Friday, June 19News That Matters

Breaking News

તપાસ / થરાદમાં પ્રેમ સંબંધની અદાવત રાખીને ત્રણ શખસોએ ફિલ્મી ઢબે યુવકનું અપહરણ કર્યું, પછી શું બન્યું

તપાસ / થરાદમાં પ્રેમ સંબંધની અદાવત રાખીને ત્રણ શખસોએ ફિલ્મી ઢબે યુવકનું અપહરણ કર્યું, પછી શું બન્યું

Breaking News, LifeStyle, What's Hot
વાવ-થરાદ જિલ્લાના સૂઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકનું પ્રેમ સબંધની અદાવત રાખી અપહરણ કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. વાવ-થરાદ જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈ ઊભી થયેલી અદાવત એક ગંભીર બનાવમાં ફેરવાઈ છે. મળતી માહિતી મુજબ, ત્રણ શખસોએ પૂર્વ આયોજન હેઠળ ફિલ્મી ઢબે એક યુવકને રસ્તામાં અટકાવી તેનો અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સક્રિય બની ગયું છે અને ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને યુવકને સુરક્ષિત રીતે શોધી કાઢવા માટે પોલીસ દ્વારા તત્કાલ પગલાં લેવામાં આવી રહ્યા છે. અપહરણ કેસમાં 3 સામે FIR બનાસકાંઠા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુઈગામ તાલુકાના ખડોલ ગામના રહેવાસી લાલજીભાઈ કલાભાઈ દ્વારા નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમનો દીકરો હિતેશ 29 એપ્રિલ, 202...
દુઃખદ / રાજકોટના આજીડેમમાં 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, અન્ય એકની શોધખોળ ચાલું

દુઃખદ / રાજકોટના આજીડેમમાં 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, અન્ય એકની શોધખોળ ચાલું

Breaking News, LifeStyle, Politics, Travel, What's Hot
રાજકોટના આજીડેમમાં ચાર લોકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ સમાચાર લખાય છે ત્યાં સુધી મળવા પામ્યો નથી. રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં મંગળવારે એક દુઃખદ ઘટના બની હતી, જેમાં ચાર યુવકો ડૂબી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે મૃતકોના નામ ભરત જાદવ ધવલ જાદવ ધ્રુવ મકવાણા પોલીસ તેમજ ફાયર બ્રિગ્રેડે રેસ્ક્યું કામગીરી શરૂ કરી પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા યુવકો આજીડેમ ખાતે ગયા હતા. આ દરમિયાન તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગ્રેડ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્રણ મૃતદેહ મળ્યા એક મૃતદેહની શોધખોળ ચાલુ રેસ્ક્યુ દર...
‘રાઈટ ટુ રિકોલ’ શું છે? જેની રાઘવ ચઢ્ઢાએ સંસદમાં માંગ કરી; જાણો કયા દેશોમાં જનતા પાસે છે આ પાવર

‘રાઈટ ટુ રિકોલ’ શું છે? જેની રાઘવ ચઢ્ઢાએ સંસદમાં માંગ કરી; જાણો કયા દેશોમાં જનતા પાસે છે આ પાવર

Breaking News, LifeStyle, Politics, What's Hot
રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં ‘રાઇટ ટુ રિકોલ’ (Right to Recall) વિષય ઉઠાવતા રાજકીય અને જાહેર ચર્ચા ફરી તેજ બની છે. આ વિચારનો મૂળ હેતુ મતદાતાઓને વધુ સશક્ત બનાવવાનો છે, જેથી તેઓ માત્ર પોતાના પ્રતિનિધિને પસંદ જ ન કરે, પરંતુ કામથી અસંતોષ હોય તો નિર્ધારિત પ્રક્રિયા દ્વારા કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં તેને પદ પરથી હટાવી પણ શકે. આ લેખમાં ‘રાઇટ ટુ રિકોલ’ શું છે, તેની જરૂરિયાત શું માનવામાં આવે છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને દુનિયાના કયા દેશોમાં આ વ્યવસ્થા અમલમાં છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ‘રાઇટ ટુ રિકોલ’ શું છે? સરળ ભાષામાં કહીએ તો ‘રાઇટ ટુ રિકોલ’ એટલે મતદાતાઓને મળેલું એવું લોકશાહી અધિકાર, જેના દ્વારા તેઓ પોતાના ચૂંટાયેલા જનપ્રતિનિધિને કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં પદ પરથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. જો મતદાતાઓને લાગે કે તેમનો પ્રતિનિધિ વ...
Rolls-Royceના CEOએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં બિઝવેસ વધારવા માટે બ્રિટિશ કંપનીએ રજુ કર્યા નવા પ્લાન

Rolls-Royceના CEOએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં બિઝવેસ વધારવા માટે બ્રિટિશ કંપનીએ રજુ કર્યા નવા પ્લાન

