Tuesday, February 17News That Matters

What’s Hot

બાંગ્લાદેશમાં હિન્દુઓના લોહીની હોળી

બાંગ્લાદેશમાં હિન્દુઓના લોહીની હોળી

Breaking News, What's Hot
હિન્દુ યુવાન સમીર દાસને પહેલા તેને ચપ્પુના ઘા ઝીંકાયા અને પછી દેશી કટ્ટાથી ગોળી મારીને તેનો જીવ લેવામાં આવ્યો. બાંગ્લાદેશમાં છેલ્લા 42 દિવસમાં 13 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે, છતાં ત્યાંની યુનુસ સરકાર આંકડા છુપાવીને દુનિયાને ગુમરાહ કરી રહી છે. દીપુ ચંદ્ર દાસને ભીડ દ્વારા પીટી-પીટીને મારી નાખવામાં આવ્યો, અમૃત મંડલની હત્યા થઈ અને હવે સમીર દાસ! શું આ ઇસ્લામિક કટ્ટરપંથીઓનું સુનિયોજિત ષડયંત્ર છે કે હિન્દુઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવે? બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ઇસાઈ યુનિટી કાઉન્સિલ કહી રહી છે કે ચૂંટણી પહેલા હિંસા વધશે, પણ પોલીસ અને તંત્ર માત્ર મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે. ભારતની કડક ચેતવણી છતાં બાંગ્લાદેશના અંતરિમ નેતા મોહમ્મદ યુનુસ હિંસાની વાત સ્વીકારવા તૈયાર નથી. શું હિન્દુ હોવું એ બાંગ્લાદેશમાં સજા પાત્ર ગુનો છે? અમે બાંગ્લાદેશના એક-એક હિન્દુ ભાઈ-બહેન માટે અવાજ ઉઠાવતા રહીશું, કારણ કે અન્...
ક્રિકેટ / વડોદરા વનડે પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઘાયલ થયો આ સ્ટાર ખેલાડી

ક્રિકેટ / વડોદરા વનડે પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઘાયલ થયો આ સ્ટાર ખેલાડી

Entertainment, LifeStyle, Sports, What's Hot
11 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે ODI સિરીઝ શરુ થશે. પણ તેના પહેલા ટીમ ઇન્ડિયા માટે એક બેડ ન્યુઝ સામે આવી છે. જેમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન ઋષભ પંત ઇન્જર્ડ થયો છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI સિરીઝ 11 જાન્યુઆરી 2026 થી શરૂ થવાની છે. આ સિરીઝની તૈયારીઓ વચ્ચે ભારતીય ટીમને એક ઝટકો લાગ્યો છે. જેમાં વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇન્જર્ડ થયો છે. થ્રોડાઉન એક્સપર્ટ સામે બેટિંગ કરતી વખતે તેને કમરની ઉપર બોલ વાગ્યો હતો ત્યાર બાદ તે મેદાન છોડીને જતો રહ્યો હતો. ઋષભ પંતે લગભગ 50 મિનિટ સુધી નેટમાં પ્રેક્ટિસ કરી હતી. જેમાં તે એટેકીંગ બેટિંગ કરી રહ્યો હતો પરંતુ એક બોલે તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇન્જરીની ગંભીરતા અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન સામે નથી આવ્યું પરંતુ ટીમ મેનેજમેન્ટ તેની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ ઇન્જરી એવા સમયે થઇ છે જ્યારે પ્લેયર્સ સિરીઝ પહેલા તેમની...
વિશ્વ / દુનિયાની પ્રતિક્ષા વધી, ટ્રમ્પ ટેરિફ પર આજે નહીં આવશે ‘સુપ્રીમ ચુકાદો’, જાણો ક્યારે આવશે

વિશ્વ / દુનિયાની પ્રતિક્ષા વધી, ટ્રમ્પ ટેરિફ પર આજે નહીં આવશે ‘સુપ્રીમ ચુકાદો’, જાણો ક્યારે આવશે

