Sunday, August 16News That Matters

Breaking News

નેશનલ / ક્રૂડ ઓઈલમાં ઉછાળો વચ્ચે એર ઈન્ડિયાનું મોટું પગલું, PM મોદીની અપીલ બાદ લીધો નિર્ણય

નેશનલ / ક્રૂડ ઓઈલમાં ઉછાળો વચ્ચે એર ઈન્ડિયાનું મોટું પગલું, PM મોદીની અપીલ બાદ લીધો નિર્ણય

Breaking News, What's Hot
ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને રૂપિયાના ઘટતા મૂલ્ય વચ્ચે એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સંખ્યામાં ઘટાડો કર્યો છે. વડાપ્રધાન મોદીની વિદેશ પ્રવાસ ઘટાડવાની અપીલ અને તેલના ભાવ પ્રતિ બેરલ 107 ડોલર સુધી પહોંચતા એરલાઈન્સે હવે દર મહિને 1,200 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ચલાવવાનો નિર્ણય લીધો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવ અને ભારતીય અર્થતંત્ર પર વધી રહેલા દબાણને જોતા એર ઈન્ડિયાએ (Air India) તેના આંતરરાષ્ટ્રીય કામગીરીમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. એરલાઈન્સે અનેક રૂટો પર ફ્લાઈટ્સની સંખ્યામાં એડજસ્ટમેન્ટ કર્યું છે, જેનો સીધો સંબંધ વધતા સંચાલન ખર્ચ અને રાષ્ટ્રીય હિતો સાથે જોડાયેલો છે. PM મોદીની અપીલ અને અર્થતંત્રની સ્થિતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અને વિદેશ પ્રવાસોમાં ઘટાડો કરવા અપીલ કરી હતી. આ અપીલ પાછળનું મુખ્ય કારણ ભારતીય રૂપિય...
નેશનલ / પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થવાના સંકેત? RBI ગવર્નરના નિવેદનથી વધેલી ચર્ચા

નેશનલ / પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થવાના સંકેત? RBI ગવર્નરના નિવેદનથી વધેલી ચર્ચા

Breaking News, LifeStyle, What's Hot
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના મતે, જો પશ્ચિમ એશિયામાં સંઘર્ષ લંબાય તો ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે છે. આનાથી ચિંતા વધી છે કે ભારતમાં ઈંધણ વધુ મોંઘુ થઈ શકે છે અને મોંઘવારી વધી શકે છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ વૈશ્વિક અર્થતંત્ર અને ભારતની સ્થાનિક પરિસ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો લાવી શકે છે, જેની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પડશે. વૈશ્વિક અસ્થિરતા અને તેલનો પૂરવઠો મીડિયા રિપોર્ટ અનુસાર, ગવર્નર મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી હતી કે પશ્ચિમ એશિયા ક્ષેત્ર વૈશ્વિક તેલ પુરવઠા માટેનું એક મુખ્ય કેન્દ્ર છે. આ ક્ષેત્રમાં ચાલુ તણાવ અથવા યુદ્ધની સ્થિતિ સીધી રીતે પુરવઠા શૃંખલાઓને વિક્ષેપિત કરે છે. ભારત તેની ઉર્જા જરૂરિય...
ઓટો / ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે ખુશખબર, સરકારના નવા નિર્ણયથી મળશે મોટો લાભ; જાણો વિગત

ઓટો / ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે ખુશખબર, સરકારના નવા નિર્ણયથી મળશે મોટો લાભ; જાણો વિગત

Breaking News, Business, LifeStyle, Technology, What's Hot
ઇલેક્ટ્રિક વાહનોની ડીમાંડ વધી રહી છે પણ રેન્જની ચિંતાનો પણ પડકાર છે. આથી ઇલેક્ટ્રિક મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દેશભરમાં 4874 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો બનાવશે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી છે પરંતુ તેની સામે પડકારો હજુ પણ છે. ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 5.77% સુધી પહોંચી ગયો છે. પણ રેન્જની ચિંતા હજુ પણ દૂર થઈ નથી. આ સ્થિતિમાં સરકારે એક મોટો નિર્ણય લીધો છે જે EV કાર માલિકોની મોટી ચિંતાને દૂર કરશે. ભારતમાં ઇલેક્ટ્રિક મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે હેવી ઇન્ડસ્ટ્રી મંત્રાલયે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. જેમાં મંત્રાલય દેશભરમાં 4,874 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરશે. સરકાર આ પ્રોજેક્ટ પર 503.86 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ પ્રોજેક્ટ PM e-Drive યોજનાનો એક હિસ્સો છે. આ અંગે કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ ...
Rajkot Hit and Run : નશામાં ધુત બિલ્ડર પુત્રનો તાંડવ, કારથી 5 વાહનોને ટક્કર મારી; મહિલાની હાલત ગંભીર, લોકોએ કર્યો હંગામો

