Friday, June 19News That Matters

LifeStyle

મનોરંજન / લગ્ન પહેલા બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક પળો, પુલમાં કિસ સાથે હસીનાનો બોલ્ડ અંદાજ વાયરલ

મનોરંજન / લગ્ન પહેલા બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક પળો, પુલમાં કિસ સાથે હસીનાનો બોલ્ડ અંદાજ વાયરલ

Breaking News, Entertainment, LifeStyle, What's Hot
એક્ટ્રેસ પલક પુરસવાણીએ તેના બોયફ્રેન્ડ રોહન ખન્ના સાથે એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બંને સુંદર નજારા વચ્ચે એકબીજાની બાહોમાં ખુશ દેખાઈ રહ્યા છે. પલકે પોતાના બોયફ્રેન્ડ માટે એક ભાવુક નોટ પણ લખી છે. મશહૂર ટીવી અભિનેત્રી પલક પુરસવાણી જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાની છે. પલક પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ રોહન ખન્ના સાથે નવી જિંદગી શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. લગ્ન પહેલાં પલકે પોતાના થનારા પતિ સાથે એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે. મંગેતર સાથે પલકનો રોમાન્સ પલક અને તેમના મંગેતર રોહન પર્વતોની સુંદર વાદીઓમાં બનેલા પૂલમાં રોમેન્ટિક પળો માણતા જોવા મળ્યા. પલક પોતાના થનારા પતિની બાહોમાં બાહો નાખીને ખૂબ જ પ્રેમભર્યા અંદાજમાં દેખાઈ. બંને એકબીજાના પ્રેમમાં ખોવાયેલા લાગ્યા. વીડિયોમાં રોહન પલકને પ્રેમથી કિસ કરતા પણ જોવા મળ્યા. https://www.instagram.com/reel/DX0qAIHIsLZ/?igsh=a...
ક્રાઈમ / દિલ્હીમાં જજે આપઘાત કરી લેતા ચકચાર, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ

ક્રાઈમ / દિલ્હીમાં જજે આપઘાત કરી લેતા ચકચાર, ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ

Breaking News, LifeStyle, What's Hot
દિલ્હીની કરકરડૂમા કોર્ટના એક જજે આત્મહત્યા કરી લીધી છે. 30 વર્ષીય જજ અમન કુમાર શર્માએ તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની માહિતી મળતાં દિલ્હી પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી દિલ્હીના જજ અમન કુમાર શર્માએ આત્મહત્યા કરી લીધી છે. શનિવારે સફદરજંગ વિસ્તારમાં તેમનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. રીપીર્ટ અનુસાર આજે સફદરજંગ એન્ક્લેવ પોલીસ સ્ટેશનમાં એક પીસીઆર કોલ આવ્યો હતો. જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે 30 વર્ષીય અમન કુમાર શર્માએ તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. તેઓ દિલ્હીની કરકરડૂમા કોર્ટમાં DLSA તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટનાની જાણ અમનના સાળા શિવમે કરી હતી. આ ઘટનાની માહિતી મળતાં દિલ્હી પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી. જે અંગે અધિકારીઓએ જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે. જેમાં એક સીનીય...
તપાસ / થરાદમાં પ્રેમ સંબંધની અદાવત રાખીને ત્રણ શખસોએ ફિલ્મી ઢબે યુવકનું અપહરણ કર્યું, પછી શું બન્યું

તપાસ / થરાદમાં પ્રેમ સંબંધની અદાવત રાખીને ત્રણ શખસોએ ફિલ્મી ઢબે યુવકનું અપહરણ કર્યું, પછી શું બન્યું

