Tuesday, February 17News That Matters

Breaking News

વાયુ પ્રદૂષણ / સાચવજો! દિલ્હી બાદ હવે અમદાવાદની હવા ઝેરી બની, અનેક વિસ્તારોના AQI 400ને નજીક

વાયુ પ્રદૂષણ / સાચવજો! દિલ્હી બાદ હવે અમદાવાદની હવા ઝેરી બની, અનેક વિસ્તારોના AQI 400ને નજીક

Breaking News, LifeStyle, What's Hot
Ahmedabad Air Pollution: અમદાવાદ શહેરની હવા ઝેરી બની ગઈ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું છે. કેટલાય વિસ્તારોમાં AQI 400ને નજીક પહોંચી ગયું છે. દેશની રાજધાની દિલ્હીમાં વર્ષોથી શિયાળામાં ભારે પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે, ત્યારે હવે અમદાવાદની હવા પણ ઝેરી બની છે. અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારે ઠંડીના પ્રકોપ પછી હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારમાં AQI 400ને પાર પહોંચી ગયો છે. ઠંડીના પ્રકોપ સાથે હવાનું પ્રદૂષણ અમદાવાદમાં ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. ત્યારે વહેલી સવારથી શહેરમાં ધુમ્મસ છવાયેલું હોવાની સાથે જ અમદાવાદમાં વાયુ પ્રદુષણને કારણે વિઝીબિલીટી ઘટી જાય છે. ઠંડીના કારણે પ્રદૂષણના કણો હવામાં નીચે રહી જાય છે જેથી હવ...
ચકચાર / વડોદરાના પાદરામાં 3 મગરનાં શંકાસ્પદ મોત, વન વિભાગ દોડતું થઈ ગયું

ચકચાર / વડોદરાના પાદરામાં 3 મગરનાં શંકાસ્પદ મોત, વન વિભાગ દોડતું થઈ ગયું

Breaking News, What's Hot
Vadodara Crocodile Death: વડોદરાના પાદરામાં 3 મગરોના રહસ્યમય મોત થયા છે. ત્રણ મગરનાં મોત પછી વન વિભાગ દોડતું થયું છે. મગરનાં મોતનું કારણ જાણવા વન વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. Vadodara Crocodiles Death: વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરો પર કોઈ પ્રકારનું જોખમ હોય એવું લાગી રહ્યું છે. વડોદરાના પાદરામાં 3 મગરનાં શંકાસ્પદ મોત થયા છે. પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોના શંકાસ્પદ મોત થયા છે. આમળા, મોભા અને સાદળ ગામે 1-1 મગરના મોત થયા છે. ત્યારે ત્રણ અલગ-અલગ ગામોમાં ત્રણ મગરોના મોતથી ચકચાર મચી ગઈ છે. મગરનાં મોતનું કારણ જાણવા માટે વન વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. વન વિભાગે ત્રણેય મગરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. ત્યારે આ મગરોના મોતને લઈને અનેક શંકા-કુશંકાઓ થઈ રહી છે. આ અંગે હાલમાં તપાસ થઈ રહી છે અને મગરનાં મોતનું કારણ જાણવા માટે વન વિભાગે તાજવીજ હાથ ધરી છે....
કાર્યવાહી / ગેરકાયદે PG ચલાવનારા ચેતી જજો! અમદાવાદમાં 3 પીજીને કરાયા સીલ

કાર્યવાહી / ગેરકાયદે PG ચલાવનારા ચેતી જજો! અમદાવાદમાં 3 પીજીને કરાયા સીલ

Breaking News, Business, What's Hot
Ahmedabad news: અમદાવાદમાં કોર્પોરેશને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. હવે જો કોઈ PG.., વાંચો વિગતે Ahmedabad Municipal Corporation News: અમદાવાદમાં બહારથી ભણવા માટે કે પછી નોકરી માટે હજારો છોકરા છોકરીઓ આવતા હશે અને તેઓ PGમાં રહેતા હશે અને એટલે જ અમદાવાદમાં PGની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. તેવામાં AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ PG માલિકો સામે લાલ આંખ કરી છે અને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં ગેરકાયદે રીતે ચાલતા પેઇંગ ગેસ્ટ (PG) સંચાલન સામે કાર્યવાહી કરતાં શહેરના ગુરુકુળ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ફ્લેટોમાં જરૂરી મંજૂરી વિના ચાલતા ત્રણ PGને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા છે. વધુ માહિતી અનુસાર ગુરુકુળ રોડ પર આવેલી સ્ટર્લિંગ સોસાયટી અને નિરમણી સોસાયટીમાં કેટલાક ફ્લેટોમાં કોઈપણ પ્રકારની મંજૂરી કે જાણ વગર ગેર...
ગાંધીનગર / ગાંધીનગરમાં PM મોદી-જર્મન ચાન્સેલર વચ્ચે બેઠક થઈ, બન્ને દેશો વચ્ચે થયા આ મહત્વના કરાર

ગાંધીનગર / ગાંધીનગરમાં PM મોદી-જર્મન ચાન્સેલર વચ્ચે બેઠક થઈ, બન્ને દેશો વચ્ચે થયા આ મહત્વના કરાર

Breaking News, LifeStyle, Politics, Travel, What's Hot
ભારત-જર્મની વચ્ચે મહત્વના કરાર થયા છે. પીએમ મોદીએ જર્મનીના સંબંધોને ખાસ ગણાવ્યા હતા. ગુજરાતીમાં ચાન્સેલર મર્ઝનું સ્વાગત કર્યું હતું. તેમજ CEO ફોરમમાં સંબંધોને પ્લેટિનમની ઉપમા આપી હતી. ગાંધીનગરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ગાંધીનગરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારત-જર્મની વચ્ચે મહત્વના ક્ષેત્રો પર કરાર થયા હતા. વડાપ્રધાને જર્મનીના ચાન્સેલરને આવકારો મીઠો આપજે રે ની ભાવના સાથે મર્ઝનું ભારતમાં હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ભારત-જર્મની દ્વિપક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર છે. ઈન્ડિયા-જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે. જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઈન્ટેન્શનથી હેલ્થકેર પ્રોફેશનલની આવન-જાવન સરળ બનશે. આતંકવાદ સામે બન્ને દેશ મજબૂતીથી લડાઈ લડશે-PM તેમજ રક્ષા ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા એક રોડ મેપ પર કામ ...
Ayodhya: રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ, પોલીસે કાશ્મીરી યુવકની કરી અટકાયત

Ayodhya: રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ, પોલીસે કાશ્મીરી યુવકની કરી અટકાયત

Breaking News, Politics, What's Hot
Ayodhya Ram Mandir Security Breach: અયોધ્યા સ્થિત રામ મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો મામલો સામે આવ્યો છે. અયોધ્યા રામ મંદિર પરિસરમાં એક મુસ્લિમ યુવક દ્વારા નમાઝ અદા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાસ્તવમાં, રામ મંદિર પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કરતી વખતે સમુદાયના કેટલાક લોકોએ એક યુવાનની અટકાયત કરી છે. મંદિર પરિસરમાં નમાઝ અદા કરનાર યુવક એક ચોક્કસ સમુદાયનો હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા યુવકે રામ મંદિર સંકુલમાં નમાજ અદા કરવાનો પ્રયાસ કર્યો હતો. અયોધ્યા રામ મંદિર સંકુલ પાસે નમાજ અદા કરવાનો પ્રયાસ કરી રહેલા એક યુવકની પોલીસે અટકાયત કરી છે. પોલીસે જ્યારે તેને રોક્યો ત્યારે તે વ્યક્તિ સાંપ્રદાયિક હિતના નારા લગાવવા લાગ્યો. આ યુવાનની ઓળખ કાશ્મીરના શોપિયાના રહેવાસી અહેમદ શેખ તરીકે થઈ છે. મંદિર પરિસરમાં હાજર લોકોએ જણાવ્યું કે જ્યારે સુરક્ષા કર્મચારીઓએ યુવકને અટકાવ્યો ત્યા...
નિવેદન / ‘અમારા મંદિરોને લૂંટવામાં આવ્યા, અને આપણે…’, જાણો NSA અજીત ડોભાલએ કેમ આવું કહેવું પડ્યું?

નિવેદન / ‘અમારા મંદિરોને લૂંટવામાં આવ્યા, અને આપણે…’, જાણો NSA અજીત ડોભાલએ કેમ આવું કહેવું પડ્યું?

Breaking News, Politics, Technology, What's Hot
NSA Ajit Doval: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર National Security Advisor આજીત ડોભાલે શુક્રવારના રોજ એક નિવેદનમાં જણાવ્યું કે ભારતને આઝાદી ખૂબ મોટી કિંમત પર મળી છે. સાથે જ ડોભાલે કહ્યું હતું કે ભૂતકાળમાં સુરક્ષા મામલે ચૂક કરવાથી એક પાઠ પણ શીખવા મળ્યો છે. NSA Ajit Doval: National Security Advisor આજીત ડોભાલે ભારતની આઝાદી માટે કહ્યું કે ભારતે આઝાદી માટે એક મોટી કિંમત ચૂકવી છે. જૂની પેઢીએ અપમાન, વિનાશ અને ભારે નુકસાન પણ સહન કર્યું છે. ભૂતકાળમાં સુરક્ષા ચૂકને કારણે ઘણો મોટો પાઠ ભણવા પણ મળ્યો છે. આ સાથે જ તેમણે આવનારી પેઢીને યુવાનોને અપીલ કરી છે કે તેમણે ઇતિહાસમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રનું પુનર્નિર્માણકરવું જોઈએ અને આપણા મૂલ્યો, અધિકારો અને વિશ્વાસ પર આધારિત એક મજબૂત અને મહાન ભારતનું નિર્માણ કરવું જોઈએ. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગના ઉદ્ઘાટન સમારોહમાં એક ભાષણ આપતા ડોભાલે કહ્યું કે આ સ્વતંત્ર ભ...
અમદાવાદ / સાબરમતી સેન્ટ્રલ જેલના 24 કેદીઓ આપશે બોર્ડની એક્ઝામ, જાણો આયોજન

અમદાવાદ / સાબરમતી સેન્ટ્રલ જેલના 24 કેદીઓ આપશે બોર્ડની એક્ઝામ, જાણો આયોજન

Breaking News, LifeStyle, Technology, What's Hot
Central Jail Inmates to take Board Exams: ગુજરાત બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં યોજાશે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલમાં કેદીઓ બોર્ડની પરીક્ષાઓ આપશે. આ વખતે સાબરમતી સેન્ટ્રલ જેલના 24 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે.આવતા મહિને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજાશે, ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં શરૂ થનારી બોર્ડની પરીક્ષા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આપશે. સાબરમતી જેલના કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા અમદાવાદ સાબરમતી જેલના 15 કેદીઓ ધોરણ-10ની અને 9 કેદીઓ ધોરણ-12ની પરીક્ષા આપશે. ત્યારે શિક્ષણ વિભાગ આ કેદીઓ માટે સેન્ટ્રલ જેલમાં પરીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવશે. જેલ તંત્ર અને શિક્ષણ વિભાગ સાથે મળીને કેદીઓ ...
Surat માં મોટા વરાછા ખાતે સાયબર ક્રાઈમના દરોડા, દુબઈની કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરનારા બે ઝડપાયા

Surat માં મોટા વરાછા ખાતે સાયબર ક્રાઈમના દરોડા, દુબઈની કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરનારા બે ઝડપાયા

