Friday, June 19News That Matters

Breaking News

Vadodara : નંદેસરી પોલીસે વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી વાયર આપ્યા

Vadodara : નંદેસરી પોલીસે વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી વાયર આપ્યા

Breaking News, LifeStyle, Technology, What's Hot
વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશન દ્વારા ખાખી કેર ફાઉન્ડેશનના સહયોગથી સેફ્ટી વાયરનું વિતરણ અને સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ચાઈનીઝ દોરી ન વાપરવા પોલીસની અપીલ કરી.આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરાની નંદેસરી પોલીસ એક્શન અને સેવા મોડમાં જોવા મળી રહી છે. ઉત્તરાયણ દરમિયાન દોરીથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે નંદેસરી પોલીસ સ્ટેશન અને 'ખાખી કેર ફાઉન્ડેશન'ના સંયુક્ત ઉપક્રમે વાહનચાલકોની સુરક્ષા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સેફ્ટી વાયરનું વિતરણ અને જાગૃતિ કાર્યક્રમ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ ખંત અને ઉત્સાહપૂર્વક વાહનચાલકોના ટુ-વ્હિલર પર વિનામૂલ્યે સેફ્ટી વાયર લગાવી આપ્યા હતા. આ સેફ્ટી વાયર ગળાના ભાગે દોરી આવતા અટકાવે છે, જે અકસ્માત નિવારવામાં અત્યંત મદદરૂપ થાય છે. આ ઉપરાંત, નંદેસરી પોલીસ દ્વારા વિસ્તારની વિવિધ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને...
Rajkot: હિરાસર એરપોર્ટ પર PMનું સ્વાગત, કુંવરજી બાવળીયા અને મેયરે વડાપ્રધાનને આવકાર્યા

Rajkot: હિરાસર એરપોર્ટ પર PMનું સ્વાગત, કુંવરજી બાવળીયા અને મેયરે વડાપ્રધાનને આવકાર્યા

Breaking News, Business, LifeStyle, Politics
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેઓ રાજકોટના હિરાસર એરપોર્ટ (રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ) ખાતે ઉતરાણ કર્યા બાદ હવે પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે રવાના થયા છે. રાજકોટમાં ભવ્ય સ્વાગત રાજકોટના હિરાસર એરપોર્ટ પર વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. માત્ર 5 મિનિટનું રોકાણ અને સોમનાથ પ્રસ્થાન વડાપ્રધાન મોદી હિરાસર એરપોર્ટ પર માત્ર 5 મિનિટ જેટલા ટૂંકા સમય માટે રોકાયા હતા. સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ તેઓ તુરંત જ હેલિકોપ્ટર મારફતે સોમનાથ જવા માટે રવાના થયા હતા. સોમનાથ ખાતે તેઓ ભગવાન ભોળાનાથના આશીર્વાદ લેશે અને ત્યાં આયોજિત ...
સુરેન્દ્રનગર માં કરોડોના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર

સુરેન્દ્રનગર માં કરોડોના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર

Breaking News, Politics, What's Hot
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશનના અલગ-અલગ કુલ 29 ગુનાઓમાં અગાઉ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ તમામ કેસોનો નિકાલ કરવાના ભાગરૂપે આજે પોલીસ તંત્ર દ્વારા સત્તાવાર રીતે નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન 53,947 કુલ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. જેની કુલ કિંમત 4,22,55,193 આંકવામાં આવી રહી છે. આ તમામ મુદ્દામાલ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે....
પોતાના નિર્ણયોથી દુનિયામાં હડકંપ મચાવનારા Donald Trump વકીલોથી કેમ છે પરેશાન?, જાણો

પોતાના નિર્ણયોથી દુનિયામાં હડકંપ મચાવનારા Donald Trump વકીલોથી કેમ છે પરેશાન?, જાણો

Breaking News
પોતાના નિર્ણયો અને કાર્યવાહીથી દુનિયાભરમાં ધાક જમાવનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરેશાન જોવા મળી રહ્યા છે. તેઓ પોતાના જ રાજ્યના સરકારી વકીલોથી હેરાન છે. અમેરિકાના રાજ્યના ન્યાયી અધિકારી ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને બે વિવિધ મુદ્દાઓ પર ઘેરી રહ્યા છે. તેમા પ્રથમ મુદ્દો છે તંત્રની નીતિઓ પર સંવિધાન અને કાયદા પર સવાલ ઉઠાવવા અને બીજો મુદ્દો એ છે કે જેમાં વેપારી સમૂહો અથવા કોર્પોરેટ તાકાતો પર નિયામક નિયંત્રણ સુનિશ્ચિત કરવા સાથે જોડાયેલો છે....
ઈરાન સળગ્યું