Breaking News, LifeStyle, What's Hot
વાવ-થરાદ જિલ્લાના સૂઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકનું પ્રેમ સબંધની અદાવત રાખી અપહરણ કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. વાવ-થરાદ જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈ ઊભી થયેલી અદાવત એક ગંભીર બનાવમાં ફેરવાઈ છે. મળતી માહિતી મુજબ, ત્રણ શખસોએ પૂર્વ આયોજન હેઠળ ફિલ્મી ઢબે એક યુવકને રસ્તામાં અટકાવી તેનો અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સક્રિય બની ગયું છે અને ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને યુવકને સુરક્ષિત રીતે શોધી કાઢવા માટે પોલીસ દ્વારા તત્કાલ પગલાં લેવામાં આવી રહ્યા છે. અપહરણ કેસમાં 3 સામે FIR બનાસકાંઠા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુઈગામ તાલુકાના ખડોલ ગામના રહેવાસી લાલજીભાઈ કલાભાઈ દ્વારા નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમનો દીકરો હિતેશ 29 એપ્રિલ, 202...
દુઃખદ / રાજકોટના આજીડેમમાં 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, અન્ય એકની શોધખોળ ચાલું

દુઃખદ / રાજકોટના આજીડેમમાં 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, અન્ય એકની શોધખોળ ચાલું

Breaking News, LifeStyle, Politics, Travel, What's Hot
રાજકોટના આજીડેમમાં ચાર લોકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ સમાચાર લખાય છે ત્યાં સુધી મળવા પામ્યો નથી. રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં મંગળવારે એક દુઃખદ ઘટના બની હતી, જેમાં ચાર યુવકો ડૂબી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે મૃતકોના નામ ભરત જાદવ ધવલ જાદવ ધ્રુવ મકવાણા પોલીસ તેમજ ફાયર બ્રિગ્રેડે રેસ્ક્યું કામગીરી શરૂ કરી પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા યુવકો આજીડેમ ખાતે ગયા હતા. આ દરમિયાન તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગ્રેડ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્રણ મૃતદેહ મળ્યા એક મૃતદેહની શોધખોળ ચાલુ રેસ્ક્યુ દર...
‘રાઈટ ટુ રિકોલ’ શું છે? જેની રાઘવ ચઢ્ઢાએ સંસદમાં માંગ કરી; જાણો કયા દેશોમાં જનતા પાસે છે આ પાવર

‘રાઈટ ટુ રિકોલ’ શું છે? જેની રાઘવ ચઢ્ઢાએ સંસદમાં માંગ કરી; જાણો કયા દેશોમાં જનતા પાસે છે આ પાવર

Breaking News, LifeStyle, Politics, What's Hot
રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં ‘રાઇટ ટુ રિકોલ’ (Right to Recall) વિષય ઉઠાવતા રાજકીય અને જાહેર ચર્ચા ફરી તેજ બની છે. આ વિચારનો મૂળ હેતુ મતદાતાઓને વધુ સશક્ત બનાવવાનો છે, જેથી તેઓ માત્ર પોતાના પ્રતિનિધિને પસંદ જ ન કરે, પરંતુ કામથી અસંતોષ હોય તો નિર્ધારિત પ્રક્રિયા દ્વારા કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં તેને પદ પરથી હટાવી પણ શકે. આ લેખમાં ‘રાઇટ ટુ રિકોલ’ શું છે, તેની જરૂરિયાત શું માનવામાં આવે છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને દુનિયાના કયા દેશોમાં આ વ્યવસ્થા અમલમાં છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ‘રાઇટ ટુ રિકોલ’ શું છે? સરળ ભાષામાં કહીએ તો ‘રાઇટ ટુ રિકોલ’ એટલે મતદાતાઓને મળેલું એવું લોકશાહી અધિકાર, જેના દ્વારા તેઓ પોતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિને કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં પદ પરથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. જો મતદાતાઓને લાગે કે તેમનો પ્રતિનિધિ વ...
Rolls-Royceના CEOએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં બિઝવેસ વધારવા માટે બ્રિટિશ કંપનીએ રજુ કર્યા નવા પ્લાન

Rolls-Royceના CEOએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં બિઝવેસ વધારવા માટે બ્રિટિશ કંપનીએ રજુ કર્યા નવા પ્લાન

