Tuesday, February 17News That Matters

What’s Hot

Mahisagar news: ઝીંઝવા રોડ પર આવેલા કુવામાં કાર ખાબકતા યુવાનનું મોત

Mahisagar news: ઝીંઝવા રોડ પર આવેલા કુવામાં કાર ખાબકતા યુવાનનું મોત

Breaking News, Travel, What's Hot
ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મહિસાગર જિલ્લામાં અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં  મહિસાગર તાલુકાના જુના ઝીંઝવા રોડ પર આવેલા કુવામાં મધરાતે ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી છે.જોકે કારમાં સવાર યુવાનનું મોત થયુ છે.રોડ પર થી પસાર થતી કાર સાથે એક યુવક કુવામાં પડ્યો હતો.. ક્રેન મારફતે કુવામાંથી કાર બહાર કાઢવામાં આવી ઘટનાની જાણ થતાપોલીસ અને લુણાવાડા ફાયર વિભાગ દ્વારા ક્રેન મારફતે કુવામાંથી કાર બહાર કાઢવામાં આવી હતી..જુના ઝીંઝવા ગામના યુવકના મોતને લઈ ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો....
Navsari news: Gujarat ATSએ નવસારીમાંથી UPના શખ્સને ઝડપ્યો, આરોપી મોટા હુમલાની ફિરાતમાં હતો

Navsari news: Gujarat ATSએ નવસારીમાંથી UPના શખ્સને ઝડપ્યો, આરોપી મોટા હુમલાની ફિરાતમાં હતો

Breaking News, What's Hot
ગુજરાત ATSને મોટી સફળતામળી છે. મળતા અહેવાલ પ્રમાણે આતંકી ષડયંત્રના કેસમાં ફૈઝાન શેખની ધરપકડ કરી છે. જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદાના વિચારોથી આરોપી રેડિકલાઈઝ થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે નિર્ધારિત સમૂહ પર હુમલો કરી આતંક ફેલાવાની યોજના હતી.  આરોપી કાવતરુ રચે તે પહેલાં જ તેને ઝડપી લીધો છે. આરોપીની નવસારી ચારપુલ વિસ્તારમાંથી ધરપકડ કરી આરોપીની નવસારી ચારપુલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે, ઉલ્લેખનીય છે કે ફૈઝાન શેખ મૂળ UPના રામપુરનો રહેવાસી છે. મળતા અહેવાલ પ્રમાણે આરોપી પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર ઝડપાયા છે.  હથિયાર અને ગોળાબારુદ ગેરકાયદેસર રીતે મેળવ્યા હોવાનો ATSની તપાસમાં ખુલાસો થયો છે.  હથિયારો કોણે પૂરા પાડ્યા તે અંગે તપાસ આ આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર અને જીવતા કારતૂસ (એમ્યુનિશન) પણ મેળવી લીધા હતા. હાલ ATS આ મામલે તપાસ કરી રહી છે કે તેને હથિયારો કો...
કેનેડિયન પીએમ માર્ચમાં ભારતની લઈ શકે છે મુલાકાત, ઊર્જા અને વેપાર કરાર અંગે થશે ચર્ચા!

કેનેડિયન પીએમ માર્ચમાં ભારતની લઈ શકે છે મુલાકાત, ઊર્જા અને વેપાર કરાર અંગે થશે ચર્ચા!

Breaking News, Business, Politics, Travel, What's Hot
વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં વધતી જતી અનિશ્ચિતતા અને યુએસ ટેરિફ ધમકીઓ વચ્ચે, કેનેડા ભારત સાથેના તેના સંબંધોને ફરીથી દિશા આપવાની તૈયારી કરી રહ્યું છે. આ સંદર્ભમાં, કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની માર્ચના પહેલા અઠવાડિયામાં ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે. ભારતમાં કેનેડાના હાઈ કમિશનર દિનેશ પટનાયકે રોઇટર્સને જણાવ્યું હતું કે આ પ્રસ્તાવિત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઊર્જા, મહત્વપૂર્ણ ખનિજો, પરમાણુ સહયોગ અને ઉભરતી ટેકનોલોજીઓને આવરી લેતા અનેક મહત્વપૂર્ણ કરારો થઈ શકે છે. આ મુલાકાતને ભારત-કેનેડા સંબંધોમાં એક મોટા પુનર્ગઠન તરીકે જોવામાં આવી રહી છે. યુરેનિયમથી લઈને AI સુધીના કરારો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દરમિયાન યુરેનિયમ પુરવઠો, તેલ અને ગેસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગ સંબંધિત કરારો શક્ય છે. ખાસ કરીને, આશરે 2.8 બિલિયન ક...
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા, જાણો લોકોને શું કરી અપીલ!