Breaking News, LifeStyle, Technology, What's Hot
તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી દીપકે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોના આઈડી બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી KBC બિલ્ડિંગમાં સાયબર ક્રાઈમની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને રોકાણના નામે છેતરપિંડી આચરતા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ દીપક ડોબરીયા અને શૈલેષ ધામેલિયા લોકો પાસે ગેરકાયદેસર રીતે રોકાણ કરાવી તે નાણાં દુબઈની કંપનીમાં ઇન્વેસ્ટ કરતા હતા. આરોપીઓ રોકાણકારોને માત્ર 9 હજાર રૂપિયામાં પ્રાથમિક મેમ્બરશીપ આપવાની લાલચ આપી જાળમાં ફસાવતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી દીપકે અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોના આઈડી બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. રોકાણકારો સાવધાન! સાયબર ક્રાઈમની તપાસ મુજબ, આ ટોળકી દુબઈની કંપનીઓના નામે વિશ્વાસ અપાવીને ઉંચા વળતરની લાલચ આપતી હતી અને લોકોના મહેનતના પૈસા વિદેશી ખાતાઓમાં ટ્રાન્...
Vadodara : નંદેસરી પોલીસે વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી વાયર આપ્યા

Vadodara : નંદેસરી પોલીસે વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી વાયર આપ્યા

Breaking News, LifeStyle, Technology, What's Hot
વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશન દ્વારા ખાખી કેર ફાઉન્ડેશનના સહયોગથી સેફ્ટી વાયરનું વિતરણ અને સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ચાઈનીઝ દોરી ન વાપરવા પોલીસની અપીલ કરી.આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરાની નંદેસરી પોલીસ એક્શન અને સેવા મોડમાં જોવા મળી રહી છે. ઉત્તરાયણ દરમિયાન દોરીથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે નંદેસરી પોલીસ સ્ટેશન અને 'ખાખી કેર ફાઉન્ડેશન'ના સંયુક્ત ઉપક્રમે વાહનચાલકોની સુરક્ષા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સેફ્ટી વાયરનું વિતરણ અને જાગૃતિ કાર્યક્રમ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ ખંત અને ઉત્સાહપૂર્વક વાહનચાલકોના ટુ-વ્હિલર પર વિનામૂલ્યે સેફ્ટી વાયર લગાવી આપ્યા હતા. આ સેફ્ટી વાયર ગળાના ભાગે દોરી આવતા અટકાવે છે, જે અકસ્માત નિવારવામાં અત્યંત મદદરૂપ થાય છે. આ ઉપરાંત, નંદેસરી પોલીસ દ્વારા વિસ્તારની વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને...
Rajkot: હિરાસર એરપોર્ટ પર PMનું સ્વાગત, કુંવરજી બાવળીયા અને મેયરે વડાપ્રધાનને આવકાર્યા

Rajkot: હિરાસર એરપોર્ટ પર PMનું સ્વાગત, કુંવરજી બાવળીયા અને મેયરે વડાપ્રધાનને આવકાર્યા

Breaking News, Business, LifeStyle, Politics
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેઓ રાજકોટના હિરાસર એરપોર્ટ (રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ) ખાતે ઉતરાણ કર્યા બાદ હવે પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે રવાના થયા છે. રાજકોટમાં ભવ્ય સ્વાગત રાજકોટના હિરાસર એરપોર્ટ પર વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. માત્ર 5 મિનિટનું રોકાણ અને સોમનાથ પ્રસ્થાન વડાપ્રધાન મોદી હિરાસર એરપોર્ટ પર માત્ર 5 મિનિટ જેટલા ટૂંકા સમય માટે રોકાયા હતા. સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ તેઓ તુરંત જ હેલિકોપ્ટર મારફતે સોમનાથ જવા માટે રવાના થયા હતા. સોમનાથ ખાતે તેઓ ભગવાન ભોળાનાથના આશીર્વાદ લેશે અને ત્યાં આયોજિત ...