ઈરાન સળગ્યું

Breaking News, What's Hot
આજે આખી દુનિયાની નજર પશ્ચિમ એશિયાના દેશ ઈરાન પર ટકેલી છે, જ્યાં મોંઘવારી અને બેરોજગારી સામે જનતાનો આક્રોશ હવે લોહિયાળ જંગમાં ફેરવાઈ ગયો છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા પ્રદર્શનોમાં સ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી છે. ઈરાનના 100 થી વધુ શહેરોમાં હિંસક અથડામણો થઈ રહી છે અને અત્યાર સુધીમાં આ હિંસામાં 8 માસૂમ બાળકો સહિત કુલ 45 લોકોના મોત થયા છે.પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કર્યા છે અને ઠેર-ઠેર આગ લગાડી છે. રસ્તાઓ પર "ખામેનેઈને મોત" અને "ઇસ્લામિક રિપબ્લિકનો અંત" જેવા નારા ગુંજી રહ્યા છે. ઈરાનમાં આજે અરાજકતા જેવો માહોલ આજે પ્રત્યક્ષ દેખાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે સીધી ધમકી આપી છે કે જો ઈરાન સરકાર પોતાના લોકોને મારશે, તો અમેરિકા જોરદાર હુમલો કરશે.ટ્રમ્પની આ ચેતવણી બાદ ઈરાને તેહરાન એરપોર્ટ બંધ કરી દીધું છે અને દેશમાં ઇન્ટરનેટ-ફોન સેવાઓ કાપી નાખી છે. આ ડિજિટલ બ્લેકઆઉટ પાછળ હિંસક ...
“ગંદા પાણી પર AMCની સર્જિકલ સ્ટ્રાઈક

“ગંદા પાણી પર AMCની સર્જિકલ સ્ટ્રાઈક

Breaking News, Entertainment, Politics
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ ભરતા શહેરીજનોને શુદ્ધ પાણી ક્યારે મળશે? આ સવાલ એટલા માટે કારણ કે શહેરના અનેક વિસ્તારો, ખાસ કરીને ચાલી વિસ્તારોમાંથી પ્રદૂષિત પાણીની ફરિયાદોનો પહાડ ખડકાયો છે.ત્યારે આજે AMC ની વોટર કમિટીની બેઠકમાં પ્રદૂષિત પાણી સામે નવો પ્લાન બનાવવામાં આવ્યો છેઆજે મળેલી વોટર કમિટીની બેઠકમાં આ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી જે માત્ર 7 થી 10 સેમ્પલ લેવામાં આવતા હતા, તે સંખ્યા હવે સીધી ડબલ કરવામાં આવશે. તંત્રએ આદેશ આપ્યો છે કે જ્યાં પણ સેમ્પલ નિષ્ફળ જાય, ત્યાં કોઈ પણ બહાનાબાજી વગર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.પરંતુ સવાલ એ છેકે દર વખતે ફરિયાદો ઉઠ્યા પછી જ તંત્ર કેમ જાગે છે? શું અગાઉથી લાઈનોનું ચેકિંગ ન થઈ શકે? ન્યૂ ભારત ન્યૂઝ આ પ્રદૂષિત પાણીના પ્રશ્ને જનતાની પડખે ઉભું છે અને AMC ના કામ પર સતત નજર રાખશે. https://youtu.be/lY4H_YELCp0?si=AYBXyN7sYuVxT-3...
સાબરકાંઠામાં 1.27 કરોડનો દારૂ ચકનાચૂર!

સાબરકાંઠામાં 1.27 કરોડનો દારૂ ચકનાચૂર!

