Friday, June 19News That Matters

Breaking News

ગુજરાત / ઓવરસ્પીડિંગ बनी મોતનું કારણ, ભયાનક અકસ્માતમાં સીટબેલ્ટે યુવકને આપ્યો નવો જીવ

ગુજરાત / ઓવરસ્પીડિંગ बनी મોતનું કારણ, ભયાનક અકસ્માતમાં સીટબેલ્ટે યુવકને આપ્યો નવો જીવ

Breaking News
મસ્તી અને ઓવરસ્પીડિંગ કેવી રીતે પળવારમાં જીવલેણ સાબિત થઈ શકે તેનું ચેતવણીરૂપ ઉદાહરણ મહીસાગરમાં સામે આવ્યું છે. એક યુવકે છેલ્લી ક્ષણે સીટબેલ્ટ બાંધ્યો અને એ જ નિર્ણય તેનો જીવ બચાવવાનો કારણ બન્યો. મહીસાગર જિલ્લામાં કડાણા થી સંતરામપુર જતાં માર્ગ પર થયેલો ગંભીર અકસ્માત હવે દરેક વાહનચાલકો માટે મોટો સંદેશ બની ગયો છે. થોડા દિવસો પહેલા બનેલી આ ઘટનામાં બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક યુવકનો જીવ માત્ર સીટબેલ્ટના કારણે બચી ગયો હતો. ઘટનાનો વીડિયો પણ હવે સામે આવ્યો છે, જેમાં કારમાં બેઠેલા યુવકો મસ્તી કરતા અને ઓવરસ્પીડમાં કાર દોડાવતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો માટે ચેતવણીરૂપ બની ગયો છે. સવાર યુવકો જાહેર માર્ગ પર લગાવતા હતા રેસ મળતી માહિતી અનુસાર, બે કારમાં સવાર યુવકો જાહેર માર્ગ પર રેસ લગાવી રહ્યા હતા. કારમાં બેઠેલા મિત્રો માટે ઝડપ માત્ર...
ગાંધીનગર / CBSEનો વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, હવે આ સ્થિતિમાં ફી થશે રિફંડ!

ગાંધીનગર / CBSEનો વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, હવે આ સ્થિતિમાં ફી થશે રિફંડ!

Breaking News
CBSE બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મોટો અને રાહતભર્યો નિર્ણય લીધો છે. હવે ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ સાબિત થશે તો વિદ્યાર્થીઓને ચૂકવેલી ફી પણ પરત મળશે. CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સંબંધિત પ્રક્રિયાઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડે માર્ક વેરીફિકેશન, પુનઃમૂલ્યાંકન અને જવાબ પત્રિકા સ્કેન કોપી મેળવવાની ફીમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો છે. સાથે જ હવે જો જવાબ પત્રિકા ચકાસણી દરમિયાન કોઈ ભૂલ સામે આવશે અને તેમાં સુધારો કરાશે, તો વિદ્યાર્થીએ ચૂકવેલી ફી પણ પરત આપવામાં આવશે. બોર્ડનો આ નિર્ણય લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત સમાન માનવામાં આવી રહ્યો છે. પહેલા 700 રૂપિયા ફી ચૂક્વવી પડતી અગાઉ વિદ્યાર્થીઓને પોતાની જવાબ પત્રિકાની સ્કેન કોપી મેળવવા માટે 700 રૂપિયા ફી ચૂકવવી પડતી હતી, પરંતુ હવે આ ફી ઘટાડીને માત્ર 100 રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, જવાબ પત...
બિઝનેસ / સરકારના 2 મોટા નિર્ણયોની સોના-ચાંદીના બજાર પર અસર, જાણો આજે કેટલા બદલાયા ભાવ

બિઝનેસ / સરકારના 2 મોટા નિર્ણયોની સોના-ચાંદીના બજાર પર અસર, જાણો આજે કેટલા બદલાયા ભાવ

Breaking News
સોના અને ચાંદીના ભાવમાં ફરી જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય લોકો અને રોકાણકારોમાં ચિંતા વધી છે. સરકારના મોટા નિર્ણય અને વૈશ્વિક તણાવ વચ્ચે કિંમતી ધાતુઓના ભાવ સતત વધી રહ્યા છે. 1. સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારો અને સામાન્ય ગ્રાહકો બંનેમાં ચિંતા વધી છે. આ વધારો એવા સમયે થયો છે જ્યારે કેન્દ્ર સરકાર અને PM નરેન્દ્ર મોદીના બે મહત્વપૂર્ણ નિર્ણયો બજારમાં ચર્ચાનો વિષય બન્યા છે. એક તરફ PM દેશના ફોરેક્સ રિઝર્વને મજબૂત બનાવવા માટે લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી, તો બીજી તરફ કિંમતી ધાતુઓ પરની આયાત જકાતમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો. આ બંને નિર્ણયોની સીધી અસર હવે બજારમાં દેખાઈ રહી છે. 2. 10 ગ્રામ ₹6,540નો વધારો ગત અઠવાડિયામાં 24 કેરેટ સોનાના ભાવમ...
કાર્યક્રમ / ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અમિત શાહ, બે દિવસના ટૂરનું ફુલ શિડ્યુલ આવ્યું સામે

