Sunday, August 16News That Matters

What’s Hot

BIG NEWS / પેટ્રોલ-ડીઝલ પછી હવે CNGના ભાવમાં પણ વધારો, આજથી લાગુ થયા નવા રેટ

BIG NEWS / પેટ્રોલ-ડીઝલ પછી હવે CNGના ભાવમાં પણ વધારો, આજથી લાગુ થયા નવા રેટ

Breaking News, LifeStyle, What's Hot
પેટ્રોલ અને ડીઝલ પછી, દિલ્હીમાં સીએનજી પણ મોંઘુ થયું છે. પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે હવે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પણ વધારો થતાં સામાન્ય લોકોના ખર્ચમાં વધુ વધારો થવાનો છે. 15 મેની વહેલી સવારે દેશની જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો, કારણ કે દિલ્હીમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા દર પ્રમાણે હવે દિલ્હીમાં સીએનજી ₹79.09 પ્રતિ કિલોના ભાવે મળશે. આ પહેલાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. સતત વધી રહેલા ઇંધણના ભાવોના કારણે વાહનચાલકો, ટેક્સી-ઓટો ડ્રાઇવરો તેમજ રોજિંદા મુસાફરી કરતા લોકોના બજેટ પર સીધી અસર પડશે. ખાસ કરીને સીએનજી વાહનોનો ઉપયોગ કરતા લોકો માટે હવે મુસાફરી ખર્ચ વધુ વધી શકે છે. મુંબઈમાં પણ સીએનજીના ભાવમાં વધાર...
Gold Price Today / પેટ્રોલ-ડીઝલમાં વધારા વચ્ચે સોના-ચાંદીના ભાવમાં પણ હલચલ, જાણો આજના લેટેસ્ટ રેટ

Gold Price Today / પેટ્રોલ-ડીઝલમાં વધારા વચ્ચે સોના-ચાંદીના ભાવમાં પણ હલચલ, જાણો આજના લેટેસ્ટ રેટ

Breaking News, Business, LifeStyle, What's Hot
સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનાનો ભાવ લગભગ ₹1,500 જેટલો ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે ચાંદીમાં લગભગ ₹10,300નો મોટો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું અને ચાંદી બંનેના ભાવ નબળા રહ્યા છે. ઈમ્પોર્ટ ડ્યુટી વધ્યા બાદ પહેલાં ભાવમાં વધારો થયો હતો, પરંતુ હવે ઊંચા ભાવના કારણે માંગ ઘટી રહી છે, જેના કારણે કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ ₹1,500 ઘટીને ₹1,60,530 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીનો ભાવ પણ ₹10,300 ઘટીને ₹2,80,805 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ઇમ્પોર્ટ ડ્યુટી વધ્યા બાદ પહેલા સોનાના ભાવમાં સતત બે દિવસ સુધી વધારો જોવા મળ્યો હતો, પરંતુ 14 અને 15 મેના રોજ ફરી ભાવ નીચે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધ...
BREAKING / NEET પરીક્ષાની નવી તારીખ જાહેર, વિદ્યાર્થીઓની રાહનો અંત, આ દિવસે થશે એક્ઝામ!

BREAKING / NEET પરીક્ષાની નવી તારીખ જાહેર, વિદ્યાર્થીઓની રાહનો અંત, આ દિવસે થશે એક્ઝામ!

Breaking News, What's Hot
NEET-UG 2026 પરીક્ષાની નવી તારીખ આખરે જાહેર કરવામાં આવી છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓમાં ચાલી રહેલી અનિશ્ચિતતા દૂર થઈ છે. પેપર લીક વિવાદ બાદ હવે પરીક્ષા 21 જૂન 2026, રવિવારના રોજ યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા NEET-UG 2026 પરીક્ષાને લઈને નવી તારીખ જાહેર કરવામાં આવી છે. હવે આ પરીક્ષા 21 જૂન 2026, રવિવારના દિવસે લેવામાં આવશે. પેપર લીકના ગંભીર આરોપો સામે આવ્યા બાદ અગાઉ લેવાયેલી પરીક્ષા રદ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી, જેના કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ચિંતા અને અનિશ્ચિતતા ફેલાઈ હતી. 3 મેના રોજ દેશભરમાં આશરે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ NEET-UG પરીક્ષા આપી હતી. પરંતુ ત્યારબાદ પેપર લીક થવાના આક્ષેપો સામે આવ્યા અને સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો. આ ઘટનાને કારણે પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા હતા. સ્થિતિ ગંભીર બનતાં સંબંધિત વિભાગોએ તપાસ શરૂ કરી...
નેશનલ / ક્રૂડ ઓઈલમાં ઉછાળો વચ્ચે એર ઈન્ડિયાનું મોટું પગલું, PM મોદીની અપીલ બાદ લીધો નિર્ણય

નેશનલ / ક્રૂડ ઓઈલમાં ઉછાળો વચ્ચે એર ઈન્ડિયાનું મોટું પગલું, PM મોદીની અપીલ બાદ લીધો નિર્ણય

Breaking News, What's Hot
ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને રૂપિયાના ઘટતા મૂલ્ય વચ્ચે એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સંખ્યામાં ઘટાડો કર્યો છે. વડાપ્રધાન મોદીની વિદેશ પ્રવાસ ઘટાડવાની અપીલ અને તેલના ભાવ પ્રતિ બેરલ 107 ડોલર સુધી પહોંચતા એરલાઈન્સે હવે દર મહિને 1,200 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ચલાવવાનો નિર્ણય લીધો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવ અને ભારતીય અર્થતંત્ર પર વધી રહેલા દબાણને જોતા એર ઈન્ડિયાએ (Air India) તેના આંતરરાષ્ટ્રીય કામગીરીમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. એરલાઈન્સે અનેક રૂટો પર ફ્લાઈટ્સની સંખ્યામાં એડજસ્ટમેન્ટ કર્યું છે, જેનો સીધો સંબંધ વધતા સંચાલન ખર્ચ અને રાષ્ટ્રીય હિતો સાથે જોડાયેલો છે. PM મોદીની અપીલ અને અર્થતંત્રની સ્થિતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અને વિદેશ પ્રવાસોમાં ઘટાડો કરવા અપીલ કરી હતી. આ અપીલ પાછળનું મુખ્ય કારણ ભારતીય રૂપિય...
નેશનલ / પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થવાના સંકેત? RBI ગવર્નરના નિવેદનથી વધેલી ચર્ચા

નેશનલ / પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું થવાના સંકેત? RBI ગવર્નરના નિવેદનથી વધેલી ચર્ચા

Breaking News, LifeStyle, What's Hot
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના મતે, જો પશ્ચિમ એશિયામાં સંઘર્ષ લંબાય તો ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે છે. આનાથી ચિંતા વધી છે કે ભારતમાં ઈંધણ વધુ મોંઘુ થઈ શકે છે અને મોંઘવારી વધી શકે છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ વૈશ્વિક અર્થતંત્ર અને ભારતની સ્થાનિક પરિસ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો લાવી શકે છે, જેની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પડશે. વૈશ્વિક અસ્થિરતા અને તેલનો પૂરવઠો મીડિયા રિપોર્ટ અનુસાર, ગવર્નર મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી હતી કે પશ્ચિમ એશિયા ક્ષેત્ર વૈશ્વિક તેલ પુરવઠા માટેનું એક મુખ્ય કેન્દ્ર છે. આ ક્ષેત્રમાં ચાલુ તણાવ અથવા યુદ્ધની સ્થિતિ સીધી રીતે પુરવઠા શૃંખલાઓને વિક્ષેપિત કરે છે. ભારત તેની ઉર્જા જરૂરિય...
ઓટો / ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે ખુશખબર, સરકારના નવા નિર્ણયથી મળશે મોટો લાભ; જાણો વિગત

ઓટો / ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે ખુશખબર, સરકારના નવા નિર્ણયથી મળશે મોટો લાભ; જાણો વિગત

Breaking News, Business, LifeStyle, Technology, What's Hot
ઇલેક્ટ્રિક વાહનોની ડીમાંડ વધી રહી છે પણ રેન્જની ચિંતાનો પણ પડકાર છે. આથી ઇલેક્ટ્રિક મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દેશભરમાં 4874 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો બનાવશે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી છે પરંતુ તેની સામે પડકારો હજુ પણ છે. ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 5.77% સુધી પહોંચી ગયો છે. પણ રેન્જની ચિંતા હજુ પણ દૂર થઈ નથી. આ સ્થિતિમાં સરકારે એક મોટો નિર્ણય લીધો છે જે EV કાર માલિકોની મોટી ચિંતાને દૂર કરશે. ભારતમાં ઇલેક્ટ્રિક મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે હેવી ઇન્ડસ્ટ્રી મંત્રાલયે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. જેમાં મંત્રાલય દેશભરમાં 4,874 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરશે. સરકાર આ પ્રોજેક્ટ પર 503.86 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ પ્રોજેક્ટ PM e-Drive યોજનાનો એક હિસ્સો છે. આ અંગે કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ ...
Rajkot Hit and Run : નશામાં ધુત બિલ્ડર પુત્રનો તાંડવ, કારથી 5 વાહનોને ટક્કર મારી; મહિલાની હાલત ગંભીર, લોકોએ કર્યો હંગામો

Rajkot Hit and Run : નશામાં ધુત બિલ્ડર પુત્રનો તાંડવ, કારથી 5 વાહનોને ટક્કર મારી; મહિલાની હાલત ગંભીર, લોકોએ કર્યો હંગામો

