Tuesday, February 17News That Matters

Politics

રાજકારણ / મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલપાથલના આસાર, 8 ફેબ્રુઆરીએ એક થવાના હતા NCPના બંને જૂથ

રાજકારણ / મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલપાથલના આસાર, 8 ફેબ્રુઆરીએ એક થવાના હતા NCPના બંને જૂથ

Breaking News, Politics
Maharashtra Politics: NCP-SPના ધારાસભ્ય જયંત પાટીલે અજિત પવારના મૃત્યુને એક મોટું નુકસાન ગણાવ્યું છે. એક અહેવાલ પ્રમાણે, NCPના બંને જૂથો 8 ફેબ્રુઆરીએ તેમના એક થવાની જાહેરાત કરવાના હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં જલ્દી જ મોટી ઉથલપાથલ થવાના આસાર છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બંને જૂથો ફેબ્રુઆરીમાં તેમના ફરી એક થવાની જાહેરાત કરવાના હતા, પરંતુ અજિત પવારના નિધનથી આ ટળી ગયું છે. NCPના એક જૂથનું નેતૃત્વ અજિત પવાર પાસે હતું, જ્યારે બીજા જૂથ NCP/SPનું નેતૃત્વ વરિષ્ઠ નેતા શરદ પવાર કરી રહ્યા છે. તાજેતરમાં જ કાકા અને ભત્રીજા પુણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એક થયા હતા, આ પછી એવી અટકળો ચાલી રહી હતી કે બંને જૂથ એક થઈ જશે. એક અહેવાલ પ્રમાણે, NCPના બંને જૂથો 8 ફેબ્રુઆરીએ તેમના એક થવાની જાહેરાત કરવાના હતા. આ અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે એક થવ...
કેનેડિયન પીએમ માર્ચમાં ભારતની લઈ શકે છે મુલાકાત, ઊર્જા અને વેપાર કરાર અંગે થશે ચર્ચા!

કેનેડિયન પીએમ માર્ચમાં ભારતની લઈ શકે છે મુલાકાત, ઊર્જા અને વેપાર કરાર અંગે થશે ચર્ચા!

Breaking News, Business, Politics, Travel, What's Hot
વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં વધતી જતી અનિશ્ચિતતા અને યુએસ ટેરિફ ધમકીઓ વચ્ચે, કેનેડા ભારત સાથેના તેના સંબંધોને ફરીથી દિશા આપવાની તૈયારી કરી રહ્યું છે. આ સંદર્ભમાં, કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની માર્ચના પહેલા અઠવાડિયામાં ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે. ભારતમાં કેનેડાના હાઈ કમિશનર દિનેશ પટનાયકે રોઇટર્સને જણાવ્યું હતું કે આ પ્રસ્તાવિત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઊર્જા, મહત્વપૂર્ણ ખનિજો, પરમાણુ સહયોગ અને ઉભરતી ટેકનોલોજીઓને આવરી લેતા અનેક મહત્વપૂર્ણ કરારો થઈ શકે છે. આ મુલાકાતને ભારત-કેનેડા સંબંધોમાં એક મોટા પુનર્ગઠન તરીકે જોવામાં આવી રહી છે. યુરેનિયમથી લઈને AI સુધીના કરારો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દરમિયાન યુરેનિયમ પુરવઠો, તેલ અને ગેસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગ સંબંધિત કરારો શક્ય છે. ખાસ કરીને, આશરે 2.8 બિલિયન ક...
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા, જાણો લોકોને શું કરી અપીલ!

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા, જાણો લોકોને શું કરી અપીલ!

