Tuesday, February 17News That Matters

What’s Hot

સેન્સેક્સ 2000 અને નિફ્ટી 750 પ્લસ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા, અમેરિકા-ભારત ટ્રેડ ડીલની અસર

સેન્સેક્સ 2000 અને નિફ્ટી 750 પ્લસ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા, અમેરિકા-ભારત ટ્રેડ ડીલની અસર

Breaking News, LifeStyle, Technology, What's Hot
શેરબજારમાં મંગળવારે તોફાની તેજી સાથે કારોબારની શરૂઆત થઈ હતી. બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ લગભગ 3800 પોઈન્ટના ઉછાળા સાથે 85,323.20 ના સ્તર પર ઓપન થયો હતો. જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 1220 પોઈન્ટની તેજી સાથે 26,308 ના સ્તર પર ખુલ્યો હતો. આટલા મોટા ગેપ-અપ ઓપનિંગ બાદ ઉપલા સ્તરેથી થોડી પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી અને નિફ્ટી 25,800 સુધી નીચે આવ્યો હતો. આમ છતાં, નિફ્ટીમાં 700 પોઈન્ટ અને સેન્સેક્સમાં 2300 પોઈન્ટની તેજી જળવાઈ રહી હતી. ભારત અને અમેરિકા વચ્ચે સોમવારે મોડી રાત્રે જાહેર થયેલી ટ્રેડ ડીલને કારણે બજારમાં આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ડીલ હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પરના રેસિપ્રોકલ ટેરિફને 25%થી ઘટાડીને 18% કરી દીધા છે અને રશિયા પાસેથી કાચા તેલની ખરીદી પર લાગતા વધારાના 25% ટેરિફને સમાપ્ત કરી દીધા છે. આ સમાચારથી બજાર ગેલમાં છે અને માર્કેટમાં 'શોર્ટ પોઝિશન' લે...
કડાકા બાદ ગોલ્ડ-સિલ્વરમાં તોફાની રિકવરી! ચાંદીના ભાવમાં એકઝાટકે 21000નો ઉછાળો

કડાકા બાદ ગોલ્ડ-સિલ્વરમાં તોફાની રિકવરી! ચાંદીના ભાવમાં એકઝાટકે 21000નો ઉછાળો

Breaking News, Business, LifeStyle, What's Hot
સોના-ચાંદીની કિંમતોમાં પણ હવે શેર બજાર જેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અચાનક જ ભારે તેજી જોવા મળે અને અચાનક જ કિંમતો ક્રેશ થઈ જાય. સોના-ચાંદીની કિંમતમાં ગયા સપ્તાહે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 4 લાખ રૂપિયાને પાર ગયા બાદ અચાનક જ ક્રેશ થઈ ગઈ હતી. સોનાના ભાવમાં પણ જોરદાર ઘટાડો થઈ રહ્યો હતો. જોકે આજે બંને કિંમતી ધાતુના ભાવમાં તેજી જોવા મળી છે. ચાંદીની કિંમતમાં 21 હજાર રૂપિયાનો વધારો મંગળવારે (ત્રીજી ફેબ્રુઆરી) MCX પર વાયદા બજારમાં માર્કેટ ખૂલતાં જ સોના-ચાંદીની કિંમતમાં તોફાની તેજી જોવા મળી. સોમવારે ચાંદીની કિંમત 2.25 લાખ રૂપિયા થઈ હતી. આજે માર્કેટ ખૂલતાં જ ચાંદીની કિંમતમાં 21 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો. સોનાના ભાવમાં પણ એકઝાટકે 5 હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે.  આજે 1 કિલો ચાંદીની કિંમત 2,57,480 રૂપિયા પહોંચી છે. અગાઉ 29 જાન્યુઆરીએ ચાંદીની કિંમત પહેલીવાર 4 લાખ રૂપિય...
ફ્રોડ / સુરતમાં શેર બજારના નામે આચરાઈ લાખોની છેતરપિંડી, બેંક મેનેજર સહિત 3ની ધરપકડ

ફ્રોડ / સુરતમાં શેર બજારના નામે આચરાઈ લાખોની છેતરપિંડી, બેંક મેનેજર સહિત 3ની ધરપકડ