કાર્યક્રમ / ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અમિત શાહ, બે દિવસના ટૂરનું ફુલ શિડ્યુલ આવ્યું સામે

Breaking News
Amit Shah In Gujarat : પ્રવાસના પ્રથમ દિવસે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યો અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકો યોજાશે... અહીં જાણો તમામ વિગતો Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદનો તેમનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ અનેક મહત્વપૂર્ણ વિકાસકાર્યો, સમીક્ષા બેઠકો અને લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોથી વ્યસ્ત રહેવાનો છે. અમદાવાદ અને ગાંધીનગર કેન્દ્રિત આ પ્રવાસ દરમિયાન તેઓ વિકાસ પ્રકલ્પોની સમીક્ષા સાથે સંગઠનાત્મક બેઠકોમાં પણ ભાગ લેશે. પ્રવાસના પ્રથમ દિવસે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યો અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકો યોજાશે. ‘ગાંધીનગર લોકસભા-હરિયાળી લોકસભા’ અભિયાન હેઠળ વૃક્ષારોપણની કામગીરીની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. સાથે જ SG હાઇવેના નવીનીકરણ અને તળાવોન...
રાહત / LPGને લઈને આવી ગુડ ન્યૂઝ, શું ઘટી ગયા ઘરેલુ સિલિન્ડરના ભાવ? બુક કરતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

રાહત / LPGને લઈને આવી ગુડ ન્યૂઝ, શું ઘટી ગયા ઘરેલુ સિલિન્ડરના ભાવ? બુક કરતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

Breaking News
શનિવારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી. છેલ્લો વધારો માર્ચમાં થયો હતો, જ્યારે ભાવ ₹60 હતો. ભારતમાં શનિવારે LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સાથે સાથે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના દર પણ જાહેર થયા, પરંતુ આ વખતે ઘરેલુ ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. છેલ્લા વખત માર્ચ મહિનામાં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારથી અત્યાર સુધી ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. જોકે બીજી તરફ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દેશના મોટા શહેરોના ભાવ દેશના મોટા શહેરોમાં ઘરેલુ LPG સિલિન્ડરના નવા દર મુજબ દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમત ₹913 છે. કોલકાતામાં ગ્રાહકોને ₹939 ચૂકવવા પડશે, જ્યારે મુંબઈમાં ભાવ ...
બિઝનેસ / પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત, સરકારે કર્યા નવા રેટ જાહેર, જાણો ક્યાં થયો ઘટાડો

બિઝનેસ / પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત, સરકારે કર્યા નવા રેટ જાહેર, જાણો ક્યાં થયો ઘટાડો

Breaking News, LifeStyle
અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ શરૂ થયા બાદ સરકાર દર શુક્રવારે રાત્રે પેટ્રોલિયમના ભાવમાં ફેરફાર કરી રહી છે. આ જ ક્રમમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ બાદ દુનિયાભરમાં તેલ સંકટની સ્થિતિ ઉભી થઈ છે. આ દરમિયાન પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા બાદ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 409.78 રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલનો ભાવ પ્રતિ લિટર 409.58 રૂપિયા થયો છે. પાકિસ્તાન સરકાર અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ શરૂ થયા બાદથી દર શુક્રવારે રાત્રે પેટ્રોલિયમના ભાવમાં ફેરફાર કરી રહી છે. ગયા અઠવાડિયે સરકારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 14.92 રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલમાં 15 રૂપિયાનો વધારો મંજૂર કર્યો હતો. યુદ્ધ શરૂ થયા બાદ 6 માર્ચે સરકારે સૌથી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 55 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. ...
BIG UPDATE / અમેરિકામાં અદાણી ગ્રુપને મોટી રાહત! ગૌતમ અદાણી અને સાગર અદાણી $18 મિલિયન દંડ ભરી સમાધાન કરશે?

BIG UPDATE / અમેરિકામાં અદાણી ગ્રુપને મોટી રાહત! ગૌતમ અદાણી અને સાગર અદાણી $18 મિલિયન દંડ ભરી સમાધાન કરશે?