Breaking News, LifeStyle, Politics, What's Hot
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના ગંભીર મુદ્દે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘આ પ્રદૂષણની આપણે ભારે કિંમત ચૂકવી રહ્યા છીએ, જેની અસર આપણા સ્વાસ્થ્ય અને દેશની અર્થવ્યવસ્થા એમ બંને પર પડી રહી છે.’ બાળકો અને શ્રમિકો સૌથી વધુ પ્રભાવિત  રાહુલ ગાંધીએ બાળકો, વૃદ્ધો, શ્રમિકોની ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, ‘ઝેરી હવાનો સૌથી વધુ ખરાબ અનુભવ બાળકો અને વૃદ્ધોને થઈ રહ્યો છે. પ્રદૂષણને કારણે લાદવામાં આવતા પ્રતિબંધો અને ખરાબ હવાને લીધે આ ગરીબ વર્ગની આજીવિકા પર સીધી અસર પડી રહી છે. કરોડો સામાન્ય ભારતીયો દરરોજ આ બોજ સહન કરવા મજબૂર બન્યા છે.’ અવાજ ઉઠાવવો એ પરિવર્તનનું પ્રથમ પગલું : રાહુલ ગાંધી વિપક્ષી નેતાએ લોકોને અપીલ કરી હતી કે, ‘આ સંકટને માત્ર શિયાળો પૂરો થતા ભૂ...
ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકાના 25% ટેરિફ પરત ખોંચવાના સંકેત

ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકાના 25% ટેરિફ પરત ખોંચવાના સંકેત

Breaking News, Business, LifeStyle, Politics, What's Hot
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે 'અત્યંત સફળ' ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બેસેન્ટે હવે આ ટેરિફ હટાવવા તરફ ઈશારો કર્યો છે. શું ટેરિફ હવે હટાવવામાં આવશે? સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ભારત પર લાદવામાં આવેલ 25% ટેરિફ પાછો ખેંચાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે હવે આ ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.' જો બંને દેશો વચ્ચેની વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધશે, તો ભારતને મોટી આર્થિક રાહત મળી શકે છે. ભારત પર હાલમાં કેટલું ટેરિફ લાગુ છે? અમેરિકાએ હાલમાં ભારત પર દ્વિ-સ્તરીય ટેરિફ માળખું અમલમાં મૂક્યું છે, જેના કારણે ભારતીય નિકાસકારો...
અમેરિકામાં ઈમિગ્રેશન અધિકારીઓએ વટાવી હદ! માત્ર પાંચ વર્ષના બાળકની કરી અટકાયત

અમેરિકામાં ઈમિગ્રેશન અધિકારીઓએ વટાવી હદ! માત્ર પાંચ વર્ષના બાળકની કરી અટકાયત

Breaking News, LifeStyle, Politics, What's Hot
અમેરિકી ઇમિગ્રેશન અધિકારીઓએ મિનેસોટાના કોલંબિયા હાઇટ્સમાં માત્ર પાંચ જ વર્ષના બાળકની અટકાયત કરીને તમામ હદો પાર કરી દીધી હતી. વળી આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓએ આ બાળકને એવા સમયે અટકાયતમાં લીધો જ્યારે તે સ્કૂલેથી પરત ફરી રહ્યો હતો. પરિવારની કારમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યો અને પછી પોતાના જ ઘરનો દરવાજો ખખડાવવા બાળક પર દબાણ કર્યું હતું કે જેથી પિતાની ધરપકડ કરી શકાય. અધિકારીઓ બાળકને પોતાની સાથે લઈ ગયા અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના અધિકારીઓ અને એજન્ટો ખરેખર તો આ બાળક લિયામ કોનેજો રામોસના પિતા એડ્રિયન એલેક્ઝેન્ડર કોનેજોની ધરપકડ કરવા માટે આવ્યા હતા. તેના પિતા કથિત રીતે ગેરકાયદે અમેરિકામાં રહેતા હોવાનો તેમના પર આરોપ હતો. માતા પિતાએ બાળકને ઘરની અંદર લાવવાની ઇચ્છા સાથે દરવાજો ખોલ્યો કે તરત જ અધિકારીઓએ પિતાની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન ઘરના અન્ય સભ્યો હાજર હોવ...
Ahmedabad/ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલો, PM મોદી અને અમિત શાહ પણ નિશાના પર, ખાલિસ્તાની ઈમેઈલથી ખળભળાટ