Breaking News, LifeStyle, What's Hot
સુરતમાં શેરબજારના નામે 42.48 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે બંધન બેંક અને ઈન્ડસઇન્ડ બેંકના મેનેજર સહિત 3ની ધરપકડ કરી. Surat News: સુરતમાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ટોળકી સાયબર સેલના જાળમાં ફસાઈ છે. બંધન બેંકના સેલ્સ મેનેજર અને ઈન્ડસઇન્ડ બેંકના મેનેજર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 10 ટકા નફાની લાલચ આપીને 42.48 લાખની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. સાયબર સેલે રાહુલ મિસ્ત્રી, મિલન સાંગાણી અને ઉર્વિશ નસીતને ધરપકડ કરી છે. આરોપીઓએ સિટીલાઇટ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત કર્મચારી સાથે છેતરપિંડી કરી હતી. શેરબજારના નામે છેતરપિંડી માહિતી પ્રમાણે, આરોપીઓએ શેરબજારમાં 10 ટકા નફાની લાલચ આપીને છેતરપિંડી કરતાં હતા. નફાની લાલચમાં આવીને પીડિતે પણ 42.48 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ રોકાણ કરવાને બદલે આરોપીઓએ આ રકમ હડપ કરી લીધી હતી. તપાસમાં ચોંક...
દુઃખદ / અમદાવાદમાં એક જ રાતમાં બે અકસ્માત, એકનું તો બ્રિજ પરથી પટકાતા મોત

દુઃખદ / અમદાવાદમાં એક જ રાતમાં બે અકસ્માત, એકનું તો બ્રિજ પરથી પટકાતા મોત

Breaking News, LifeStyle, Travel, What's Hot
અમદાવાદમાં રફતારનો કહેર યથાવત છે. એક જ રાતમાં બે અકસ્માતના બનાવ બન્યા હતા. જેમાં રાણીપમાં પીકઅપ વાન અને XUV કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમજ બલોલનગરમાં કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો. અમદાવાદના બલોલનગર બ્રિજ પરથી શુક્રવારના રોજ મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં પતિ-પત્ની એક્ટિવા પર જઈ રહ્યા હતા તે દરમ્યાન પાછળથી પુર ઝડપે આવી રહેલ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પટકાયો હતો. અકસ્માતમાં કિશન વચેટાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્નિ કોમલને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ જનતાનગરમાં આવેલ આવાસ યોજનામાં રહેતા કિશન વછેટા(ઉ.વર્ષ.28) તેમની પત્નિ સાથે કામ અર્થે બલોલનગરથી ન્યૂ રાણીપ થી ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન બલોલનગર બ્રિજ પર કિશનના એક્ટિવાને ફોર વ્હીલર ક...
ગાંધીનગર / બિન હથિયારી PSI ભરતી: 1023 ઉમેદવારોને બોલાવાયા, તો કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ

ગાંધીનગર / બિન હથિયારી PSI ભરતી: 1023 ઉમેદવારોને બોલાવાયા, તો કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ

Breaking News, What's Hot
બિનહથિયારી PSI ભરતીને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટની ચકાસણી કરાશે. તેમજ 2 ફેબ્રુઆરીથી કોલ લેટર ડાઉનલોડ થશે. બિન હથિયારધારી PSI ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કુલ 472 બિન હથિયારધારી PSIની જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં હવે આગળનું પગથિયું શરૂ થવા જઈ રહ્યું છે. 1023 ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા પરીક્ષામાં પ્રાપ્ત થયેલ મેરિટના આધારે કુલ 1023 ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે. પસંદ થયેલા ઉમેદવારોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કઈ તારીખે યોજાશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. ઉમેદવારો તેમના ડોક્યુમેન્ટ ચકાસણી માટેના કોલ લેટર 2 ફેબ્રુઆરીથી સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે....
UP news: ‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’, શંકરાચાર્યનો CMને ખુલ્લો પડકાર

UP news: ‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’, શંકરાચાર્યનો CMને ખુલ્લો પડકાર

