₹1.53 લાખ કરોડના નિર્ણયોને મંજૂરી, શેરડી ખેડૂતો માટે નવી યોજના જાહેર
શેરડીના ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2026-27 માટે શેરડીની FRP ₹365 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. આ સાથે કુલ ₹1 લાખ કરોડના ફંડની વ્યવસ્થા પણ ખેડૂતોના ચુકવણી માટે કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની યોજાયેલી કેબિનેટ બેઠકમાં દેશના વિકાસ અને કૃષિ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કુલ ₹1.53 લાખ કરોડના મહત્વપૂર્ણ નિર્ણયો મંજૂર કર્યા છે. આ અંગે માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે. બેઠકમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કપાસ ઉત્પાદન વધારવા માટે “કપાસ ઉત્પાદકતા મિશન” અંતર્ગત ₹5,659 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત કસ્તુરી કપાસ માટે અલગથી ₹1,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. ખેડૂતોને રાહત આપવા માટે ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ ₹18,100 કરોડની મંજૂરી આપવામાં આવી છે.
સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ માટે ₹877 કરોડની મંજૂરી
શેરડીના ખેડૂતો મા...