Breaking News, Politics
Gautam Adani US Case : અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા લાંચ અને છેતરપિંડીના હાઈ-પ્રોફાઈલ કેસમાં એક મોટો યુ-ટર્ન આવ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર અમેરિકાનું ન્યાય વિભાગ દ્વારા અદાણી સામેનો કેસ પડતો મૂકવાની યોજના બનાવી રહ્યું છે. ગૌતમ અદાણીએ આ કેસ માટે રોબર્ટ જે. ગિયુફ્રા જુનિયરને હાયર કર્યા છે. ગિયુફ્રા પ્રખ્યાત લૉ ફર્મ 'સુલિવન એન્ડ ક્રોમવેલ'ના કો-ચેરમેન છે તથા તેઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલ પણ રહી ચૂક્યા છે. અમેરિકામાં 10 અબજ ડોલરના રોકાણની ઓફર  વોશિંગ્ટનમાં ન્યાય વિભાગ સાથેની એક બેઠક દરમિયાન અદાણીના વકીલે એક અનોખી ઓફર રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે જો આરોપો પડતા મૂકવામાં આવે, તો અદાણી ગ્રૂપ અમેરિકામાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે અને ત્યાં 15 હજાર નવી નોકરીનું સર્જન કરશે. રિપોર્ટ અનુસાર, વકીલ ગિયુફ્રાએ ન્યાય વિભાગના અધિકારીઓ સમ...
Historic Verdict / મધ્ય પ્રદેશની ધાર ભોજશાળા અંગે હાઈકોર્ટનો મોટો નિર્ણય, હવે સત્તાવાર રીતે મંદિર જાહેર

Historic Verdict / મધ્ય પ્રદેશની ધાર ભોજશાળા અંગે હાઈકોર્ટનો મોટો નિર્ણય, હવે સત્તાવાર રીતે મંદિર જાહેર

Breaking News
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી પ્રખ્યાત ભોજશાળાના વિવાદ પર આજે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટે પોતાના આદેશમાં ભોજશાળાને મંદિર જાહેર કરી છે. કોર્ટે ભોજશાળાને લઈને હિન્દુ પક્ષની માંગ સ્વીકારી લીધી છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં આ મામલે વર્ષ 2022માં અરજી દાખલ કરવામાં આવી હતી. ગયા મહિનાની 6 એપ્રિલથી સતત સુનાવણી બાદ 12 મેના રોજ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જ્યારે, કોર્ટે આજે શુક્રવાર, 15 મેના રોજ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.  ઉલ્લેખનીય છે કે આ ચુકાદા પહેલા ધાર જિલ્લામાં કલમ 163 લાગુ કરી દેવામાં આવી હતી. આ સાથે જ 5થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારના ધરણા, પ્રદર્શન અને સરઘસ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. મધ્યપ્રદેશ પોલીસ સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ભડકાઉ ટિપ્પણી કરનારાઓ પર કડક નજર રાખી રહી છે. આ સ...
BIG QUESTION / CM પદ પર હોવા છતાં વકીલાત કેવી રીતે ચાલુ રાખી? BCIએ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલને મોકલી નોટિસ, 2 દિવસમાં માંગ્યો જવાબ

BIG QUESTION / CM પદ પર હોવા છતાં વકીલાત કેવી રીતે ચાલુ રાખી? BCIએ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલને મોકલી નોટિસ, 2 દિવસમાં માંગ્યો જવાબ

Breaking News, Politics
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જી હાલમાં જ કલકત્તા હાઈકોર્ટમાં વકીલના ગણવેશમાં જોવા મળ્યા હતા. આ ઘટના બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ તેમના પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકેના સ્ટેટસ અંગે તપાસ શરૂ કરી દીધી છે. શું છે વિવાદનું મુખ્ય કારણ? મમતા બેનર્જીએ 1980 ના દાયકાના અંતમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી. જોકે, ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી જાહેર જીવનમાં રહ્યા અને સતત ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી. નિયમ મુજબ, જ્યારે કોઈ વકીલ કોઈ નફાકારક પદ અથવા જાહેર હોદ્દો સંભાળે ત્યારે તેમણે પોતાની પ્રેક્ટિસ સ્થગિત કરવાની જાણ કાઉન્સિલને કરવી પડે છે. મમતા બેનર્જીની કોર્ટમાં હાજરીએ સવાલ ઉભો કર્યો છે કે શું તેઓ હાલમાં કાયદેસર રીતે વકીલાત કરવા માટે પાત્ર છે? BCI એ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલ પાસે માંગ્યો જવાબ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ મામલે કડક વલણ અપનાવતા રાજ્ય બા...
Jobs News / ભારતીય રેલવેમાં 11 હજારથી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાણો

Jobs News / ભારતીય રેલવેમાં 11 હજારથી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાણો

Breaking News
રેલ્વે ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) ભરતી માટે નોર્ટિફિકેશન જારી કર્યુ છે. રેલ્વે ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ આસિસ્ટન્ટ લોકો પાયલટ (ALP) ભરતી માટે નોર્ટિફિકેશન જારી કર્યુ છે. આ ભરતી ઝુંબેશ હેઠળ દેશભરના વિવિધ રેલ્વે ઝોનમાં આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે આશરે 11,127 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આજથી 15 મેથી શરૂ થઇ રહી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો RRB ની ઓફિશિયલ વેબસાઇટ, rrbapply.gov.in દ્વારા અરજી કરી શકે છે. અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ 14 જૂન નક્કી કરવામાં આવી છે. અરજદારોએ સેન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને ફોર્મ ભરતી વખતે તેમની પસંદગીની રેલ્વે ભરતી બોર્ડ પસંદ કરવી પડશે. આ પસંદગીના આધારે પસંદ કર...