુરક્ષિત ગણાવવામાં આવ્યું છે અને સુરક્ષા જોખમ અત્યંત સામાન્ય છે. બાંગ્લાદેશ ઈચ્છતું હતું કે તેમની મેચો ભારતની બહાર શિફ્ટ કરવામાં આવે, પરંતુ ભારતની સુરક્ષા વ્યવસ્થાના અનુભવ અને ક્ષમતા પર ભરોસો મૂકીને ICCએ ક્લીન ચીટ આપી દીધી છે. હવે બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત શિડ્યુલ મુજબ ભારતમાં જ પોતાની 4 મેચો રમશે. પાડોશી દેશ જે રીતે સુરક્ષાના બહાને રાજકારણ રમી રહ્યો હતો, તેને ICCના આ ફેંસલાથી જોરદાર લપડાક મળી છે. ભારતની ધરતી પર વર્લ્ડ કપનો રોમાંચ જળવાઈ રહેશે અને સુરક્ષામાં કોઈ કચાસ બાકી નહીં રહે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. રમત ગમતની દુનિયાના દરેક સમાચાર માટે જોડાયેલા રહો અમા...
ક્રિકેટ / વડોદરા વનડે પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઘાયલ થયો આ સ્ટાર ખેલાડી

ક્રિકેટ / વડોદરા વનડે પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઘાયલ થયો આ સ્ટાર ખેલાડી

Entertainment, LifeStyle, Sports, What's Hot
11 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે ODI સિરીઝ શરુ થશે. પણ તેના પહેલા ટીમ ઇન્ડિયા માટે એક બેડ ન્યુઝ સામે આવી છે. જેમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન ઋષભ પંત ઇન્જર્ડ થયો છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI સિરીઝ 11 જાન્યુઆરી 2026 થી શરૂ થવાની છે. આ સિરીઝની તૈયારીઓ વચ્ચે ભારતીય ટીમને એક ઝટકો લાગ્યો છે. જેમાં વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇન્જર્ડ થયો છે. થ્રોડાઉન એક્સપર્ટ સામે બેટિંગ કરતી વખતે તેને કમરની ઉપર બોલ વાગ્યો હતો ત્યાર બાદ તે મેદાન છોડીને જતો રહ્યો હતો. ઋષભ પંતે લગભગ 50 મિનિટ સુધી નેટમાં પ્રેક્ટિસ કરી હતી. જેમાં તે એટેકીંગ બેટિંગ કરી રહ્યો હતો પરંતુ એક બોલે તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇન્જરીની ગંભીરતા અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન સામે નથી આવ્યું પરંતુ ટીમ મેનેજમેન્ટ તેની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ ઇન્જરી એવા સમયે થઇ છે જ્યારે પ્લેયર્સ સિરીઝ પહેલા તેમની...
વાયુ પ્રદૂષણ / સાચવજો! દિલ્હી બાદ હવે અમદાવાદની હવા ઝેરી બની, અનેક વિસ્તારોના AQI 400ને નજીક

વાયુ પ્રદૂષણ / સાચવજો! દિલ્હી બાદ હવે અમદાવાદની હવા ઝેરી બની, અનેક વિસ્તારોના AQI 400ને નજીક

Breaking News, LifeStyle, What's Hot
Ahmedabad Air Pollution: અમદાવાદ શહેરની હવા ઝેરી બની ગઈ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું છે. કેટલાય વિસ્તારોમાં AQI 400ને નજીક પહોંચી ગયું છે. દેશની રાજધાની દિલ્હીમાં વર્ષોથી શિયાળામાં ભારે પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે, ત્યારે હવે અમદાવાદની હવા પણ ઝેરી બની છે. અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારે ઠંડીના પ્રકોપ પછી હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારમાં AQI 400ને પાર પહોંચી ગયો છે. ઠંડીના પ્રકોપ સાથે હવાનું પ્રદૂષણ અમદાવાદમાં ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. ત્યારે વહેલી સવારથી શહેરમાં ધુમ્મસ છવાયેલું હોવાની સાથે જ અમદાવાદમાં વાયુ પ્રદુષણને કારણે વિઝીબિલીટી ઘટી જાય છે. ઠંડીના કારણે પ્રદૂષણના કણો હવામાં નીચે રહી જાય છે જેથી હવ...
ગાંધીનગર / ગાંધીનગરમાં PM મોદી-જર્મન ચાન્સેલર વચ્ચે બેઠક થઈ, બન્ને દેશો વચ્ચે થયા આ મહત્વના કરાર

ગાંધીનગર / ગાંધીનગરમાં PM મોદી-જર્મન ચાન્સેલર વચ્ચે બેઠક થઈ, બન્ને દેશો વચ્ચે થયા આ મહત્વના કરાર