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા, જાણો લોકોને શું કરી અપીલ!

Breaking News, LifeStyle, Politics, What's Hot
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના ગંભીર મુદ્દે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘આ પ્રદૂષણની આપણે ભારે કિંમત ચૂકવી રહ્યા છીએ, જેની અસર આપણા સ્વાસ્થ્ય અને દેશની અર્થવ્યવસ્થા એમ બંને પર પડી રહી છે.’ બાળકો અને શ્રમિકો સૌથી વધુ પ્રભાવિત  રાહુલ ગાંધીએ બાળકો, વૃદ્ધો, શ્રમિકોની ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, ‘ઝેરી હવાનો સૌથી વધુ ખરાબ અનુભવ બાળકો અને વૃદ્ધોને થઈ રહ્યો છે. પ્રદૂષણને કારણે લાદવામાં આવતા પ્રતિબંધો અને ખરાબ હવાને લીધે આ ગરીબ વર્ગની આજીવિકા પર સીધી અસર પડી રહી છે. કરોડો સામાન્ય ભારતીયો દરરોજ આ બોજ સહન કરવા મજબૂર બન્યા છે.’ અવાજ ઉઠાવવો એ પરિવર્તનનું પ્રથમ પગલું : રાહુલ ગાંધી વિપક્ષી નેતાએ લોકોને અપીલ કરી હતી કે, ‘આ સંકટને માત્ર શિયાળો પૂરો થતા ભૂ...
અસલાલીમાં 6 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ હટતા જ નાજ ગામની સીમમાં છુપાયા હતા

અસલાલીમાં 6 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ હટતા જ નાજ ગામની સીમમાં છુપાયા હતા

Breaking News, Travel, What's Hot
અમદાવાદમાં અસલાલી પોલીસે નાજ ગામની સીમમાંથી ગેરકાયદે રીતે રહેતા 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા શખસોમાં 3 બાળકો અને 3 પુખ્ત વયના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ તમામ શખસો કોઈપણ માન્ય આધાર પુરાવા વગર ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી છેલ્લા દસ વર્ષથી અમદાવાદમાં વસવાટ કરી રહ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેવી રીતે ભાંડો ફૂટ્યો? મળતી માહિતી મુજબ, અસલાલી પોલીસની ટીમ જ્યારે બારેજાના નાજ ગામમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે વાડી વિસ્તારમાં આવેલ જલ્પેસ દેસાઈના બોર પર રહેતા કેટલાક વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે તપાસ કરતા ત્યાંથી કાલોન સોલેમાન મોલ્લા, મોહમ્મદ અરાફત મોલ્લા અને રીબાખાતુન મોલ્લા મળી આવ્યા હતા. તેમની સાથે ત્રણ નાના બાળકો પણ હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ તમામ મૂળ બાંગ્લાદેશના ખુલના જિલ્લાના વતની છે. સતખીરા સરહદથી ...
જૂનાગઢ / 6 વર્ષના માસૂમ પર એકસાથે 5 શ્વાન તૂટી પડ્યાં, ગ્રામજનો વિફર્યાં

જૂનાગઢ / 6 વર્ષના માસૂમ પર એકસાથે 5 શ્વાન તૂટી પડ્યાં, ગ્રામજનો વિફર્યાં

Breaking News, Uncategorized, What's Hot
Junagadh Stray Dogs: જૂનાગઢના બિલખા ગામે રખડતાં શ્વાનના આતંકની ઘટના સામે આવી છે, અહીં પાંચ જેટલા રખડતાં શ્વાને 6 વર્ષીય બાળકને બચકાં ભરીને ઇજા પહોંચાડી. જૂનાગઢના બિલખા ગામમાં રખડતા શ્વાનોએ એક નાના બાળક પર હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. પાંચ જેટલા શ્વાને માત્ર 6 વર્ષના બાળકને બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ગામમાં રખડતા શ્વાનના આતંકને લઈને લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. 5 જેટલા શ્વાને બાળકને ભર્યાં બચકાં માહિતી પ્રમાણે, અચાનક પાંચ જેટલા રખડતા શ્વાનોએ બાળક પર હુમલો કરી દીધો. શ્વાનોએ બાળકને ખતરનાક રીતે બચકાં ભરીને બાળકને ઘાયલ કરી દીધું. પરિવારજનોની બૂમોથી શ્વાન ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકને કરાયો દાખલ ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક બિલખા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર ...
Junagadh news: CAનો વ્યવસ્યા કરતા યુવાનનું અપહરણ, પોલીસના ડરથી આરોપીઓ યુવકને જામનગર હાઈવે પર છોડી ફરાર