Breaking News, Business, LifeStyle, Technology, What's Hot
ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. વિશ્વ બેંકથી લઈને IMF સુધી અને અસંખ્ય અન્ય સ્થાનિક અને વિદેશી એજન્સીઓએ આ વાત સ્વીકારી છે અને આગાહી કરી છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. મોટી કંપનીઓ પણ સરકારના વિકસિત ભારતના વિઝનને ટેકો આપવા માટે આગળ વધી રહી છે. હવે, લક્ઝરી કાર કંપની રોલ્સ-રોયસના CEO વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે અને વિકસિત ભારતનો ભાગ બનવાની તેમની યોજનાઓ શેર કરી છે. PM મોદીએ કહ્યું, " ખૂબ સારું લાગ્યું." Rolls-Royceના CEO તુફાન એર્ગિનબિલ્જિક બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને વિકસિત ભારતનો ભાગ બનવા માટે ભારતમાં તેમની પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવાની તેમની યોજનાઓ શેર કરી. બેઠક બાદ, PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું, Rolls-Royceના CEO તુફાન એર્ગિનબિલ્જિકને મળીને ખૂબ આનંદ થયો. અમે ભારતમાં તેની પ્રવૃત...
Ahmedabad/ દિવ્યપથ હાઇસ્કૂલને AMC નો 1 લાખનો દંડ, જાણો કેમ

Ahmedabad/ દિવ્યપથ હાઇસ્કૂલને AMC નો 1 લાખનો દંડ, જાણો કેમ

Breaking News, Business
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા દિવ્યપથ હાઇસ્કૂલ સામે કાર્યવાહી કરતા એક લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. શાળાએ પોતાના પર્સનલ કાર્યક્રમ માટે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવા દરમિયાન AMCની ફુટપાથ અને રોડને નુકસાન પહોંચાડ્યાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, દિવ્યપથ હાઇસ્કૂલ દ્વારા ત્રણ દિવસના કાર્યક્રમ માટે પાર્કિંગની સુવિધા ઉભી કરવા માટે અમ્યુકોની કોઇપણ પ્રકારની સત્તાવાર મંજૂરી લીધા વિના જ મજબૂત કરબીવાળી ફુટપાથ તોડી કાઢવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રોડને પણ નુકસાન પહોંચાડાયું હતું. ત્યારબાદ ગોકુળ ફ્લેટ્સ એન્ડ રોહાઉસને અડીને આવેલા કોર્પોરેશનના પ્લોટમાં શાળાએ પોતાની રીતે પાર્કિંગ વ્યવસ્થા કરી દીધી હતી. મામલો સામે આવતા AMC દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને નિયમોના ઉલ્લંઘન બદલ શાળાને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. AMCએ દિવ્યપથ હાઇસ્કૂલને ત્રણ દિવસની અંદર નારણપુરા વોર્ડ ઓફિ...
T20 World Cup 2026 / T20 વર્લ્ડ કપમાં IND vs PAKની એક નહીં, બે-બે મેચ હશે, એ કેવી રીતે?

T20 World Cup 2026 / T20 વર્લ્ડ કપમાં IND vs PAKની એક નહીં, બે-બે મેચ હશે, એ કેવી રીતે?

Breaking News, Sports
IND vs PAK T20 World Cup 2026: ક્રિકેટ રસિકો માટે એક ખુશખબર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીના રોજ મુકાબલો થશે અને જો બધા સમીકરણો પાર પડ્યા તો ભારત અને પાકિસ્તાન એક નહીં પણ 2-2 વાર ટકરાશે. T20 World Cup 2026 IND vs PAK: T 20 World Cup 2026 માં ભારત અને પાકિસ્તાનની મેચને મંજૂરી મળી ગઈ છે. પંરતુ ક્રિકેટ ફેન્સ માટે વધુ એક સારા ખબર એ છે કે ભારત અને પાકિસ્તાનની ટક્કર તેમણે 1 નહીં પણ 2-2 વાર જોવા મળશે. એટલે કે આ ટીમ 2 મેચ રમશે. મતલબ કે પહેલા એક મેચ રમવા પર પણ શંકા હતી ત્યાં હવે ક્રિકેટ જોવાની મજા આવશે. આ બને ટીમ વચ્ચે પહલી મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલમ્બોમાં પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે જે તમે જાણો છો. પણ ટુર્નામેંટમાં આગળ જઈને આ બનેં ટીમ ફરીથી ટકરાઇ શકે છે. ગ્રુપ સ્ટેજ પર બંનેની પહેલી મેચ ભારત-પાકિસ્તાન 15 ફેબ્રુઆરીના રોજ જે મેચમાં ઉતરશે તે ગ્રુપ સ્ટેજની મેચ હશે. ટુર્નામેંટમાં ...
‘અમેરિકા સાથે ડીલ નહીં ઢીલ થઈ’,અમેરિકા સાથે ટ્રેડ ડીલ અને બજેટ મુદ્દે અખિલેશ યાદવના પ્રહાર

