Friday, June 19News That Matters

LifeStyle

સેન્સેક્સ 2000 અને નિફ્ટી 750 પ્લસ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા, અમેરિકા-ભારત ટ્રેડ ડીલની અસર

સેન્સેક્સ 2000 અને નિફ્ટી 750 પ્લસ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા, અમેરિકા-ભારત ટ્રેડ ડીલની અસર

Breaking News, LifeStyle, Technology, What's Hot
શેરબજારમાં મંગળવારે તોફાની તેજી સાથે કારોબારની શરૂઆત થઈ હતી. બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ લગભગ 3800 પોઈન્ટના ઉછાળા સાથે 85,323.20 ના સ્તર પર ઓપન થયો હતો. જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 1220 પોઈન્ટની તેજી સાથે 26,308 ના સ્તર પર ખુલ્યો હતો. આટલા મોટા ગેપ-અપ ઓપનિંગ બાદ ઉપલા સ્તરેથી થોડી પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી અને નિફ્ટી 25,800 સુધી નીચે આવ્યો હતો. આમ છતાં, નિફ્ટીમાં 700 પોઈન્ટ અને સેન્સેક્સમાં 2300 પોઈન્ટની તેજી જળવાઈ રહી હતી. ભારત અને અમેરિકા વચ્ચે સોમવારે મોડી રાત્રે જાહેર થયેલી ટ્રેડ ડીલને કારણે બજારમાં આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ડીલ હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પરના રેસિપ્રોકલ ટેરિફને 25%થી ઘટાડીને 18% કરી દીધા છે અને રશિયા પાસેથી કાચા તેલની ખરીદી પર લાગતા વધારાના 25% ટેરિફને સમાપ્ત કરી દીધા છે. આ સમાચારથી બજાર ગેલમાં છે અને માર્કેટમાં 'શોર્ટ પોઝિશન' લે...
કડાકા બાદ ગોલ્ડ-સિલ્વરમાં તોફાની રિકવરી! ચાંદીના ભાવમાં એકઝાટકે 21000નો ઉછાળો

કડાકા બાદ ગોલ્ડ-સિલ્વરમાં તોફાની રિકવરી! ચાંદીના ભાવમાં એકઝાટકે 21000નો ઉછાળો

Breaking News, Business, LifeStyle, What's Hot
સોના-ચાંદીની કિંમતોમાં પણ હવે શેર બજાર જેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અચાનક જ ભારે તેજી જોવા મળે અને અચાનક જ કિંમતો ક્રેશ થઈ જાય. સોના-ચાંદીની કિંમતમાં ગયા સપ્તાહે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 4 લાખ રૂપિયાને પાર ગયા બાદ અચાનક જ ક્રેશ થઈ ગઈ હતી. સોનાના ભાવમાં પણ જોરદાર ઘટાડો થઈ રહ્યો હતો. જોકે આજે બંને કિંમતી ધાતુના ભાવમાં તેજી જોવા મળી છે. ચાંદીની કિંમતમાં 21 હજાર રૂપિયાનો વધારો મંગળવારે (ત્રીજી ફેબ્રુઆરી) MCX પર વાયદા બજારમાં માર્કેટ ખૂલતાં જ સોના-ચાંદીની કિંમતમાં તોફાની તેજી જોવા મળી. સોમવારે ચાંદીની કિંમત 2.25 લાખ રૂપિયા થઈ હતી. આજે માર્કેટ ખૂલતાં જ ચાંદીની કિંમતમાં 21 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો. સોનાના ભાવમાં પણ એકઝાટકે 5 હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે.  આજે 1 કિલો ચાંદીની કિંમત 2,57,480 રૂપિયા પહોંચી છે. અગાઉ 29 જાન્યુઆરીએ ચાંદીની કિંમત પહેલીવાર 4 લાખ રૂપિય...
ફ્રોડ / સુરતમાં શેર બજારના નામે આચરાઈ લાખોની છેતરપિંડી, બેંક મેનેજર સહિત 3ની ધરપકડ