Ahmedabad/ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલો, PM મોદી અને અમિત શાહ પણ નિશાના પર, ખાલિસ્તાની ઈમેઈલથી ખળભળાટ

Breaking News, Politics, What's Hot
અમદાવાદ: 26 મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં આતંકી ફફડાટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરની જાણીતી સંત કબીર સ્કૂલ સહિત અનેક શાળાઓને ઈમેઈલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાઈ છે. ખાલિસ્તાની માનસિકતા અને રાષ્ટ્રવિરોધી લખાણ 'Deloar Deloar' નામના આઈડી પરથી મોકલવામાં આવેલા આ મેઈલમાં અત્યંત ભયાનક અને રાષ્ટ્રવિરોધી વાતો લખવામાં આવી છે.  મેઈલમાં ધમકી આપવામાં આવી છે કે 26 મી જાન્યુઆરીએ શાળાઓમાં ભારતીય તિરંગો લહેરાવવામાં ન આવે. ધમકી આપનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને 'ખાલિસ્તાનના દુશ્મન' ગણાવી તેમને ટાર્ગેટ કરવાની વાત કરી છે. મેઈલના વિષયમાં રાત્રે ૧૧ વાગ્યે બોમ્બ બ્લાસ્ટ કરવાની અને 'ખાલિસ્તાન ઝિંદાબાદ' જેવા સૂત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ...
‘મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે’, ભાજપના મંત્રીનું વિવાદિત નિવેદન

‘મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે’, ભાજપના મંત્રીનું વિવાદિત નિવેદન

Breaking News, Politics, What's Hot
રાજસ્થાનના વરિષ્ઠ કેબિનેટ મંત્રી અને પોતાના નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેતા કિરોડી લાલ મીણા ફરી એકવાર પોતાના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. દૌસાના કાલવાન ગામમાં એક જાહેર મંચ પરથી તેમણે સ્વીકાર્યું કે તેઓ માત્ર ભાષણ આપીને જનતાને 'મૂર્ખ' બનાવવા અને વોટ લઈને ચૂંટણી જીતવાની કળા જાણે છે. ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના ભક્ત મીરાના પ્રસંગ પર બોલતી વખતે તેમણે આ વાત કહી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 'મારું કામ તો જનતાને મૂર્ખ બનાવવાનું છે' કાલવાન ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં, મીરા અને કૃષ્ણના પ્રસંગો સંભળાવતી વખતે કિરોડી લાલ મીણા બોલ્યા, "‘મીરાએ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી હતી. તમે સૌ જાણો છો, હું તો આ વિષયમાં વધારે સમજતો નથી. અમારે તો જનતાની વચ્ચે આવવાનું, ભાષણ આપીને મૂર્ખ બનાવવાના, વોટ લઈ જવાના, ચૂંટણી જીતી જવાની, આ થોડી ઘણી કળા હું જાણું છું, વધારે તો હું નથી...
BMCમાં જીત્યા છતાં પણ ભાજપમાં ખુશી કેમ નહી? આખરે કઈ વાતને લઈ પાર્ટીમાં મંથન શરૂ