Breaking News, Politics, What's Hot
ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રયાગરાજ માઘ મેળામાં સંગમ સ્નાન કર્યાં વિના જ કાશી પરત ફરેલા શંકરાચાર્યે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે સીધો મોરચો ખોલ્યો છે. મુખ્યમંત્રીના 'હિન્દુ' હોવા પર ઉઠાવ્યા સવાલ શુક્રવારે કાશીના શ્રીવિદ્યામઠ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મારી પાસેથી મારા પદ અને પરંપરાનું પ્રમાણપત્ર માંગ્યું હતું, જે મેં તેમને આપી દીધું છે. પરંતુ હવે હું સમગ્ર સનાતની સમાજ વતી યોગી આદિત્યનાથ પાસેથી તેમના હિન્દુ હોવાનું પ્રમાણ માંગું છું. હિન્દુ હોવું એ માત્ર ભાષણો કે ભગવા કપડાં સુધી સીમિત નથી, તેની સાચી કસોટી ગૌસેવા અને ધર્મરક્ષા છે. 40 દિવસનું અલ્ટીમેટમ અને 'નકલી હિન્દુ' જાહેર કરવાની ધમકી શંકરા...
Delhi news: દુનિયાભરના ઇસ્લામિક દેશોને દિલ્હીમાં બોલાવીને મોદી સરકાર શું કરવા જઈ રહી છે?

Delhi news: દુનિયાભરના ઇસ્લામિક દેશોને દિલ્હીમાં બોલાવીને મોદી સરકાર શું કરવા જઈ રહી છે?

Breaking News, Business, LifeStyle, Politics, Travel, What's Hot
ભારતની રાજધાની દિલ્હીમાં વિશ્વભરના ઇસ્લામિક દેશોના નેતાઓનો મેળાવડો યોજાવાનો છે. વિશ્વભરના નેતાઓ શનિવારે (31 જાન્યુઆરી) ભેગા થશે. આ સમિટની સહ-અધ્યક્ષતા ભારત અને યુએઈ કરશે. આ બેઠકનો ઉદ્દેશ્ય ભારત અને આરબ દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને ભાગીદારીને નવી દિશા આપવાનો છે. આ બેઠકમાં 22 આરબ દેશોના વિદેશ પ્રધાનો ભાગ લેશે. ૧૦ વર્ષ પછી ભારત દ્વારા આયોજિત બેઠક ૧૦ વર્ષ પછી આ પ્રકારની પહેલી બેઠક યોજાઈ રહી છે. અગાઉની બેઠક ૨૦૧૬માં યોજાઈ હતી, જોકે તે બહેરીનમાં યોજાઈ હતી. ભારત આરબ દેશોના સંગઠન લીગ ઓફ અરબ સ્ટેટ્સ (LAS)નું નિરીક્ષક છે. આ સંગઠનમાં કુલ ૨૨ સભ્ય દેશોનો સમાવેશ થાય છે. ૭ દેશોથી શરૂ થયેલી સંસ્થા હવે ૨૨ દેશોનો સમાવેશ કરે છે લીગ ઓફ અરબ સ્ટેટ્સ (LAS) ની રચના ૨૨ માર્ચ, ૧૯૪૫ ના રોજ કૈરોમાં થઈ હતી. શરૂઆતમાં, તેમાં ઇજિપ્ત, ઇરાક, જોર્ડન, લેબનોન, સાઉદી અરેબિયા અને સીરિયાનો સમાવેશ થતો હતો....
હૈદરાબાદ / ચાલતી બસમાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, મોત પહેલાં આવી રીતે બચાવ્યો 18 લોકોનો જીવ

હૈદરાબાદ / ચાલતી બસમાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, મોત પહેલાં આવી રીતે બચાવ્યો 18 લોકોનો જીવ