Breaking News, Business, LifeStyle, Technology, What's Hot
ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. વિશ્વ બેંકથી લઈને IMF સુધી અને અસંખ્ય અન્ય સ્થાનિક અને વિદેશી એજન્સીઓએ આ વાત સ્વીકારી છે અને આગાહી કરી છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. મોટી કંપનીઓ પણ સરકારના વિકસિત ભારતના વિઝનને ટેકો આપવા માટે આગળ વધી રહી છે. હવે, લક્ઝરી કાર કંપની રોલ્સ-રોયસના CEO વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે અને વિકસિત ભારતનો ભાગ બનવાની તેમની યોજનાઓ શેર કરી છે. PM મોદીએ કહ્યું, " ખૂબ સારું લાગ્યું." Rolls-Royceના CEO તુફાન એર્ગિનબિલ્જિક બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને વિકસિત ભારતનો ભાગ બનવા માટે ભારતમાં તેમની પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવાની તેમની યોજનાઓ શેર કરી. બેઠક બાદ, PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું, Rolls-Royceના CEO તુફાન એર્ગિનબિલ્જિકને મળીને ખૂબ આનંદ થયો. અમે ભારતમાં તેની પ્રવૃત...
‘અમેરિકા સાથે ડીલ નહીં ઢીલ થઈ’,અમેરિકા સાથે ટ્રેડ ડીલ અને બજેટ મુદ્દે અખિલેશ યાદવના પ્રહાર

‘અમેરિકા સાથે ડીલ નહીં ઢીલ થઈ’,અમેરિકા સાથે ટ્રેડ ડીલ અને બજેટ મુદ્દે અખિલેશ યાદવના પ્રહાર

Breaking News, LifeStyle, Politics, What's Hot
લોકસભામાં બજેટ ચર્ચામાં ભાગ લેતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં વિઝનનો અભાવ છે. યાદવે બજેટના સમય અને અમેરિકા સાથેના વેપાર સોદાની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે અમેરિકા સાથે કોઈ ડીલ નહીં, ફક્ત શિથિલતા જોવા મળી છે. સપા પ્રમુખે કટાક્ષ કર્યો, "શૂન્ય મોટો કે 18? અને જો આવું થવાનું જ હોય, તો 11 મહિના સુધી રાહ કેમ જોઈ? બજેટને દિશાહીન ગણાવતા અખિલેશ યાદવે કહ્યું કે, તેમાં ગરીબો, પછાત અને દલિતો માટે કંઈ નથી. તેમણે કહ્યું, "આપણે આટલા બજેટો લાવીએ છીએ પરંતુ આપણી પ્રતિ વ્યક્તિ આવક વધી રહી નથી. અખિલેશ યાદવે બજેટને દિશાહીન ગણાવતા કહ્યું કે, ગરીબ, પછાત અને દલિતો માટે કંઈ નથી. આપણે આટલા બજેટ લાવી રહ્યા છીએ, પરંતુ આપણી પ્રતિ વ્યક્તિ આવક વધી રહી નથી. સરકારે ઓછામાં ઓછું મફત રાશન મેળવનારાઓની મ...
UPSCએ નિયમોમાં કર્યા મોટા ફેરફાર, IAS-IFS વારંવાર નહીં આપી શકે પરીક્ષા

