Friday, June 19News That Matters

દુઃખદ / રાજકોટના આજીડેમમાં 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, અન્ય એકની શોધખોળ ચાલું

રાજકોટના આજીડેમમાં ચાર લોકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ સમાચાર લખાય છે ત્યાં સુધી મળવા પામ્યો નથી.

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં મંગળવારે એક દુઃખદ ઘટના બની હતી, જેમાં ચાર યુવકો ડૂબી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે

મૃતકોના નામ

  • ભરત જાદવ
  • ધવલ જાદવ
  • ધ્રુવ મકવાણા

પોલીસ તેમજ ફાયર બ્રિગ્રેડે રેસ્ક્યું કામગીરી શરૂ કરી

પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા યુવકો આજીડેમ ખાતે ગયા હતા. આ દરમિયાન તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગ્રેડ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ત્રણ મૃતદેહ મળ્યા એક મૃતદેહની શોધખોળ ચાલુ

રેસ્ક્યુ દરમિયાન ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. તેમની ઓળખ ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણા તરીકે થઈ છે. અન્ય એક યુવકની શોધખોળ માટે ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ

ઘટનાને કારણે વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે. તેમજ યુવકોના પરિવારજનોને સમગ્ર બાબતની જાણ થતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ જવા પામ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *