Friday, June 19News That Matters

Politics

પીએમ મોદી સાથેની ‘સચ્ચી દોસ્તી’

પીએમ મોદી સાથેની ‘સચ્ચી દોસ્તી’

Breaking News, Politics, What's Hot
! અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે દિલ્હીમાં પગ મૂકતાની સાથે જ વ્હાઇટ હાઉસના ગર્ભમાં ચાલી રહેલી વાતોનો પર્દાફાશ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને ભારતની એટલી યાદ આવી રહી છે કે તેઓ આગામી 1 થી 2 વર્ષમાં ફરીથી ભારતની ધરતી પર પગ મૂકવાની યોજના બનાવી રહ્યા છે. રાજદૂત ગોરે એક એવી 'ઇનસાઇડ સ્ટોરી' શેર કરી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો – ટ્રમ્પ રાત્રે 2 વાગ્યે પણ પીએમ મોદીને ફોન કરે છે! આ માત્ર ડિપ્લોમસી નથી, આ પીએમ મોદીની એ તાકાત છે જેના કારણે અમેરિકા આજે ભારતને તેના સૌથી ખાસ જૂથ 'પેક્સ સિલિકા' માં સામેલ કરવા માટે કાલાવાલા કરી રહ્યું છે. ભલે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક અને ટૅરિફ મુદ્દે ખેંચતાણ ચાલતી હોય, પણ ગોરે સ્પષ્ટ કહી દીધું છે કે 'સચ્ચા મિત્રો' હંમેશા મતભેદ ઉકેલી લેતા હોય છે. સેમીકન્ડક્ટરથી લઈને AI અને હાઈ-ટેક વોરફેર સુધી હવે ભારત અને અમેરિકા ખભેખભા મિલાવીને ચાલશે. જ્યારે રશિયા પરના પ્રતિબંધો...
વિશ્વ / દુનિયાની પ્રતિક્ષા વધી, ટ્રમ્પ ટેરિફ પર આજે નહીં આવશે ‘સુપ્રીમ ચુકાદો’, જાણો ક્યારે આવશે

વિશ્વ / દુનિયાની પ્રતિક્ષા વધી, ટ્રમ્પ ટેરિફ પર આજે નહીં આવશે ‘સુપ્રીમ ચુકાદો’, જાણો ક્યારે આવશે

Breaking News, Business, Politics, What's Hot
ડોનાલ્ડ ટ્રંપની ટેરિફ નીતિની કાનૂની વૈધતા અંગેનો અમેરિકી સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો હાલ માટે ટળી ગયો છે. આ નિર્ણય ટ્રંપની કાર્યકારી સત્તાઓ, ‘America First’ નીતિ અને વૈશ્વિક વેપાર વ્યવસ્થાની દિશા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની વિવાદાસ્પદ ટેરિફ નીતિ પર આજે અમેરિકી સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો હતો, પરંતુ આ અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો હવે ટળી ગયો છે. આ કારણે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થામાં પણ અચોક્કસતા યથાવત રહી છે. ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે આ કેસને તેમની પ્રથમ મોટી કાનૂની કસોટી તરીકે જોવામાં આવી રહી હતી. આ કેસમાં મુખ્ય પ્રશ્ન એ છે કે ટ્રમ્પ પ્રશાસને International Emergency Economic Powers Act (IEEPA) હેઠળ લગાવેલા ટેરિફ કાનૂની રીતે યોગ્ય હતા કે નહીં. આ કાયદો 1977માં અમેરિકી કોંગ્રેસ દ્વા...
ગાંધીનગર / ગાંધીનગરમાં PM મોદી-જર્મન ચાન્સેલર વચ્ચે બેઠક થઈ, બન્ને દેશો વચ્ચે થયા આ મહત્વના કરાર

ગાંધીનગર / ગાંધીનગરમાં PM મોદી-જર્મન ચાન્સેલર વચ્ચે બેઠક થઈ, બન્ને દેશો વચ્ચે થયા આ મહત્વના કરાર

Breaking News, LifeStyle, Politics, Travel, What's Hot
ભારત-જર્મની વચ્ચે મહત્વના કરાર થયા છે. પીએમ મોદીએ જર્મનીના સંબંધોને ખાસ ગણાવ્યા હતા. ગુજરાતીમાં ચાન્સેલર મર્ઝનું સ્વાગત કર્યું હતું. તેમજ CEO ફોરમમાં સંબંધોને પ્લેટિનમની ઉપમા આપી હતી. ગાંધીનગરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ગાંધીનગરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ભારત-જર્મની વચ્ચે મહત્વના ક્ષેત્રો પર કરાર થયા હતા. વડાપ્રધાને જર્મનીના ચાન્સેલરને આવકારો મીઠો આપજે રે ની ભાવના સાથે મર્ઝનું ભારતમાં હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ભારત-જર્મની દ્વિપક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર છે. ઈન્ડિયા-જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે. જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઈન્ટેન્શનથી હેલ્થકેર પ્રોફેશનલની આવન-જાવન સરળ બનશે. આતંકવાદ સામે બન્ને દેશ મજબૂતીથી લડાઈ લડશે-PM તેમજ રક્ષા ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા એક રોડ મેપ પર કામ ...
Ayodhya: રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ, પોલીસે કાશ્મીરી યુવકની કરી અટકાયત

Ayodhya: રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ, પોલીસે કાશ્મીરી યુવકની કરી અટકાયત

Breaking News, Politics, What's Hot
Ayodhya Ram Mandir Security Breach: અયોધ્યા સ્થિત રામ મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો મામલો સામે આવ્યો છે. અયોધ્યા રામ મંદિર પરિસરમાં એક મુસ્લિમ યુવક દ્વારા નમાઝ અદા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાસ્તવમાં, રામ મંદિર પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કરતી વખતે સમુદાયના કેટલાક લોકોએ એક યુવાનની અટકાયત કરી છે. મંદિર પરિસરમાં નમાઝ અદા કરનાર યુવક એક ચોક્કસ સમુદાયનો હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા યુવકે રામ મંદિર સંકુલમાં નમાજ અદા કરવાનો પ્રયાસ કર્યો હતો. અયોધ્યા રામ મંદિર સંકુલ પાસે નમાજ અદા કરવાનો પ્રયાસ કરી રહેલા એક યુવકની પોલીસે અટકાયત કરી છે. પોલીસે જ્યારે તેને રોક્યો ત્યારે તે વ્યક્તિ સાંપ્રદાયિક હિતના નારા લગાવવા લાગ્યો. આ યુવાનની ઓળખ કાશ્મીરના શોપિયાના રહેવાસી અહેમદ શેખ તરીકે થઈ છે. મંદિર પરિસરમાં હાજર લોકોએ જણાવ્યું કે જ્યારે સુરક્ષા કર્મચારીઓએ યુવકને અટકાવ્યો ત્યા...
નિવેદન / ‘અમારા મંદિરોને લૂંટવામાં આવ્યા, અને આપણે…’, જાણો NSA અજીત ડોભાલએ કેમ આવું કહેવું પડ્યું?

નિવેદન / ‘અમારા મંદિરોને લૂંટવામાં આવ્યા, અને આપણે…’, જાણો NSA અજીત ડોભાલએ કેમ આવું કહેવું પડ્યું?