UPSCએ નિયમોમાં કર્યા મોટા ફેરફાર, IAS-IFS વારંવાર નહીં આપી શકે પરીક્ષા

Breaking News, LifeStyle, Uncategorized, What's Hot
UPSC: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 4 ફેબ્રુઆરી 2026ના રોજ સિવિલ સર્વિસિસ એક્ઝામિનેશન (સીએસઈ) માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વર્ષે કમિશને સેવા ફાળવણી અને ડિજિટલ સુરક્ષા સંબંધિત ઘણા મહત્વપૂર્ણ અને મોટા ફેરફારો કર્યા છે. આઈપીએસ માટેના નિયમો વધુ સ્પષ્ટ અને કડક બનાવવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવારને પહેલેથી જ આઇપીએસ માટે પસંદ કરવામાં આવ્યો છે, તો તે CSE 2026 દ્વારા ફરીથી આઈપીએસ પસંદ કરી શકતો નથી. આ સિવાય જો તમે IAS અને IFS અધિકારીઓનું કામ કરી રહ્યા છો, તો હવે તમે આ પરીક્ષામાં હાજર રહી શકશો નહીં. જો મુખ્ય પરીક્ષા પહેલાં આ સેવાઓમાં ઉમેદવારની નિમણૂક કરવામાં આવે છે, તો તેમને મુખ્ય પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જે ઉમેદવારો CSE 2025 અથવા અગાઉ કોઈ સેવામાં હાજર થયા છે તેમને 2026 અથવા 2027 માં તેમના બાકીના પ્રયત્નોનો ઉપયોગ કરવા માટે છેલ્લી તક (રાજીનામુ આપ્યા વગર) આપવામાં આવી છે...
હચમચાવતો કિસ્સો / કાનમાં ઇયરફોન લગાવી PUBG રમવી ભારે પડી, વધ્યું બ્લડ પ્રેશર, ફાટી મગજની નસ, મળ્યું મોત

હચમચાવતો કિસ્સો / કાનમાં ઇયરફોન લગાવી PUBG રમવી ભારે પડી, વધ્યું બ્લડ પ્રેશર, ફાટી મગજની નસ, મળ્યું મોત

Breaking News, LifeStyle, Technology, What's Hot
મેરઠના દિલ્હી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં ઓનલાઈન PUBG ગેમ રમતી વખતે 22 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યુ છે. મેરઠના દિલ્હી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં ઓનલાઈન PUBG ગેમ રમતી વખતે 22 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યુ છે. તેમના પરિવારના જણાવ્યા મુજબ, PUBG ગેમ રમતી વખતે તેમનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું હતું, જેના પછી તેમની તબિયત બગડી હતી. તેમના મૃત્યુનું કારણ તેમના મગજની નસ ફાટવાથી એટલે કે હેમરેજ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મૃતકની ઓળખ મોહમ્મદ કૈફ તરીકે થઈ છે, જે ખૈરનગર ગુલર વાલીનો રહેવાસી છે. જાણવા મળ્યું છે કે કૈફ ઓનલાઈન PUBG ગેમ્સ રમવામાં વધુ સમય વિતાવતો હતો. ઘટનાના દિવસે તે કાનમાં ઇયરફોન લગાવીને મોબાઇલ ફોન પર PUBG ગેમ રમી રહ્યો હતો. આ સમય દરમિયાન, તેને તીવ્ર માથાનો દુખાવો અને બેચેનીની થઇ...
Online ગેમની લતમાં 3 સગી બહેનોની 9મા માળેથી મોતની છલાંગ

Online ગેમની લતમાં 3 સગી બહેનોની 9મા માળેથી મોતની છલાંગ

Breaking News, LifeStyle, Technology, What's Hot
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ સગીર વયની સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક પગલા પાછળ ઓનલાઇન કોરિયન લવ ગેમની લત હોવાનું બહાર આવ્યું છે. મોબાઈલ ગેમે ઉજાડ્યો પરિવાર ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારની ભારત સિટી સોસાયટીમાં રહેતા ચેતન કુમારની ત્રણ દીકરીઓ - નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ)એ એકસાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ, કોરોના કાળ દરમિયાન આ ત્રણેય બહેનોને મોબાઈલ ગેમની લત લાગી હતી. તેઓ નિયમિત સ્કૂલે પણ જતી નહોતી અને પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પાછળ વિતાવતી હતી. ટાસ્ક-બેઝ્ડ ગેમ અને મધરાત્રે મોતનો તાંડવ પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ બહેનો ઓનલાઇન ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. મંગળવારે મધરાત્રે આશરે 2 વાગ્યે જ્યારે આખું શહેર...