BMCમાં જીત્યા છતાં પણ ભાજપમાં ખુશી કેમ નહી? આખરે કઈ વાતને લઈ પાર્ટીમાં મંથન શરૂ

Breaking News, Politics, What's Hot
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણીમાં ઐતિહાસિક 89 બેઠકો જીતવા છતાં, ભારતીય જનતા પાર્ટી (BJP) પરિણામથી સંપૂર્ણપણે ખુશ નથી. 2002 પછી કોઈ પણ પક્ષ દ્વારા એકલા હાથે જીતવામાં આવેલી આ સૌથી વધુ બેઠકો હોવા છતાં, પાર્ટીના આંતરિક સૂત્રો તેને અપેક્ષાઓથી ઓછું પ્રદર્શન ગણાવી રહ્યા છે. ભાજપે ઓછામાં ઓછી 110 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ તે તેનાથી ઘણું પાછળ રહી ગયું, જેના કારણે હવે ચૂંટણી પ્રચારમાં શું ખોટું થયું તેની આંતરિક સમીક્ષા શરૂ થઈ ગઈ છે. જીત છતાં અપેક્ષા મુજબનું પ્રદર્શન નહીં પાર્ટીના નેતાઓ આ નિરાશાજનક પ્રદર્શન માટે મુખ્યત્વે ત્રણ કારણોને જવાબદાર ગણાવી રહ્યા છે: મુંબઈ એકમમાં સંકલનનો અભાવ, ઉમેદવારોની પસંદગીમાં ખામીઓ અને રાજ-ઉદ્ધવ ઠાકરે દ્વારા ઉઠાવવામાં આવેલા 'મરાઠી અસ્મિતા અને મુંબઈ ગૌરવ'ના મુદ્દાનો અસરકારક રીતે સામનો ન કરી શકવો. એક ભાજપ નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું, "પાર્ટીએ ...
BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો ટોણો

BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો ટોણો

Breaking News, LifeStyle, Politics, Technology, What's Hot
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણીમાં ભાજપ-શિંદે જૂથની મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે, પરંતુ હવે સત્તાનો અસલી સંઘર્ષ મેયર પદને લઈને શરૂ થયો છે. 'કિંગમેકર'ની ભૂમિકામાં આવેલા એકનાથ શિંદેને 'હોર્સ ટ્રેડિંગ'નો ડર સતાવી રહ્યો છે, જેના કારણે તેમણે પોતાના તમામ 29 કાઉન્સિલરોને 5-સ્ટાર હોટલમાં શિફ્ટ કરી દીધા છે. જોકે કેટલાક સૂત્રોએ એવો દાવો કર્યો કે એકનાથ શિંદેએ ભાજપની મજબૂરીને ભાળી જતાં મોટો દાવ રમી નાખ્યો છે. તેઓ મુંબઈના મેયર પદની માગણી કરીને ભાજપને દબાણમાં લાવી શકે છે. કારણ કે હાલમાં એકનાથ શિંદે ભાજપ માટે કિંગમેકરની ભૂમિકામાં છે. બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અઢી-અઢી વર્ષના મેયરપદની ફોર્મ્યુલા પર વાતચીત કરવાના સંકેત આપ્યા છે, જેના પર ઉદ્ધવ ઠાકરેએ તીખો કટાક્ષ કર્યો છે.  ફડણવીસનું નરમ વલણ, ફોર્મ્યુલા માટે તૈયાર BMCમાં મેયર પદને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્...
BJPના 45 વર્ષના ઈતિહાસમાં ઐતિહાસિક બદલાવ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાંથી જોશી- અડવાણી બહાર

BJPના 45 વર્ષના ઈતિહાસમાં ઐતિહાસિક બદલાવ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાંથી જોશી- અડવાણી બહાર

Breaking News, Politics, What's Hot
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇતિહાસમાં 20 જાન્યુઆરી, 2026નો દિવસ એક મોટા પરિવર્તનનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. 45 વર્ષીય નિતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. જોકે, આ ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પાર્ટીના સંસ્થાપક સભ્યો લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મતદાન કરી શકશે નહીં. કોણ છે નવા અધ્યક્ષ નિતિન નવીન? ડિસેમ્બર 2025થી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળી રહેલા નિતિન નવીન હવે પૂર્ણકાલીન અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. બિહારના બાંકીપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નિતિન નવીન ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ નવીન કિશોર પ્રસાદ સિન્હાના પુત્ર છે. RSSની પૃષ્ઠભૂમિ ધરાવતા નવીન સંગઠનમાં તેમની ઊંડી પકડ અને છત્તીસગઢ જેવા રાજ્યમાં પાર્ટીની ચૂંટણી જીતમાં તેમની મોટી ભૂમિકા માટે જાણીતા છે. અડવાણી અને જોશી મ...