‘અમેરિકા સાથે ડીલ નહીં ઢીલ થઈ’,અમેરિકા સાથે ટ્રેડ ડીલ અને બજેટ મુદ્દે અખિલેશ યાદવના પ્રહાર

Breaking News, LifeStyle, Politics, What's Hot
લોકસભામાં બજેટ ચર્ચામાં ભાગ લેતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તાજેતરમાં રજૂ કરાયેલા બજેટમાં વિઝનનો અભાવ છે. યાદવે બજેટના સમય અને અમેરિકા સાથેના વેપાર સોદાની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે અમેરિકા સાથે કોઈ ડીલ નહીં, ફક્ત શિથિલતા જોવા મળી છે. સપા પ્રમુખે કટાક્ષ કર્યો, "શૂન્ય મોટો કે 18? અને જો આવું થવાનું જ હોય, તો 11 મહિના સુધી રાહ કેમ જોઈ? બજેટને દિશાહીન ગણાવતા અખિલેશ યાદવે કહ્યું કે, તેમાં ગરીબો, પછાત અને દલિતો માટે કંઈ નથી. તેમણે કહ્યું, "આપણે આટલા બજેટો લાવીએ છીએ પરંતુ આપણી પ્રતિ વ્યક્તિ આવક વધી રહી નથી. અખિલેશ યાદવે બજેટને દિશાહીન ગણાવતા કહ્યું કે, ગરીબ, પછાત અને દલિતો માટે કંઈ નથી. આપણે આટલા બજેટ લાવી રહ્યા છીએ, પરંતુ આપણી પ્રતિ વ્યક્તિ આવક વધી રહી નથી. સરકારે ઓછામાં ઓછું મફત રાશન મેળવનારાઓની મ...
‘ચૂંટણીનો કેટલોક હિસ્સો સુપ્રીમમાં લડાય છે’, હિમંત બિસ્વાના વીડિયો પર CJIની સખ્તાઈ

‘ચૂંટણીનો કેટલોક હિસ્સો સુપ્રીમમાં લડાય છે’, હિમંત બિસ્વાના વીડિયો પર CJIની સખ્તાઈ

Breaking News, Politics, What's Hot
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આસામના મુખ્યમંત્રી હિમંતા શર્માના વિવાદાસ્પદ "પોઇન્ટ બ્લેન્ક શોટ" વીડિયો સામે દાખલ કરાયેલી અરજી પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ રાજકીય લડાઈઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી રહી છે. સીજેઆઈ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને એન.વી.અંજારીની બનેલી બેન્ચે  સીપીઆઈ અને સીપીએમ નેતાઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ નિઝામ પાશાએ તાત્કાલિક હસ્તક્ષેપની વિનંતી કર્યા બાદ અરજીની નોંધ લીધી. પાશાએ કોર્ટને જાણ કરી કે, અરજદારોએ વીડિયો અંગે ફરિયાદો નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. વકીલે કહ્યું, "અમે આસામના વર્તમાન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા વાંધાજનક ભાષણો અંગે કોર્ટના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરીએ છીએ, જેમાં તાજેતરમાં પોસ્ટ કરાયેલ એક વીડિયો પણ શામેલ છે. જેમાં તેઓ ચોક્કસ સમુદાયના સભ્યો પર ગોળીબાર કરતા દર્શાવવામાં...
લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ લાવી અવિશ્વાસ પ્રસ્તાવ, સચિવાલયને આપી નોટિસ 

લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ લાવી અવિશ્વાસ પ્રસ્તાવ, સચિવાલયને આપી નોટિસ 

Breaking News, Politics, What's Hot
લોકસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે મોરચો માંડતા તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. વિપક્ષી નેતાઓએ લોકસભાના નિયમ 94(C)નો હવાલો આપી સ્પીકરને પદમુક્ત કરવાની માંગ સાથે લોકસભાના મહાસચિવને આ નોટિસ સોંપી છે.  આ દરખાસ્ત પર કોંગ્રેસ, સપા, ડાબેરી પક્ષો અને આરજેડી સહિતના કુલ 118 સાંસદોએ સહી કરી છે. જોકે, તૃણમૂલ કોંગ્રેસે(TMC) એ દૂરી જાળવી રાખી છે, જે વિપક્ષી ગઠબંધનમાં આંતરિક મતભેદ હોવાના સંકેત આપે છે. વિપક્ષનો આરોપ છે કે સ્પીકર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ અંગે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'સરકારના દબાણને કારણે સ્પીકર પદની ગરિમા જળવાતી નથી અને તેમણે વડાપ્રધાનના બચાવમાં સફાઈ ...