Breaking News, Business, Politics, What's Hot
ડોનાલ્ડ ટ્રંપની ટેરિફ નીતિની કાનૂની વૈધતા અંગેનો અમેરિકી સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો હાલ માટે ટળી ગયો છે. આ નિર્ણય ટ્રંપની કાર્યકારી સત્તાઓ, ‘America First’ નીતિ અને વૈશ્વિક વેપાર વ્યવસ્થાની દિશા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની વિવાદાસ્પદ ટેરિફ નીતિ પર આજે અમેરિકી સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો હતો, પરંતુ આ અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો હવે ટળી ગયો છે. આ કારણે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થામાં પણ અચોક્કસતા યથાવત રહી છે. ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે આ કેસને તેમની પ્રથમ મોટી કાનૂની કસોટી તરીકે જોવામાં આવી રહી હતી. આ કેસમાં મુખ્ય પ્રશ્ન એ છે કે ટ્રમ્પ પ્રશાસને International Emergency Economic Powers Act (IEEPA) હેઠળ લગાવેલા ટેરિફ કાનૂની રીતે યોગ્ય હતા કે નહીં. આ કાયદો 1977માં અમેરિકી કોંગ્રેસ દ્વા...
વાયુ પ્રદૂષણ / સાચવજો! દિલ્હી બાદ હવે અમદાવાદની હવા ઝેરી બની, અનેક વિસ્તારોના AQI 400ને નજીક

વાયુ પ્રદૂષણ / સાચવજો! દિલ્હી બાદ હવે અમદાવાદની હવા ઝેરી બની, અનેક વિસ્તારોના AQI 400ને નજીક

Breaking News, LifeStyle, What's Hot
Ahmedabad Air Pollution: અમદાવાદ શહેરની હવા ઝેરી બની ગઈ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું છે. કેટલાય વિસ્તારોમાં AQI 400ને નજીક પહોંચી ગયું છે. દેશની રાજધાની દિલ્હીમાં વર્ષોથી શિયાળામાં ભારે પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે, ત્યારે હવે અમદાવાદની હવા પણ ઝેરી બની છે. અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારે ઠંડીના પ્રકોપ પછી હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારમાં AQI 400ને પાર પહોંચી ગયો છે. ઠંડીના પ્રકોપ સાથે હવાનું પ્રદૂષણ અમદાવાદમાં ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. ત્યારે વહેલી સવારથી શહેરમાં ધુમ્મસ છવાયેલું હોવાની સાથે જ અમદાવાદમાં વાયુ પ્રદુષણને કારણે વિઝીબિલીટી ઘટી જાય છે. ઠંડીના કારણે પ્રદૂષણના કણો હવામાં નીચે રહી જાય છે જેથી હવ...
ચકચાર / વડોદરાના પાદરામાં 3 મગરનાં શંકાસ્પદ મોત, વન વિભાગ દોડતું થઈ ગયું

ચકચાર / વડોદરાના પાદરામાં 3 મગરનાં શંકાસ્પદ મોત, વન વિભાગ દોડતું થઈ ગયું

Breaking News, What's Hot
Vadodara Crocodile Death: વડોદરાના પાદરામાં 3 મગરોના રહસ્યમય મોત થયા છે. ત્રણ મગરનાં મોત પછી વન વિભાગ દોડતું થયું છે. મગરનાં મોતનું કારણ જાણવા વન વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. Vadodara Crocodiles Death: વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરો પર કોઈ પ્રકારનું જોખમ હોય એવું લાગી રહ્યું છે. વડોદરાના પાદરામાં 3 મગરનાં શંકાસ્પદ મોત થયા છે. પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોના શંકાસ્પદ મોત થયા છે. આમળા, મોભા અને સાદળ ગામે 1-1 મગરના મોત થયા છે. ત્યારે ત્રણ અલગ-અલગ ગામોમાં ત્રણ મગરોના મોતથી ચકચાર મચી ગઈ છે. મગરનાં મોતનું કારણ જાણવા માટે વન વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. વન વિભાગે ત્રણેય મગરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. ત્યારે આ મગરોના મોતને લઈને અનેક શંકા-કુશંકાઓ થઈ રહી છે. આ અંગે હાલમાં તપાસ થઈ રહી છે અને મગરનાં મોતનું કારણ જાણવા માટે વન વિભાગે તાજવીજ હાથ ધરી છે....
કાર્યવાહી / ગેરકાયદે PG ચલાવનારા ચેતી જજો! અમદાવાદમાં 3 પીજીને કરાયા સીલ