Rajkot Hit and Run : નશામાં ધુત બિલ્ડર પુત્રનો તાંડવ, કારથી 5 વાહનોને ટક્કર મારી; મહિલાની હાલત ગંભીર, લોકોએ કર્યો હંગામો

Breaking News, What's Hot
Rajkot News: રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર દારૂના નશામાં ધુત બિલ્ડર પુત્ર ધવલ પીપળીયાએ વોલ્વો કારથી 5 વાહનોને અડફેટે લીધા છે. 5 ઈજાગ્રસ્ત, લોકોએ નબીરાને ફટકાર્યો છે. રંગીલા ગણાતા રાજકોટમાં ફરી એકવાર નબીરાની બેફામ સ્પીડે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર બાલાજી હોલ પાસે દારૂના નશામાં ચૂર એક બિલ્ડર પુત્રએ પોતાની કારથી ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 4 કાર અને 1 બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વોલ્વો કાર બની 'કાળ' ઘટનાની મળતી માહિતી અનુસાર, બિલ્ડર મહેશભાઈ પીપળીયાનો પુત્ર ધવલ પીપળીયા દારૂના નશામાં ફૂલ હતો, અને પોતાની વોલ્વો કાર પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. બાલાજી હોલ પાસે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા તેણે રસ્તા પર ઉભેલા વાહનોને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે એકસાથે 4 મોટર કાર અને 1 બાઈકને ભારે ...
મોરબી દુર્ઘટના : જૂના સાદુળકા પાસે ખાડામાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યા

મોરબી દુર્ઘટના : જૂના સાદુળકા પાસે ખાડામાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યા

Breaking News, LifeStyle, Travel, What's Hot
મોરબીના જૂના સાદુળકા ગામની સીમમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પાણીના ઊંડા ખાડામાં ન્હાવા પડેલા ત્રણ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા મોરબીના જૂના સાદુળકા ગામની સીમમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પાણીના ઊંડા ખાડામાં ન્હાવા પડેલા ત્રણ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબી શોધખોળ બાદ ફાયર વિભાગે ત્રણેયના મૃતદેહ શોધી કાઢ્યા છે. ન્હાવા ગયા ને કાળ ભેટ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના જૂના સાદુળકા વિસ્તારમાં પાણી ભરેલા એક મોટા અને ઊંડા ખાડામાં ત્રણ યુવાનો ન્હાવા માટે પડ્યા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ત્રણેય યુવાનો એકપછી એક ડૂબવા લાગ્યા હતા. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ ત્રણેય યુવાન...
Gold Price Today / સરકારના એક નિર્ણયથી સોનામાં આગ જેવી તેજી, ચાંદીના ભાવ પણ 3 લાખ પાર પહોંચ્યા!

Gold Price Today / સરકારના એક નિર્ણયથી સોનામાં આગ જેવી તેજી, ચાંદીના ભાવ પણ 3 લાખ પાર પહોંચ્યા!

Breaking News, LifeStyle, What's Hot
ઇમ્પોર્ટ ડ્યુટી વધાર્યા પછી સોનું અને ચાંદીના ભાવમાં તેજી આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી દેશના લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી રહ્યા હતા. હવે સરકારે બુધવારથી સોનું અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી છે જેના કારણે સોનાના ભાવમાં અચાનક લગભગ 11,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. સોનું અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સરકારના એક નિર્ણય બાદ આ કિંમતી ધાતુઓના ભાવમાં ભારે વધારો થયો છે. બુધવારે MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનાના ભાવમાં અચાનક 10 ગ્રામ દીઠ 11,000 રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો જ્યારે ચાંદીનો ભાવ પણ ઝડપથી વધી 3 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઉપર પહોંચી ગયો. આ તેજીનું મુખ્ય કારણ એ છે કે સરકારે સોનું, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી (કસ્ટમ ડ્યૂટી) વધારી દીધી છે. અગાઉ આ ડ્યૂટી 6 ટકા હતી જેને હવે સીધી વધારીને 15 ટકા કરવામ...
સુરત લૂંટકાંડમાં કાર્યવાહી તેજ, ભાડાના મકાનમાં રહેતા 2 આરોપીઓ ઝડપાયા

સુરત લૂંટકાંડમાં કાર્યવાહી તેજ, ભાડાના મકાનમાં રહેતા 2 આરોપીઓ ઝડપાયા

Breaking News, What's Hot
સુરતના વરાછામાં બેંક લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે. લૂંટારૂઓને આશરો આપનારા આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં થયેલી ચોંકાવનારી લૂંટકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે લૂંટારુઓને આશરો આપનાર ત્રીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં શુભમ કુમાર ઠાકુર અને વિકાસસિંહનો સમાવેશ થાય છે. બે મહિનાથી લૂંટની તૈયારી કરી રહ્યા તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓ છેલ્લા બે મહિનાથી લૂંટની તૈયારી કરી રહ્યા હતા અને બેંકની વિગતવાર રેકી કરતા હતા....
અમદાવાદમાં સુરક્ષા માટે AI ટેક્નોલોજી, AMTS બસોમાં લાગશે સ્માર્ટ ડેશકેમ