Breaking News, What's Hot
Rajkot News: રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર દારૂના નશામાં ધુત બિલ્ડર પુત્ર ધવલ પીપળીયાએ વોલ્વો કારથી 5 વાહનોને અડફેટે લીધા છે. 5 ઈજાગ્રસ્ત, લોકોએ નબીરાને ફટકાર્યો છે. રંગીલા ગણાતા રાજકોટમાં ફરી એકવાર નબીરાની બેફામ સ્પીડે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર બાલાજી હોલ પાસે દારૂના નશામાં ચૂર એક બિલ્ડર પુત્રએ પોતાની કારથી ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 4 કાર અને 1 બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વોલ્વો કાર બની 'કાળ' ઘટનાની મળતી માહિતી અનુસાર, બિલ્ડર મહેશભાઈ પીપળીયાનો પુત્ર ધવલ પીપળીયા દારૂના નશામાં ફૂલ હતો, અને પોતાની વોલ્વો કાર પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. બાલાજી હોલ પાસે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા તેણે રસ્તા પર ઉભેલા વાહનોને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે એકસાથે 4 મોટર કાર અને 1 બાઈકને ભારે ...
મોરબી દુર્ઘટના : જૂના સાદુળકા પાસે ખાડામાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યા

મોરબી દુર્ઘટના : જૂના સાદુળકા પાસે ખાડામાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યા

Breaking News, LifeStyle, Travel, What's Hot
મોરબીના જૂના સાદુળકા ગામની સીમમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પાણીના ઊંડા ખાડામાં ન્હાવા પડેલા ત્રણ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા મોરબીના જૂના સાદુળકા ગામની સીમમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પાણીના ઊંડા ખાડામાં ન્હાવા પડેલા ત્રણ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબી શોધખોળ બાદ ફાયર વિભાગે ત્રણેયના મૃતદેહ શોધી કાઢ્યા છે. ન્હાવા ગયા ને કાળ ભેટ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના જૂના સાદુળકા વિસ્તારમાં પાણી ભરેલા એક મોટા અને ઊંડા ખાડામાં ત્રણ યુવાનો ન્હાવા માટે પડ્યા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ત્રણેય યુવાનો એકપછી એક ડૂબવા લાગ્યા હતા. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ ત્રણેય યુવાન...
Gold Price Today / સરકારના એક નિર્ણયથી સોનામાં આગ જેવી તેજી, ચાંદીના ભાવ પણ 3 લાખ પાર પહોંચ્યા!

Gold Price Today / સરકારના એક નિર્ણયથી સોનામાં આગ જેવી તેજી, ચાંદીના ભાવ પણ 3 લાખ પાર પહોંચ્યા!

Breaking News, LifeStyle, What's Hot
ઇમ્પોર્ટ ડ્યુટી વધાર્યા પછી સોનું અને ચાંદીના ભાવમાં તેજી આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી દેશના લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી રહ્યા હતા. હવે સરકારે બુધવારથી સોનું અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી છે જેના કારણે સોનાના ભાવમાં અચાનક લગભગ 11,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. સોનું અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સરકારના એક નિર્ણય બાદ આ કિંમતી ધાતુઓના ભાવમાં ભારે વધારો થયો છે. બુધવારે MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનાના ભાવમાં અચાનક 10 ગ્રામ દીઠ 11,000 રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો જ્યારે ચાંદીનો ભાવ પણ ઝડપથી વધી 3 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઉપર પહોંચી ગયો. આ તેજીનું મુખ્ય કારણ એ છે કે સરકારે સોનું, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી (કસ્ટમ ડ્યૂટી) વધારી દીધી છે. અગાઉ આ ડ્યૂટી 6 ટકા હતી જેને હવે સીધી વધારીને 15 ટકા કરવામ...
સુરત લૂંટકાંડમાં કાર્યવાહી તેજ, ભાડાના મકાનમાં રહેતા 2 આરોપીઓ ઝડપાયા

સુરત લૂંટકાંડમાં કાર્યવાહી તેજ, ભાડાના મકાનમાં રહેતા 2 આરોપીઓ ઝડપાયા

Breaking News, What's Hot
સુરતના વરાછામાં બેંક લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે. લૂંટારૂઓને આશરો આપનારા આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં થયેલી ચોંકાવનારી લૂંટકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે લૂંટારુઓને આશરો આપનાર ત્રીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં શુભમ કુમાર ઠાકુર અને વિકાસસિંહનો સમાવેશ થાય છે. બે મહિનાથી લૂંટની તૈયારી કરી રહ્યા તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓ છેલ્લા બે મહિનાથી લૂંટની તૈયારી કરી રહ્યા હતા અને બેંકની વિગતવાર રેકી કરતા હતા....