કાર્યવાહી / ગેરકાયદે PG ચલાવનારા ચેતી જજો! અમદાવાદમાં 3 પીજીને કરાયા સીલ

Breaking News, Business, What's Hot
Ahmedabad news: અમદાવાદમાં કોર્પોરેશને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. હવે જો કોઈ PG.., વાંચો વિગતે Ahmedabad Municipal Corporation News: અમદાવાદમાં બહારથી ભણવા માટે કે પછી નોકરી માટે હજારો છોકરા છોકરીઓ આવતા હશે અને તેઓ PGમાં રહેતા હશે અને એટલે જ અમદાવાદમાં PGની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. તેવામાં AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ PG માલિકો સામે લાલ આંખ કરી છે અને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં ગેરકાયદે રીતે ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) સંચાલન સામે કાર્યવાહી કરતાં શહેરના ગુરુકુળ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ફ્લેટોમાં જરૂરી મંજૂરી વિના ચાલતા ત્રણ PGને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા છે. વધુ માહિતી અનુસાર ગુરુકુળ રોડ પર આવેલી સ્ટર્લિંગ સોસાયટી અને નિરમણી સોસાયટીમાં કેટલાક ફ્લેટોમાં કોઈપણ પ્રકારની મંજૂરી કે જાણ વગર ગેર...
ગાંધીનગર / ગાંધીનગરમાં PM મોદી-જર્મન ચાન્સેલર વચ્ચે બેઠક થઈ, બન્ને દેશો વચ્ચે થયા આ મહત્વના કરાર

ગાંધીનગર / ગાંધીનગરમાં PM મોદી-જર્મન ચાન્સેલર વચ્ચે બેઠક થઈ, બન્ને દેશો વચ્ચે થયા આ મહત્વના કરાર

Breaking News, LifeStyle, Politics, Travel, What's Hot
ભારત-જર્મની વચ્ચે મહત્વના કરાર થયા છે. પીએમ મોદીએ જર્મનીના સંબંધોને ખાસ ગણાવ્યા હતા. ગુજરાતીમાં ચાન્સેલર મર્ઝનું સ્વાગત કર્યું હતું. તેમજ CEO ફોરમમાં સંબંધોને પ્લેટિનમની ઉપમા આપી હતી. ગાંધીનગરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ગાંધીનગરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારત-જર્મની વચ્ચે મહત્વના ક્ષેત્રો પર કરાર થયા હતા. વડાપ્રધાને જર્મનીના ચાન્સેલરને આવકારો મીઠો આપજે રે ની ભાવના સાથે મર્ઝનું ભારતમાં હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ભારત-જર્મની દ્વિપક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર છે. ઈન્ડિયા-જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે. જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઈન્ટેન્શનથી હેલ્થકેર પ્રોફેશનલની આવન-જાવન સરળ બનશે. આતંકવાદ સામે બન્ને દેશ મજબૂતીથી લડાઈ લડશે-PM તેમજ રક્ષા ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા એક રોડ મેપ પર કામ ...
Ayodhya: રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ, પોલીસે કાશ્મીરી યુવકની કરી અટકાયત

Ayodhya: રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ, પોલીસે કાશ્મીરી યુવકની કરી અટકાયત