Breaking News, Politics, Technology, What's Hot
NSA Ajit Doval: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર National Security Advisor આજીત ડોભાલે શુક્રવારના રોજ એક નિવેદનમાં જણાવ્યું કે ભારતને આઝાદી ખૂબ મોટી કિંમત પર મળી છે. સાથે જ ડોભાલે કહ્યું હતું કે ભૂતકાળમાં સુરક્ષા મામલે ચૂક કરવાથી એક પાઠ પણ શીખવા મળ્યો છે. NSA Ajit Doval: National Security Advisor આજીત ડોભાલે ભારતની આઝાદી માટે કહ્યું કે ભારતે આઝાદી માટે એક મોટી કિંમત ચૂકવી છે. જૂની પેઢીએ અપમાન, વિનાશ અને ભારે નુકસાન પણ સહન કર્યું છે. ભૂતકાળમાં સુરક્ષા ચૂકને કારણે ઘણો મોટો પાઠ ભણવા પણ મળ્યો છે. આ સાથે જ તેમણે આવનારી પેઢીને યુવાનોને અપીલ કરી છે કે તેમણે ઇતિહાસમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રનું પુનર્નિર્માણકરવું જોઈએ અને આપણા મૂલ્યો, અધિકારો અને વિશ્વાસ પર આધારિત એક મજબૂત અને મહાન ભારતનું નિર્માણ કરવું જોઈએ. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગના ઉદ્ઘાટન સમારોહમાં એક ભાષણ આપતા ડોભાલે કહ્યું કે આ સ્વતંત્ર ભ...
Rajkot: હિરાસર એરપોર્ટ પર PMનું સ્વાગત, કુંવરજી બાવળીયા અને મેયરે વડાપ્રધાનને આવકાર્યા

Rajkot: હિરાસર એરપોર્ટ પર PMનું સ્વાગત, કુંવરજી બાવળીયા અને મેયરે વડાપ્રધાનને આવકાર્યા

Breaking News, Business, LifeStyle, Politics
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેઓ રાજકોટના હિરાસર એરપોર્ટ (રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ) ખાતે ઉતરાણ કર્યા બાદ હવે પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે રવાના થયા છે. રાજકોટમાં ભવ્ય સ્વાગત રાજકોટના હિરાસર એરપોર્ટ પર વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. માત્ર 5 મિનિટનું રોકાણ અને સોમનાથ પ્રસ્થાન વડાપ્રધાન મોદી હિરાસર એરપોર્ટ પર માત્ર 5 મિનિટ જેટલા ટૂંકા સમય માટે રોકાયા હતા. સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ તેઓ તુરંત જ હેલિકોપ્ટર મારફતે સોમનાથ જવા માટે રવાના થયા હતા. સોમનાથ ખાતે તેઓ ભગવાન ભોળાનાથના આશીર્વાદ લેશે અને ત્યાં આયોજિત ...
સુરેન્દ્રનગર માં કરોડોના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર

સુરેન્દ્રનગર માં કરોડોના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર

Breaking News, Politics, What's Hot
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશનના અલગ-અલગ કુલ 29 ગુનાઓમાં અગાઉ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ તમામ કેસોનો નિકાલ કરવાના ભાગરૂપે આજે પોલીસ તંત્ર દ્વારા સત્તાવાર રીતે નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન 53,947 કુલ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. જેની કુલ કિંમત 4,22,55,193 આંકવામાં આવી રહી છે. આ તમામ મુદ્દામાલ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે....
“ગંદા પાણી પર AMCની સર્જિકલ સ્ટ્રાઈક