ફ્રોડ / સુરતમાં શેર બજારના નામે આચરાઈ લાખોની છેતરપિંડી, બેંક મેનેજર સહિત 3ની ધરપકડ

Breaking News, LifeStyle, What's Hot
સુરતમાં શેરબજારના નામે 42.48 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે બંધન બેંક અને ઈન્ડસઇન્ડ બેંકના મેનેજર સહિત 3ની ધરપકડ કરી. Surat News: સુરતમાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ટોળકી સાયબર સેલના જાળમાં ફસાઈ છે. બંધન બેંકના સેલ્સ મેનેજર અને ઈન્ડસઇન્ડ બેંકના મેનેજર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 10 ટકા નફાની લાલચ આપીને 42.48 લાખની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. સાયબર સેલે રાહુલ મિસ્ત્રી, મિલન સાંગાણી અને ઉર્વિશ નસીતને ધરપકડ કરી છે. આરોપીઓએ સિટીલાઇટ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત કર્મચારી સાથે છેતરપિંડી કરી હતી. શેરબજારના નામે છેતરપિંડી માહિતી પ્રમાણે, આરોપીઓએ શેરબજારમાં 10 ટકા નફાની લાલચ આપીને છેતરપિંડી કરતાં હતા. નફાની લાલચમાં આવીને પીડિતે પણ 42.48 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ રોકાણ કરવાને બદલે આરોપીઓએ આ રકમ હડપ કરી લીધી હતી. તપાસમાં ચોંક...
દુઃખદ / અમદાવાદમાં એક જ રાતમાં બે અકસ્માત, એકનું તો બ્રિજ પરથી પટકાતા મોત

દુઃખદ / અમદાવાદમાં એક જ રાતમાં બે અકસ્માત, એકનું તો બ્રિજ પરથી પટકાતા મોત

Breaking News, LifeStyle, Travel, What's Hot
અમદાવાદમાં રફતારનો કહેર યથાવત છે. એક જ રાતમાં બે અકસ્માતના બનાવ બન્યા હતા. જેમાં રાણીપમાં પીકઅપ વાન અને XUV કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમજ બલોલનગરમાં કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો. અમદાવાદના બલોલનગર બ્રિજ પરથી શુક્રવારના રોજ મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં પતિ-પત્ની એક્ટિવા પર જઈ રહ્યા હતા તે દરમ્યાન પાછળથી પુર ઝડપે આવી રહેલ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પટકાયો હતો. અકસ્માતમાં કિશન વચેટાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્નિ કોમલને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ જનતાનગરમાં આવેલ આવાસ યોજનામાં રહેતા કિશન વછેટા(ઉ.વર્ષ.28) તેમની પત્નિ સાથે કામ અર્થે બલોલનગરથી ન્યૂ રાણીપ થી ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન બલોલનગર બ્રિજ પર કિશનના એક્ટિવાને ફોર વ્હીલર ક...
Delhi news: દુનિયાભરના ઇસ્લામિક દેશોને દિલ્હીમાં બોલાવીને મોદી સરકાર શું કરવા જઈ રહી છે?

Delhi news: દુનિયાભરના ઇસ્લામિક દેશોને દિલ્હીમાં બોલાવીને મોદી સરકાર શું કરવા જઈ રહી છે?