અમદાવાદમાં સુરક્ષા માટે AI ટેક્નોલોજી, AMTS બસોમાં લાગશે સ્માર્ટ ડેશકેમ

Breaking News, LifeStyle, Technology, Travel, What's Hot
અમદાવાદ શહેરમાં ચાલતી એએમટીએસ બસોમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી મારફતે હવે આપોઆપ સમસ્યાઓ ઓળખશે. શહેરમાં હવે બસો માત્ર મુસાફરી માટે નહીં પણ 'ચાલતા સીસીટીવી કેમેરા' તરીકે કામ કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેક્નોલોજી આપોઆપ સમસ્યાઓ ઓળખશે તેમજ ગંદકી, ખાડા કે ટ્રાફિક ઉલ્લંધન માટે હવે ફરિયાદ કરવાની જરૂર નહીં પડે સિસ્ટમ પોતે જ નોંધશે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદ હવે ટેક્નોલોજીના ઉપયોગમાં એક નવું ડગલું માંડવા જઈ રહ્યું છે. શહેરના મ્યુનિસિપલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સુરક્ષા માટે સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ (SCADL) દ્વારા ૧,૦૦૦ એએમટીએસ અને અન્ય સરકારી વાહનો પર આધુનિક ‘એઆઈ આધારિત ડેશકેમ' લગાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. કેવી રીતે કામ કરશે આ 'સ્માર્ટ ડેશકેમ'? આ ડેશકેમ માત્ર સામાન્ય વિવિધ રૂટ પર ફરશે ત્યારે કેમેરા રસ્તા પરની ખામીઓ અને ટ્રાફિક નિયમોના ...
મુંબઈમાં આતંકી ખતરો: તાજ અને ટ્રાઈડન્ટ હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

મુંબઈમાં આતંકી ખતરો: તાજ અને ટ્રાઈડન્ટ હોટલને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Breaking News, LifeStyle, What's Hot
મુંબઈની તાજ અને ટ્રાઇડેન્ટ હોટલ પર આતંકવાદી હુમલાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે સુરક્ષા વધારી દીધી છે. મુંબઈની પ્રતિષ્ઠિત તાજ હોટેલ અને ટ્રાઇડેન્ટ હોટેલને ફરી એકવાર સુરક્ષા એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. બંને હોટલોને ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારે દાવો કર્યો હતો કે આતંકવાદી હુમલો નિકટવર્તી છે. આ માહિતી બાદ, મુંબઈ પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં આવી ગઈ અને સુરક્ષા કડક કરી દીધી. ધમકીની માહિતી મળતાં, પોલીસે બંને હોટલની સઘન તપાસ શરૂ કરી. સુરક્ષા એજન્સીઓએ કોઈપણ ભૂલ ન થાય તે માટે ઉચ્ચ તકેદારી રાખી હતી. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર તાત્કાલિક નજર રાખવા માટે દક્ષિણ મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી અને ફોન કરનારને શોધી કાઢ્યો. તપાસ દરમિયાન, ફોન કરનારને મુંબઈના સાયન વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. પોલીસ ...
West Bengal: મમતાનું કડક સ્ટેન્ડ, ‘હાર નથી માની, રાજીનામું નહીં આપું’

West Bengal: મમતાનું કડક સ્ટેન્ડ, ‘હાર નથી માની, રાજીનામું નહીં આપું’

Breaking News, Politics, What's Hot
વધુમાં આરોપ મૂક્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મળીને ટીએમસીને નિશાન બનાવી છે. તેમણે દાવો કર્યો કે તેમને કાઉન્ટિંગ સેન્ટર પર જવા માટે પણ રોકવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં તાજેતરના ચૂંટણી પરિણામોમાં હાર બાદ રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ હાર સ્વાભાવિક નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે. ટીએમસીના કાર્યકરો અને નેતાઓને દબાવવામાં આવ્યા મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચનો ઉપયોગ કરીને ભાજપે ચૂંટણીમાં પ્રભાવ પાડ્યો છે. તેમણે જણાવ્યું કે “અમે ચૂંટણી હાર્યા નથી, પરંતુ અમને હરાવવામાં આવ્યા છે.” તેમણે વધુમાં આરોપ મૂક્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મળીને ટીએમસીને નિશાન બનાવી છે. તેમણે દાવો કર્યો કે તેમને કાઉન્ટિંગ સેન...