Breaking News, LifeStyle, Politics, Travel, What's Hot
ભારત-જર્મની વચ્ચે મહત્વના કરાર થયા છે. પીએમ મોદીએ જર્મનીના સંબંધોને ખાસ ગણાવ્યા હતા. ગુજરાતીમાં ચાન્સેલર મર્ઝનું સ્વાગત કર્યું હતું. તેમજ CEO ફોરમમાં સંબંધોને પ્લેટિનમની ઉપમા આપી હતી. ગાંધીનગરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ગાંધીનગરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારત-જર્મની વચ્ચે મહત્વના ક્ષેત્રો પર કરાર થયા હતા. વડાપ્રધાને જર્મનીના ચાન્સેલરને આવકારો મીઠો આપજે રે ની ભાવના સાથે મર્ઝનું ભારતમાં હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ભારત-જર્મની દ્વિપક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર છે. ઈન્ડિયા-જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે. જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઈન્ટેન્શનથી હેલ્થકેર પ્રોફેશનલની આવન-જાવન સરળ બનશે. આતંકવાદ સામે બન્ને દેશ મજબૂતીથી લડાઈ લડશે-PM તેમજ રક્ષા ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા એક રોડ મેપ પર કામ ...
અમદાવાદ / સાબરમતી સેન્ટ્રલ જેલના 24 કેદીઓ આપશે બોર્ડની એક્ઝામ, જાણો આયોજન

અમદાવાદ / સાબરમતી સેન્ટ્રલ જેલના 24 કેદીઓ આપશે બોર્ડની એક્ઝામ, જાણો આયોજન

Breaking News, LifeStyle, Technology, What's Hot
Central Jail Inmates to take Board Exams: ગુજરાત બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં યોજાશે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલમાં કેદીઓ બોર્ડની પરીક્ષાઓ આપશે. આ વખતે સાબરમતી સેન્ટ્રલ જેલના 24 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે.આવતા મહિને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજાશે, ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં શરૂ થનારી બોર્ડની પરીક્ષા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આપશે. સાબરમતી જેલના કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા અમદાવાદ સાબરમતી જેલના 15 કેદીઓ ધોરણ-10ની અને 9 કેદીઓ ધોરણ-12ની પરીક્ષા આપશે. ત્યારે શિક્ષણ વિભાગ આ કેદીઓ માટે સેન્ટ્રલ જેલમાં પરીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવશે. જેલ તંત્ર અને શિક્ષણ વિભાગ સાથે મળીને કેદીઓ ...
Surat માં મોટા વરાછા ખાતે સાયબર ક્રાઈમના દરોડા, દુબઈની કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરનારા બે ઝડપાયા

Surat માં મોટા વરાછા ખાતે સાયબર ક્રાઈમના દરોડા, દુબઈની કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરનારા બે ઝડપાયા

Breaking News, LifeStyle, Technology, What's Hot
તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી દીપકે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોના આઈડી બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી KBC બિલ્ડિંગમાં સાયબર ક્રાઈમની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને રોકાણના નામે છેતરપિંડી આચરતા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ દીપક ડોબરીયા અને શૈલેષ ધામેલિયા લોકો પાસે ગેરકાયદેસર રીતે રોકાણ કરાવી તે નાણાં દુબઈની કંપનીમાં ઇન્વેસ્ટ કરતા હતા. આરોપીઓ રોકાણકારોને માત્ર 9 હજાર રૂપિયામાં પ્રાથમિક મેમ્બરશીપ આપવાની લાલચ આપી જાળમાં ફસાવતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી દીપકે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોના આઈડી બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. રોકાણકારો સાવધાન! સાયબર ક્રાઈમની તપાસ મુજબ, આ ટોળકી દુબઈની કંપનીઓના નામે વિશ્વાસ અપાવીને ઉંચા વળતરની લાલચ આપતી હતી અને લોકોના મહેનતના પૈસા વિદેશી ખાતાઓમાં ટ્રાન્...
Vadodara : નંદેસરી પોલીસે વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી વાયર આપ્યા

Vadodara : નંદેસરી પોલીસે વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી વાયર આપ્યા

Breaking News, LifeStyle, Technology, What's Hot
વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશન દ્વારા ખાખી કેર ફાઉન્ડેશનના સહયોગથી સેફ્ટી વાયરનું વિતરણ અને સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ચાઈનીઝ દોરી ન વાપરવા પોલીસની અપીલ કરી.આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરાની નંદેસરી પોલીસ એક્શન અને સેવા મોડમાં જોવા મળી રહી છે. ઉત્તરાયણ દરમિયાન દોરીથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે નંદેસરી પોલીસ સ્ટેશન અને 'ખાખી કેર ફાઉન્ડેશન'ના સંયુક્ત ઉપક્રમે વાહનચાલકોની સુરક્ષા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સેફ્ટી વાયરનું વિતરણ અને જાગૃતિ કાર્યક્રમ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ ખંત અને ઉત્સાહપૂર્વક વાહનચાલકોના ટુ-વ્હિલર પર વિનામૂલ્યે સેફ્ટી વાયર લગાવી આપ્યા હતા. આ સેફ્ટી વાયર ગળાના ભાગે દોરી આવતા અટકાવે છે, જે અકસ્માત નિવારવામાં અત્યંત મદદરૂપ થાય છે. આ ઉપરાંત, નંદેસરી પોલીસ દ્વારા વિસ્તારની વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને...