Tuesday, February 17News That Matters

LifeStyle

Delhi news: દુનિયાભરના ઇસ્લામિક દેશોને દિલ્હીમાં બોલાવીને મોદી સરકાર શું કરવા જઈ રહી છે?

Delhi news: દુનિયાભરના ઇસ્લામિક દેશોને દિલ્હીમાં બોલાવીને મોદી સરકાર શું કરવા જઈ રહી છે?

Breaking News, Business, LifeStyle, Politics, Travel, What's Hot
ભારતની રાજધાની દિલ્હીમાં વિશ્વભરના ઇસ્લામિક દેશોના નેતાઓનો મેળાવડો યોજાવાનો છે. વિશ્વભરના નેતાઓ શનિવારે (31 જાન્યુઆરી) ભેગા થશે. આ સમિટની સહ-અધ્યક્ષતા ભારત અને યુએઈ કરશે. આ બેઠકનો ઉદ્દેશ્ય ભારત અને આરબ દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને ભાગીદારીને નવી દિશા આપવાનો છે. આ બેઠકમાં 22 આરબ દેશોના વિદેશ પ્રધાનો ભાગ લેશે. ૧૦ વર્ષ પછી ભારત દ્વારા આયોજિત બેઠક ૧૦ વર્ષ પછી આ પ્રકારની પહેલી બેઠક યોજાઈ રહી છે. અગાઉની બેઠક ૨૦૧૬માં યોજાઈ હતી, જોકે તે બહેરીનમાં યોજાઈ હતી. ભારત આરબ દેશોના સંગઠન લીગ ઓફ અરબ સ્ટેટ્સ (LAS)નું નિરીક્ષક છે. આ સંગઠનમાં કુલ ૨૨ સભ્ય દેશોનો સમાવેશ થાય છે. ૭ દેશોથી શરૂ થયેલી સંસ્થા હવે ૨૨ દેશોનો સમાવેશ કરે છે લીગ ઓફ અરબ સ્ટેટ્સ (LAS) ની રચના ૨૨ માર્ચ, ૧૯૪૫ ના રોજ કૈરોમાં થઈ હતી. શરૂઆતમાં, તેમાં ઇજિપ્ત, ઇરાક, જોર્ડન, લેબનોન, સાઉદી અરેબિયા અને સીરિયાનો સમાવેશ થતો હતો....
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા, જાણો લોકોને શું કરી અપીલ!

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા, જાણો લોકોને શું કરી અપીલ!

Breaking News, LifeStyle, Politics, What's Hot
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના ગંભીર મુદ્દે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘આ પ્રદૂષણની આપણે ભારે કિંમત ચૂકવી રહ્યા છીએ, જેની અસર આપણા સ્વાસ્થ્ય અને દેશની અર્થવ્યવસ્થા એમ બંને પર પડી રહી છે.’ બાળકો અને શ્રમિકો સૌથી વધુ પ્રભાવિત  રાહુલ ગાંધીએ બાળકો, વૃદ્ધો, શ્રમિકોની ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, ‘ઝેરી હવાનો સૌથી વધુ ખરાબ અનુભવ બાળકો અને વૃદ્ધોને થઈ રહ્યો છે. પ્રદૂષણને કારણે લાદવામાં આવતા પ્રતિબંધો અને ખરાબ હવાને લીધે આ ગરીબ વર્ગની આજીવિકા પર સીધી અસર પડી રહી છે. કરોડો સામાન્ય ભારતીયો દરરોજ આ બોજ સહન કરવા મજબૂર બન્યા છે.’ અવાજ ઉઠાવવો એ પરિવર્તનનું પ્રથમ પગલું : રાહુલ ગાંધી વિપક્ષી નેતાએ લોકોને અપીલ કરી હતી કે, ‘આ સંકટને માત્ર શિયાળો પૂરો થતા ભૂ...
Junagadh news: CAનો વ્યવસ્યા કરતા યુવાનનું અપહરણ, પોલીસના ડરથી આરોપીઓ યુવકને જામનગર હાઈવે પર છોડી ફરાર

Junagadh news: CAનો વ્યવસ્યા કરતા યુવાનનું અપહરણ, પોલીસના ડરથી આરોપીઓ યુવકને જામનગર હાઈવે પર છોડી ફરાર

Breaking News, LifeStyle, Travel, What's Hot
ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જૂનાગઢમાં સીએનો વ્યવસાય કરતા યુવકનું અપહરણ થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ગત 23મી તારીખની રાત્રે મિલન ચંદુભાઈ ચૌહાણનું અજાણ્યા શખ્સોએ અપહરણ કરી 60 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. જૂનાગઢ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી નાકાબંધી કરતા અપહરણકર્તાઓ પર દબાણ વધ્યું હતું. ડરથી આરોપીઓ મિલન ચૌહાણને જામનગર નજીક મુક્ત કરી નાસી છૂટ્યા પોલીસના ડરથી આરોપીઓ મિલન ચૌહાણને જામનગર નજીક મુક્ત કરી નાસી છૂટ્યા હતા. આ મામલે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ મથકે જય ઓડેદરા સહિતના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.  ...
Surendranagarમાં કાતિલ ઠંડીનો કહેર; વોકિંગમાં નીકળેલા યુવકનું હાર્ટ એટેકથી મોત

Surendranagarમાં કાતિલ ઠંડીનો કહેર; વોકિંગમાં નીકળેલા યુવકનું હાર્ટ એટેકથી મોત

Breaking News, LifeStyle, What's Hot
સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડતા જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાતિલ ઠંડીએ એક યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. વઢવાણ નજીક ચાલવા નીકળેલા એક યુવકને અચાનક હાર્ટ એટેક આવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ જાની નામનો યુવક વોકિંગ માટે નીકળ્યો હતો. સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નજીક પહોંચી ગયો હોવાથી વાતાવરણમાં ભારે ઠંડક હતી. આ કડકડતી ઠંડીની લપેટમાં આવી જવાથી યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. આસપાસના લોકો એકઠા થાય તે પહેલા જ યુવકે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાની જાણ થતા જ વઢવાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (P.M.) માટે વઢવાણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વઢવાણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી મૃતકના પરિવારમાં શોકનુ...
ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકાના 25% ટેરિફ પરત ખોંચવાના સંકેત

ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકાના 25% ટેરિફ પરત ખોંચવાના સંકેત

Breaking News, Business, LifeStyle, Politics, What's Hot
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે 'અત્યંત સફળ' ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બેસેન્ટે હવે આ ટેરિફ હટાવવા તરફ ઈશારો કર્યો છે. શું ટેરિફ હવે હટાવવામાં આવશે? સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ભારત પર લાદવામાં આવેલ 25% ટેરિફ પાછો ખેંચાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે હવે આ ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.' જો બંને દેશો વચ્ચેની વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધશે, તો ભારતને મોટી આર્થિક રાહત મળી શકે છે. ભારત પર હાલમાં કેટલું ટેરિફ લાગુ છે? અમેરિકાએ હાલમાં ભારત પર દ્વિ-સ્તરીય ટેરિફ માળખું અમલમાં મૂક્યું છે, જેના કારણે ભારતીય નિકાસકારો...
અમેરિકામાં ઈમિગ્રેશન અધિકારીઓએ વટાવી હદ! માત્ર પાંચ વર્ષના બાળકની કરી અટકાયત

અમેરિકામાં ઈમિગ્રેશન અધિકારીઓએ વટાવી હદ! માત્ર પાંચ વર્ષના બાળકની કરી અટકાયત

Breaking News, LifeStyle, Politics, What's Hot
અમેરિકી ઇમિગ્રેશન અધિકારીઓએ મિનેસોટાના કોલંબિયા હાઇટ્સમાં માત્ર પાંચ જ વર્ષના બાળકની અટકાયત કરીને તમામ હદો પાર કરી દીધી હતી. વળી આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓએ આ બાળકને એવા સમયે અટકાયતમાં લીધો જ્યારે તે સ્કૂલેથી પરત ફરી રહ્યો હતો. પરિવારની કારમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યો અને પછી પોતાના જ ઘરનો દરવાજો ખખડાવવા બાળક પર દબાણ કર્યું હતું કે જેથી પિતાની ધરપકડ કરી શકાય. અધિકારીઓ બાળકને પોતાની સાથે લઈ ગયા અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના અધિકારીઓ અને એજન્ટો ખરેખર તો આ બાળક લિયામ કોનેજો રામોસના પિતા એડ્રિયન એલેક્ઝેન્ડર કોનેજોની ધરપકડ કરવા માટે આવ્યા હતા. તેના પિતા કથિત રીતે ગેરકાયદે અમેરિકામાં રહેતા હોવાનો તેમના પર આરોપ હતો. માતા પિતાએ બાળકને ઘરની અંદર લાવવાની ઇચ્છા સાથે દરવાજો ખોલ્યો કે તરત જ અધિકારીઓએ પિતાની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન ઘરના અન્ય સભ્યો હાજર હોવ...
બુલિયન માર્કેટમાં ખળભળાટ: મની લોન્ડરિંગ રોકવા RBIએ ફોરેક્સ મેનેજમેન્ટ નિયમો બદલ્યા

બુલિયન માર્કેટમાં ખળભળાટ: મની લોન્ડરિંગ રોકવા RBIએ ફોરેક્સ મેનેજમેન્ટ નિયમો બદલ્યા

Breaking News, LifeStyle, Technology
Silver and Gold News : ભારતીય રિઝર્વ બેંકે (RBI) દેશમાં સોના અને ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી છે. કેન્દ્રીય બેંકે બુલિયન એટલે કે સોના અને ચાંદીની આયાત માટે એડવાન્સ રેમિટન્સ (એડવાન્સ ચુકવણી)ની ફેસિલિટી પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયથી બુલિયન આયાતકારો અને ટ્રેડરોમાં ખળભળાટ મચી ગયો છે. મની લોન્ડરિંગ અને ફોરેન પેમેન્ટના દુરુપયોગને રોકવા માટે આરબીઆઈનું આ પગલું મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ ક્રૂડ ઓઈલ અને સોનું ભારતમાં સૌથી વધુ આયાત થતા પ્રોડક્ટોમાંનું એક છે. અનેક કિસ્સાઓમાં, એવું બહાર આવ્યું છે કે આયાત નાણાંના બદલામાં સામે વિદેશમાં મોકલવામાં આવતો માલ દેશમાં આવતો જ નથી, જેના કારણે ભંડોળના દુરુપયોગનું જોખમ વધે છે. નુવામાના એક્સપર્ટસના મતે 'અગાઉથી પેમેન્ટ કરવા છતાં સોનું અથવા અન્ય ધાતુઓ આવતી નથી, ત્યારે વિદેશમાં મોકલવામાં આવતા નાણાં શંકાસ્પ...
જાણવા જેવું / આખરે પાણીની બોટલના ઢાંકણા કેમ અલગ-અલગ રંગના હોય છે? જાણશો તો…!

જાણવા જેવું / આખરે પાણીની બોટલના ઢાંકણા કેમ અલગ-અલગ રંગના હોય છે? જાણશો તો…!

LifeStyle, Technology
Packaged Drinking Water: પાણીની બોટલના ઢાંકણાના કલર અલગ-અલગ રંગના પાણીનો સંકેત આપે છે, જેમ કે આલ્કલાઇન, સ્પ્રિંગ કે ફ્લેવર્ડ. જો કે શુદ્ધ પાણી જાણવા માટે રંગ નહીં, બોટલનું લેબલ અને ગુણવત્તા માનક જોવું જરૂરી છે. Packaged Drinking Water: ઘણી વખતે આપણે જોયું હશે કે પેક કરેલી પાણીની બોટલના ઢાંકણાના કલર અલગ-અલગ હોય છે. આ જોઈને વિચાર્યું પણ હશે કે આ રંગ માત્ર દેખાડા માટે જ છે કે આનો કોઈ અર્થ નીકળે છે? સોશિયલ મીડિયા પર ઘણીવાર દાવાઓ કરવામાં આવે છે કે દરેક ઢાંકણા અલગ પ્રકારના પાણીનો સંકેત આપે છે, જેમાં કે ભૂરો, લાલ, લીલો, સફેદ કે કાળો. જો કે નિષ્ણાતોએ જણાવ્યું કે આ રંગ ખરેખર પાણીના પ્રકાર અને તેના ઉપયોગનો સંકેત હોય શકે છે. પણ હંમેશા લેબલ જોઈને જ પાણી ખરીદવું સુરક્ષિત હોય છે. બોટલના કલરનો અર્થ એક અહેવાલ પ્રમાણે, બોટલનો કલર ઘણીવાર પાણીનો પ્રકાર જણાવે છે. જેમ કે ભૂરું ઢાંકણું મોટાભાગે સ્પ્રિં...
BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો ટોણો

BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો ટોણો

Breaking News, LifeStyle, Politics, Technology, What's Hot
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણીમાં ભાજપ-શિંદે જૂથની મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે, પરંતુ હવે સત્તાનો અસલી સંઘર્ષ મેયર પદને લઈને શરૂ થયો છે. 'કિંગમેકર'ની ભૂમિકામાં આવેલા એકનાથ શિંદેને 'હોર્સ ટ્રેડિંગ'નો ડર સતાવી રહ્યો છે, જેના કારણે તેમણે પોતાના તમામ 29 કાઉન્સિલરોને 5-સ્ટાર હોટલમાં શિફ્ટ કરી દીધા છે. જોકે કેટલાક સૂત્રોએ એવો દાવો કર્યો કે એકનાથ શિંદેએ ભાજપની મજબૂરીને ભાળી જતાં મોટો દાવ રમી નાખ્યો છે. તેઓ મુંબઈના મેયર પદની માગણી કરીને ભાજપને દબાણમાં લાવી શકે છે. કારણ કે હાલમાં એકનાથ શિંદે ભાજપ માટે કિંગમેકરની ભૂમિકામાં છે. બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અઢી-અઢી વર્ષના મેયરપદની ફોર્મ્યુલા પર વાતચીત કરવાના સંકેત આપ્યા છે, જેના પર ઉદ્ધવ ઠાકરેએ તીખો કટાક્ષ કર્યો છે.  ફડણવીસનું નરમ વલણ, ફોર્મ્યુલા માટે તૈયાર BMCમાં મેયર પદને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્...
Ahmedabad: સાબરમતી જેલમાં કેદીએ કરી આત્મહત્યા, 9 દિવસ પહેલા જ થઈ હતી ધરપકડ

Ahmedabad: સાબરમતી જેલમાં કેદીએ કરી આત્મહત્યા, 9 દિવસ પહેલા જ થઈ હતી ધરપકડ

Breaking News, LifeStyle, What's Hot
અમદાવાદમાં સાબરમતી ખાતે આવેલી સેન્ટ્રલ જેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આજે વહેલી સવારે એક કેદીએ જેની લગભગ 9 દિવસ અગાઉ જ ધરપકડ કરીને અહીં લાવવામાં આવ્યો હતો તેણે જેલના બાથરૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.  8 જાન્યુઆરીએ વિરમગામ પોલીસે કરી હતી ધરપકડ  માહિતી અનુસાર આ કેદીની ધરપકડ વિરમગામ પોલીસે 8 જાન્યુઆરીએ કરી હતી. જોકે જેલમાં 9 દિવસ થયાને જ તેણે આ ચોંકાવનારું પગલું ભરતાં જેલમાં હડકંપ મચી ગયો હતો. કેદીની ઓળખ નિશાન સિંહ તરીકે થઇ છે. તેની વય 31 વર્ષ હતી. મૂળ પંજાબ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા નિશાન સિંહે  પોતાની પાઘડી ઉતારીને જ એનાથી જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. રાણીપ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  આત્મહત્યાનું કારણ અકબંધ!  વિગતો મુજબ નિશાન સિંહ કાચા કામનો કેદી હતો. તેણે આજે વહેલી સવારે જ શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર 4મ...