“ગંદા પાણી પર AMCની સર્જિકલ સ્ટ્રાઈક

Breaking News, Entertainment, Politics
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ ભરતા શહેરીજનોને શુદ્ધ પાણી ક્યારે મળશે? આ સવાલ એટલા માટે કારણ કે શહેરના અનેક વિસ્તારો, ખાસ કરીને ચાલી વિસ્તારોમાંથી પ્રદૂષિત પાણીની ફરિયાદોનો પહાડ ખડકાયો છે.ત્યારે આજે AMC ની વોટર કમિટીની બેઠકમાં પ્રદૂષિત પાણી સામે નવો પ્લાન બનાવવામાં આવ્યો છેઆજે મળેલી વોટર કમિટીની બેઠકમાં આ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી જે માત્ર 7 થી 10 સેમ્પલ લેવામાં આવતા હતા, તે સંખ્યા હવે સીધી ડબલ કરવામાં આવશે. તંત્રએ આદેશ આપ્યો છે કે જ્યાં પણ સેમ્પલ નિષ્ફળ જાય, ત્યાં કોઈ પણ બહાનાબાજી વગર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.પરંતુ સવાલ એ છેકે દર વખતે ફરિયાદો ઉઠ્યા પછી જ તંત્ર કેમ જાગે છે? શું અગાઉથી લાઈનોનું ચેકિંગ ન થઈ શકે? ન્યૂ ભારત ન્યૂઝ આ પ્રદૂષિત પાણીના પ્રશ્ને જનતાની પડખે ઉભું છે અને AMC ના કામ પર સતત નજર રાખશે. https://youtu.be/lY4H_YELCp0?si=AYBXyN7sYuVxT-3...
સાબરકાંઠામાં 1.27 કરોડનો દારૂ ચકનાચૂર!

સાબરકાંઠામાં 1.27 કરોડનો દારૂ ચકનાચૂર!

Breaking News, Entertainment, Politics
1.27 કરોડ રૂપિયા… આ રકમનો દારૂ આજે હિંમતનગરના વિરપુરની સીમમાં રોડ પર વહેતો જોવા મળ્યો. સાબરકાંઠાના ચાર-ચાર પોલીસ સ્ટેશનોએ છેલ્લા 4 મહિનામાં જે મહેનત કરી હતી, જે 36,800 બોટલો ઝડપી હતી, તેના પર આજે પોલીસનું ભારેખમ રોલર ફરી વળ્યું છે.જુઓ આ દ્રશ્યો… નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલ અને પ્રાંત અધિકારીની હાજરીમાં કેવી રીતે કરોડોનો મુદ્દામાલ ચકનાચૂર કરવામાં આવી રહ્યો છે. ગાંભોઈથી લઈને હિંમતનગર સુધીના બુટલેગરો જે માલ પહોંચાડવાની ફિરાકમાં હતા, તે આજે જમીનદોસ્ત થઈ ગયો છે. ન્યૂ ભારત ન્યૂઝ પોલીસની આ કડક કાર્યવાહીને બિરદાવે છે. https://youtu.be/sGGYE9Vh0wQ?si=zEqgqZI_YAN0PjAx...
દિલ્હીમાં કાયદાનો ‘નગ્ન નાચ

દિલ્હીમાં કાયદાનો ‘નગ્ન નાચ

Breaking News, Politics
દેશની રાજધાની દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. પોતાને ભાજપ અને RSS ના નેતા ગણાવતા સતીશ યાદવ અને તેના સાથીઓએ પિતા-પુત્રને ઘરમાંથી ઢસડીને બહાર કાઢ્યા અને પછી રસ્તા પર નિર્વસ્ત્ર કરી નિર્દયતાથી માર માર્યો છે. આ ઘટનાનો CCTV વીડિયો જોઈને પથ્થર પણ પીગળી જાય તેવો છે. આટલું જ નહીં, પીડિત દીકરાનો PCR કોલ પણ સામે આવ્યો છે, જેમાં તે 1 કલાક સુધી પોલીસ પાસે જિંદગીની ભીખ માંગતો રહ્યો પણ મદદ મોડી પહોંચી. જુઓ રાજધાનીમાં કાયદાના ચીરેચીરા ઉડાવતો આ અહેવાલ. લક્ષ્મી નગરમાં રહેણાંક વિસ્તારમાં આતંકનો નગ્ન નાચ ખેલાયો. વિવાદ માત્ર એક જિમ ખોલવા જેવી સામાન્ય બાબતનો હતો, પણ આરોપી સતીશ યાદવે તેના સાથીઓ વિકાસ, શુભમ અને ઓમકાર સાથે મળીને રાજેશ ગર્ગ અને તેમના પુત્રની આબરૂના ધજાગરા ઉડાવ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસના આવ્યા પછી પણ આરોપીઓ બિન્દાસ્ત ઉભા છ...