Breaking News, Travel, What's Hot
હૈદરાબાદના મિયાપુરથી વિજયવાડા જઈ રહ્યો હતો, જે ડ્યુટી પર હતો ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. તે સમયે બસમાં 18 મુસાફરો હતા. પરંતુ ડ્રાઈવર મુશ્કેલ પરિસ્થિતિથી ડરતો ન રહ્યો અને ખાતરી કરી કે બસમાં સવાર કોઈને પણ કંઇ જ ના થાય હૈદરાબાદમાં મુસાફરોને લઈ જતી એક બસ નેશનલ હાઇવે પર મુસાફરી કરી રહી હતી ત્યારે ડ્રાઇવરને છાતીમાં તીવ્ર દુખાવો થયો. બસમાં બેઠેલા સમુસાફરોના જીવ જોખમમાં હતા.આ કિસ્સો આંધ્ર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (APSRTC) ના બસ ડ્રાઇવરનો છે જે હૈદરાબાદના મિયાપુરથી વિજયવાડા જઈ રહ્યો હતો, જે ડ્યુટી પર હતો ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. તે સમયે બસમાં 18 મુસાફરો હતા. પરંતુ ડ્રાઈવર મુશ્કેલ પરિસ્થિતિથી ડરતો ન રહ્યો અને ખાતરી કરી કે બસમાં સવાર કોઈને પણ કંઇ જ ના થાય. બહુ જ દુખાવો થયો હોવા છંતા સ્ટીયરિંગ વ્હીલ પર રાખ્યો કંટ્રોલ વિજયવાડાના ગોલ્લાપુડીના રહેવાસી 39 વર્ષીય કટરાપુ ના...
વિરોધ / UGCના એ 4 નિયમ કયા છે જેની પર દેશભરમાં મચી છે બબાલ, જાણો વિવાદ

વિરોધ / UGCના એ 4 નિયમ કયા છે જેની પર દેશભરમાં મચી છે બબાલ, જાણો વિવાદ

Breaking News, What's Hot
UGC એ 13 જાન્યુઆરી 2026ના રોજ નવો નિયમ લાગૂ કર્યો, જેનુ નામ છે – “Promotion of Equity in Higher Education Institutions Regulations 2026”. તેનો જણાવેલ હેતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ ભેદભાવ અને અસમાનતાને રોકવાનો છે. દેશભરમાં UGCના નવા નિયમથી દેશભરમાં ભારે વિવાદ થયો છે. શરૂઆતમાં, #UGCRolleback વિરોધમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. પછી, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જ્યાં વધતા ભેદભાવ માટે તેની ટીકા કરવામાં આવી.તે દરમિયાન આ ફેરફારના વિરોધમાં બરેલી સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ રાજીનામું આપ્યું. આનાથી પ્રશ્ન ઉભો થાય છે કે UGC એ કયા નિયમો સ્થાપિત કર્યા છે, અને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને જનતા શા માટે નારાજ છે. UGC શું છે નવો નિયમ? UGC એ 13 જાન્યુઆરી 2026ના રોજ નવો નિયમ લાગૂ કર્યો, જેનુ નામ છે – “Promotion of Equity in Higher Education Institutions Regulations 2...
‘સપના જોતા રહો, જો તમે અમેરિકા વિના વિચારો છો તો તમે… NATOના વડાએ EU ને શું કહ્યું?

‘સપના જોતા રહો, જો તમે અમેરિકા વિના વિચારો છો તો તમે… NATOના વડાએ EU ને શું કહ્યું?

Breaking News, What's Hot
નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે સ્પષ્ટપણે કહ્યું છે કે યુરોપ યુનાઇટેડ સ્ટેટ્સ વિના પોતાનો બચાવ કરી શકશે નહીં. તેમણે યુરોપિયન નેતાઓને ચેતવણી આપી હતી કે જે કોઈ એવું વિચારે છે કે યુરોપ અથવા યુરોપિયન યુનિયન એકલા પોતાને સુરક્ષિત કરી શકે છે તે "સ્વપ્નની દુનિયા" માં જીવી રહ્યા છે. અમેરિકા વિના સુરક્ષા અશક્ય છે - રુટે બ્રસેલ્સમાં EUના કાયદા નિર્માતાઓને સંબોધતા, રુટે કહ્યું, "જો કોઈ એવું વિચારે છે કે યુરોપ યુનાઇટેડ સ્ટેટ્સ વિના પોતાનો બચાવ કરી શકે છે, તો તેણે સપના જોતા રહેવું જોઈએ. તે અશક્ય છે." તેમણે ઉમેર્યું કે યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સને એકબીજાની જરૂર છે. તાજેતરના અઠવાડિયામાં નાટોની અંદર તણાવ વધ્યો છે. આ મોટે ભાગે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોને કારણે થયું છે, જેમાં તેમણે ડેનમાર્કના અર્ધ-સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડના જોડાણની હાકલ કરી હતી. ટ્રમ્પે ગ્રીનલેન્ડને ટેકો આપતા યુરોપિય...