Breaking News, Business, LifeStyle, Politics, Travel, What's Hot
ભારતની રાજધાની દિલ્હીમાં વિશ્વભરના ઇસ્લામિક દેશોના નેતાઓનો મેળાવડો યોજાવાનો છે. વિશ્વભરના નેતાઓ શનિવારે (31 જાન્યુઆરી) ભેગા થશે. આ સમિટની સહ-અધ્યક્ષતા ભારત અને યુએઈ કરશે. આ બેઠકનો ઉદ્દેશ્ય ભારત અને આરબ દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને ભાગીદારીને નવી દિશા આપવાનો છે. આ બેઠકમાં 22 આરબ દેશોના વિદેશ પ્રધાનો ભાગ લેશે. ૧૦ વર્ષ પછી ભારત દ્વારા આયોજિત બેઠક ૧૦ વર્ષ પછી આ પ્રકારની પહેલી બેઠક યોજાઈ રહી છે. અગાઉની બેઠક ૨૦૧૬માં યોજાઈ હતી, જોકે તે બહેરીનમાં યોજાઈ હતી. ભારત આરબ દેશોના સંગઠન લીગ ઓફ અરબ સ્ટેટ્સ (LAS)નું નિરીક્ષક છે. આ સંગઠનમાં કુલ ૨૨ સભ્ય દેશોનો સમાવેશ થાય છે. ૭ દેશોથી શરૂ થયેલી સંસ્થા હવે ૨૨ દેશોનો સમાવેશ કરે છે લીગ ઓફ અરબ સ્ટેટ્સ (LAS) ની રચના ૨૨ માર્ચ, ૧૯૪૫ ના રોજ કૈરોમાં થઈ હતી. શરૂઆતમાં, તેમાં ઇજિપ્ત, ઇરાક, જોર્ડન, લેબનોન, સાઉદી અરેબિયા અને સીરિયાનો સમાવેશ થતો હતો....
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા, જાણો લોકોને શું કરી અપીલ!

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા, જાણો લોકોને શું કરી અપીલ!

Breaking News, LifeStyle, Politics, What's Hot
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના ગંભીર મુદ્દે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘આ પ્રદૂષણની આપણે ભારે કિંમત ચૂકવી રહ્યા છીએ, જેની અસર આપણા સ્વાસ્થ્ય અને દેશની અર્થવ્યવસ્થા એમ બંને પર પડી રહી છે.’ બાળકો અને શ્રમિકો સૌથી વધુ પ્રભાવિત  રાહુલ ગાંધીએ બાળકો, વૃદ્ધો, શ્રમિકોની ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, ‘ઝેરી હવાનો સૌથી વધુ ખરાબ અનુભવ બાળકો અને વૃદ્ધોને થઈ રહ્યો છે. પ્રદૂષણને કારણે લાદવામાં આવતા પ્રતિબંધો અને ખરાબ હવાને લીધે આ ગરીબ વર્ગની આજીવિકા પર સીધી અસર પડી રહી છે. કરોડો સામાન્ય ભારતીયો દરરોજ આ બોજ સહન કરવા મજબૂર બન્યા છે.’ અવાજ ઉઠાવવો એ પરિવર્તનનું પ્રથમ પગલું : રાહુલ ગાંધી વિપક્ષી નેતાએ લોકોને અપીલ કરી હતી કે, ‘આ સંકટને માત્ર શિયાળો પૂરો થતા ભૂ...
Junagadh news: CAનો વ્યવસ્યા કરતા યુવાનનું અપહરણ, પોલીસના ડરથી આરોપીઓ યુવકને જામનગર હાઈવે પર છોડી ફરાર

Junagadh news: CAનો વ્યવસ્યા કરતા યુવાનનું અપહરણ, પોલીસના ડરથી આરોપીઓ યુવકને જામનગર હાઈવે પર છોડી ફરાર

Breaking News, LifeStyle, Travel, What's Hot
ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જૂનાગઢમાં સીએનો વ્યવસાય કરતા યુવકનું અપહરણ થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ગત 23મી તારીખની રાત્રે મિલન ચંદુભાઈ ચૌહાણનું અજાણ્યા શખ્સોએ અપહરણ કરી 60 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. જૂનાગઢ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી નાકાબંધી કરતા અપહરણકર્તાઓ પર દબાણ વધ્યું હતું. ડરથી આરોપીઓ મિલન ચૌહાણને જામનગર નજીક મુક્ત કરી નાસી છૂટ્યા પોલીસના ડરથી આરોપીઓ મિલન ચૌહાણને જામનગર નજીક મુક્ત કરી નાસી છૂટ્યા હતા. આ મામલે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ મથકે જય ઓડેદરા સહિતના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.  ...
Surendranagarમાં કાતિલ ઠંડીનો કહેર; વોકિંગમાં નીકળેલા યુવકનું હાર્ટ એટેકથી મોત