Breaking News, Politics, What's Hot
Ayodhya Ram Mandir Security Breach: અયોધ્યા સ્થિત રામ મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો મામલો સામે આવ્યો છે. અયોધ્યા રામ મંદિર પરિસરમાં એક મુસ્લિમ યુવક દ્વારા નમાઝ અદા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાસ્તવમાં, રામ મંદિર પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કરતી વખતે સમુદાયના કેટલાક લોકોએ એક યુવાનની અટકાયત કરી છે. મંદિર પરિસરમાં નમાઝ અદા કરનાર યુવક એક ચોક્કસ સમુદાયનો હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા યુવકે રામ મંદિર સંકુલમાં નમાજ અદા કરવાનો પ્રયાસ કર્યો હતો. અયોધ્યા રામ મંદિર સંકુલ પાસે નમાજ અદા કરવાનો પ્રયાસ કરી રહેલા એક યુવકની પોલીસે અટકાયત કરી છે. પોલીસે જ્યારે તેને રોક્યો ત્યારે તે વ્યક્તિ સાંપ્રદાયિક હિતના નારા લગાવવા લાગ્યો. આ યુવાનની ઓળખ કાશ્મીરના શોપિયાના રહેવાસી અહેમદ શેખ તરીકે થઈ છે. મંદિર પરિસરમાં હાજર લોકોએ જણાવ્યું કે જ્યારે સુરક્ષા કર્મચારીઓએ યુવકને અટકાવ્યો ત્યા...
T20 World Cup 2026 / ‘હું ઇચ્છું છું કે ફાઇનલમાં આપણે…’, T20 વર્લ્ડ કપને લઈ સાઉથ આફ્રિકાના પૂર્વ બેટ્સમેનનું દર્દ છલકાયું

T20 World Cup 2026 / ‘હું ઇચ્છું છું કે ફાઇનલમાં આપણે…’, T20 વર્લ્ડ કપને લઈ સાઉથ આફ્રિકાના પૂર્વ બેટ્સમેનનું દર્દ છલકાયું

Entertainment, Sports, What's Hot
T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત આવતા મહિનાથી થઈ રહી છે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ત્યારે સાઉથ આફ્રિકાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર ઇચ્છે છે કે સાઉથ આફ્રિકા ફાઇનલમાં ભારતને હરાવીને ખિતાબ જીતે. T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં થઈ રહ્યું છે. આવતા મહિનાથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026માં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતે 2024 માં સાઉથ આફ્રિકાને રોમાંચક ફાઇનલમાં સાત રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. T20 વર્લ્ડ કપ 2026 સાત ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે, ત્યારે એ પહેલા સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ગ્રીમ સ્મિથનું દર્દ છલકાયું છે. તેમણે સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમ પાસેથી આશા વ્યક્ત કરી કે T20 વર્લ્ડ કપ 2026 તેમનો દેશ સૂર્યકુમાર યાદની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાને હરાવીને ટ્રોફી જીતે. જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાનો નવેમ્બર-ડિસેમ્...
નિવેદન / ‘અમારા મંદિરોને લૂંટવામાં આવ્યા, અને આપણે…’, જાણો NSA અજીત ડોભાલએ કેમ આવું કહેવું પડ્યું?

નિવેદન / ‘અમારા મંદિરોને લૂંટવામાં આવ્યા, અને આપણે…’, જાણો NSA અજીત ડોભાલએ કેમ આવું કહેવું પડ્યું?

Breaking News, Politics, Technology, What's Hot
NSA Ajit Doval: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર National Security Advisor આજીત ડોભાલે શુક્રવારના રોજ એક નિવેદનમાં જણાવ્યું કે ભારતને આઝાદી ખૂબ મોટી કિંમત પર મળી છે. સાથે જ ડોભાલે કહ્યું હતું કે ભૂતકાળમાં સુરક્ષા મામલે ચૂક કરવાથી એક પાઠ પણ શીખવા મળ્યો છે. NSA Ajit Doval: National Security Advisor આજીત ડોભાલે ભારતની આઝાદી માટે કહ્યું કે ભારતે આઝાદી માટે એક મોટી કિંમત ચૂકવી છે. જૂની પેઢીએ અપમાન, વિનાશ અને ભારે નુકસાન પણ સહન કર્યું છે. ભૂતકાળમાં સુરક્ષા ચૂકને કારણે ઘણો મોટો પાઠ ભણવા પણ મળ્યો છે. આ સાથે જ તેમણે આવનારી પેઢીને યુવાનોને અપીલ કરી છે કે તેમણે ઇતિહાસમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રનું પુનર્નિર્માણકરવું જોઈએ અને આપણા મૂલ્યો, અધિકારો અને વિશ્વાસ પર આધારિત એક મજબૂત અને મહાન ભારતનું નિર્માણ કરવું જોઈએ. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગના ઉદ્ઘાટન સમારોહમાં એક ભાષણ આપતા ડોભાલે કહ્યું કે આ સ્વતંત્ર ભ...