Breaking News, Entertainment, Politics
1.27 કરોડ રૂપિયા… આ રકમનો દારૂ આજે હિંમતનગરના વિરપુરની સીમમાં રોડ પર વહેતો જોવા મળ્યો. સાબરકાંઠાના ચાર-ચાર પોલીસ સ્ટેશનોએ છેલ્લા 4 મહિનામાં જે મહેનત કરી હતી, જે 36,800 બોટલો ઝડપી હતી, તેના પર આજે પોલીસનું ભારેખમ રોલર ફરી વળ્યું છે.જુઓ આ દ્રશ્યો… નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલ અને પ્રાંત અધિકારીની હાજરીમાં કેવી રીતે કરોડોનો મુદ્દામાલ ચકનાચૂર કરવામાં આવી રહ્યો છે. ગાંભોઈથી લઈને હિંમતનગર સુધીના બુટલેગરો જે માલ પહોંચાડવાની ફિરાકમાં હતા, તે આજે જમીનદોસ્ત થઈ ગયો છે. ન્યૂ ભારત ન્યૂઝ પોલીસની આ કડક કાર્યવાહીને બિરદાવે છે. https://youtu.be/sGGYE9Vh0wQ?si=zEqgqZI_YAN0PjAx...
સોમનાથમાં આત્મગૌરવ અને આસ્થાનું પર્વ

સોમનાથમાં આત્મગૌરવ અને આસ્થાનું પર્વ

Breaking News, Entertainment
વર્ષ 2027 ના હરિદ્વાર અર્ધકુંભ મેળા પહેલા જ દેશના ધાર્મિક અને રાજકીય આલમમાં એક મોટો વિસ્ફોટ થયો છે. વિશ્વ હિન્દુ પરિષદના ફાયરબ્રાન્ડ નેતા સાધ્વી પ્રાચીએ એક એવી માંગ કરી છે, જેણે આખા દેશમાં નવી ચર્ચા અને વિવાદ જગાવ્યો છે. સાધ્વી પ્રાચીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હરિદ્વારના પવિત્ર ગંગા ઘાટો પર ગેર-હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.તેમણે તર્ક આપ્યો છે કે જો ઇસ્લામના પવિત્ર સ્થળ મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમોને એન્ટ્રી નથી મળતી, તો હરિદ્વારમાં ગેર-હિન્દુઓ કેમ આવે? એટલું જ નહીં, સાધ્વી પ્રાચીએ આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડતા અત્યંત ગંભીર દાવો કર્યો છે.સાધ્વીએ ચેતવણી આપી છે કે જો 06 થી 07 કરોડ શ્રદ્ધાળુઓના મેળામાં ગંગાના પાણીમાં એમોનિયમ નાઈટ્રેટ જેવું કોઈ કેમિકલ ભેળવવામાં આવે તો તેની જવાબદારી કોની? તેમણે લાલ કિલ્લા પર થયેલા બ્લાસ્ટનો ઉલ્લેખ કરીને ઉત્તરાખંડની ધામી સરકાર ...
રાજકોટ ના  જંગલેશ્વરમાં નોટિસ બાદ મામલતદાર કચેરીની બહાર લાંબી લાઈનો, આધાર પુરાવા રજૂ કરવા માટે અરજદારો પહોંચ્યા

રાજકોટ ના જંગલેશ્વરમાં નોટિસ બાદ મામલતદાર કચેરીની બહાર લાંબી લાઈનો, આધાર પુરાવા રજૂ કરવા માટે અરજદારો પહોંચ્યા

Breaking News
લાઇટ બિલ, મકાન વેરા સહિતના આધાર પુરાવા રજૂ કરવા માટે કચેરીમાં આવ્યા અરજદારો લાઇટ બિલ, મકાન વેરા સહિતના આધાર પુરાવા રજૂ કરવા માટે કચેરીમાં આવ્યા હતા. કલેક્ટર તંત્રના જણાવ્યા મુજબ, અત્યારે સુધી 1,300થી વધુ દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે પુરાવા રજૂ કરવા માટે રહીશોને વધુ એક તક અપાઇ જંગલેશ્વરનાં રહેવાસીઓએ વિવિધ પ્રકારના પુરાવા લઈને હાજરી આપી છે અને મામલતદાર કચેરીમાં સોમવારથી કામગીરી ચાલી રહી છે. તંત્રએ જણાવ્યું કે પુરાવા રજૂ કરવા માટે રહીશોને વધુ એક તક અપાઇ છે...
સાણંદના મોરૈયાની બે ખાનગી કંપનીમાં વિકરાળ આગ, ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે

સાણંદના મોરૈયાની બે ખાનગી કંપનીમાં વિકરાળ આગ, ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે

Breaking News
સાણંદના મોરૈયા જીઆઈડીસી વિસ્તારમાં આજે વહેલી સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પિનાગ્સ અને શ્રી હરી પેપર કંપનીમાં આગ લાગતા જોતજોતામાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ખાસ કરીને પેપર કંપની હોવાને કારણે જ્વલનશીલ સામગ્રીના કારણે આગ અત્યંત ઝડપથી ફેલાઈ હતી....