Surendranagarમાં કાતિલ ઠંડીનો કહેર; વોકિંગમાં નીકળેલા યુવકનું હાર્ટ એટેકથી મોત

Breaking News, LifeStyle, What's Hot
સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડતા જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાતિલ ઠંડીએ એક યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. વઢવાણ નજીક ચાલવા નીકળેલા એક યુવકને અચાનક હાર્ટ એટેક આવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ જાની નામનો યુવક વોકિંગ માટે નીકળ્યો હતો. સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નજીક પહોંચી ગયો હોવાથી વાતાવરણમાં ભારે ઠંડક હતી. આ કડકડતી ઠંડીની લપેટમાં આવી જવાથી યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. આસપાસના લોકો એકઠા થાય તે પહેલા જ યુવકે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાની જાણ થતા જ વઢવાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (P.M.) માટે વઢવાણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વઢવાણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી મૃતકના પરિવારમાં શોકનુ...
ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકાના 25% ટેરિફ પરત ખોંચવાના સંકેત

ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકાના 25% ટેરિફ પરત ખોંચવાના સંકેત

Breaking News, Business, LifeStyle, Politics, What's Hot
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે 'અત્યંત સફળ' ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બેસેન્ટે હવે આ ટેરિફ હટાવવા તરફ ઈશારો કર્યો છે. શું ટેરિફ હવે હટાવવામાં આવશે? સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ભારત પર લાદવામાં આવેલ 25% ટેરિફ પાછો ખેંચાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે હવે આ ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.' જો બંને દેશો વચ્ચેની વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધશે, તો ભારતને મોટી આર્થિક રાહત મળી શકે છે. ભારત પર હાલમાં કેટલું ટેરિફ લાગુ છે? અમેરિકાએ હાલમાં ભારત પર દ્વિ-સ્તરીય ટેરિફ માળખું અમલમાં મૂક્યું છે, જેના કારણે ભારતીય નિકાસકારો...
અમેરિકામાં ઈમિગ્રેશન અધિકારીઓએ વટાવી હદ! માત્ર પાંચ વર્ષના બાળકની કરી અટકાયત

અમેરિકામાં ઈમિગ્રેશન અધિકારીઓએ વટાવી હદ! માત્ર પાંચ વર્ષના બાળકની કરી અટકાયત

Breaking News, LifeStyle, Politics, What's Hot
અમેરિકી ઇમિગ્રેશન અધિકારીઓએ મિનેસોટાના કોલંબિયા હાઇટ્સમાં માત્ર પાંચ જ વર્ષના બાળકની અટકાયત કરીને તમામ હદો પાર કરી દીધી હતી. વળી આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓએ આ બાળકને એવા સમયે અટકાયતમાં લીધો જ્યારે તે સ્કૂલેથી પરત ફરી રહ્યો હતો. પરિવારની કારમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યો અને પછી પોતાના જ ઘરનો દરવાજો ખખડાવવા બાળક પર દબાણ કર્યું હતું કે જેથી પિતાની ધરપકડ કરી શકાય. અધિકારીઓ બાળકને પોતાની સાથે લઈ ગયા અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના અધિકારીઓ અને એજન્ટો ખરેખર તો આ બાળક લિયામ કોનેજો રામોસના પિતા એડ્રિયન એલેક્ઝેન્ડર કોનેજોની ધરપકડ કરવા માટે આવ્યા હતા. તેના પિતા કથિત રીતે ગેરકાયદે અમેરિકામાં રહેતા હોવાનો તેમના પર આરોપ હતો. માતા પિતાએ બાળકને ઘરની અંદર લાવવાની ઇચ્છા સાથે દરવાજો ખોલ્યો કે તરત જ અધિકારીઓએ પિતાની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન ઘરના અન્ય સભ્યો હાજર હોવ...