Junagadh news: CAનો વ્યવસ્યા કરતા યુવાનનું અપહરણ, પોલીસના ડરથી આરોપીઓ યુવકને જામનગર હાઈવે પર છોડી ફરાર

Breaking News, LifeStyle, Travel, What's Hot
ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જૂનાગઢમાં સીએનો વ્યવસાય કરતા યુવકનું અપહરણ થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ગત 23મી તારીખની રાત્રે મિલન ચંદુભાઈ ચૌહાણનું અજાણ્યા શખ્સોએ અપહરણ કરી 60 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. જૂનાગઢ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી નાકાબંધી કરતા અપહરણકર્તાઓ પર દબાણ વધ્યું હતું. ડરથી આરોપીઓ મિલન ચૌહાણને જામનગર નજીક મુક્ત કરી નાસી છૂટ્યા પોલીસના ડરથી આરોપીઓ મિલન ચૌહાણને જામનગર નજીક મુક્ત કરી નાસી છૂટ્યા હતા. આ મામલે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ મથકે જય ઓડેદરા સહિતના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.  ...
Surendranagarમાં કાતિલ ઠંડીનો કહેર; વોકિંગમાં નીકળેલા યુવકનું હાર્ટ એટેકથી મોત

Surendranagarમાં કાતિલ ઠંડીનો કહેર; વોકિંગમાં નીકળેલા યુવકનું હાર્ટ એટેકથી મોત

Breaking News, LifeStyle, What's Hot
સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડતા જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાતિલ ઠંડીએ એક યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. વઢવાણ નજીક ચાલવા નીકળેલા એક યુવકને અચાનક હાર્ટ એટેક આવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ જાની નામનો યુવક વોકિંગ માટે નીકળ્યો હતો. સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નજીક પહોંચી ગયો હોવાથી વાતાવરણમાં ભારે ઠંડક હતી. આ કડકડતી ઠંડીની લપેટમાં આવી જવાથી યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. આસપાસના લોકો એકઠા થાય તે પહેલા જ યુવકે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાની જાણ થતા જ વઢવાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (P.M.) માટે વઢવાણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વઢવાણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી મૃતકના પરિવારમાં શોકનુ...
Ahmedabad news: એરપોર્ટથી 12 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે 4 શખ્સો ઝડપાયા

Ahmedabad news: એરપોર્ટથી 12 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે 4 શખ્સો ઝડપાયા

Breaking News, What's Hot
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ બાતમીના આધારે એક મોટા ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન અંદાજે 12 કરોડ રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે જ ચાર શખસોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની હિલચાલ શંકાસ્પદ જણાતા તપાસ એજન્સીએ તેને અટકાવ્યા મળતી માહિતી મુજબ, મલેશિયાથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ ઉતરેલા અજય પાંડે, સંદીપ, રોની અને મનપ્રિતની હિલચાલ શંકાસ્પદ જણાતા એજન્સીઓએ તેને અટકાવ્યા હતા. તેની કડક તપાસ અને તેમના સામાનનું સ્કેનિંગ કરતા તેમાંથી આશરે 12 કિલો 400 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. આ હાઈબ્રીડ ગાંજો વિદેશી માર્કેટમાં ખૂબ ઊંચી કિંમત ધરાવે છે અને ઈન્ટરનેશનલ બજારમાં તેની અંદાજિત કિંમત 12 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સનો...
ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકાના 25% ટેરિફ પરત ખોંચવાના સંકેત

ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકાના 25% ટેરિફ પરત ખોંચવાના સંકેત

Breaking News, Business, LifeStyle, Politics, What's Hot
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે 'અત્યંત સફળ' ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બેસેન્ટે હવે આ ટેરિફ હટાવવા તરફ ઈશારો કર્યો છે. શું ટેરિફ હવે હટાવવામાં આવશે? સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ભારત પર લાદવામાં આવેલ 25% ટેરિફ પાછો ખેંચાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે હવે આ ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.' જો બંને દેશો વચ્ચેની વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધશે, તો ભારતને મોટી આર્થિક રાહત મળી શકે છે. ભારત પર હાલમાં કેટલું ટેરિફ લાગુ છે? અમેરિકાએ હાલમાં ભારત પર દ્વિ-સ્તરીય ટેરિફ માળખું અમલમાં મૂક્યું છે, જેના કારણે ભારતીય નિકાસકારો...